
સરકાર આગામી નાણાકીય વર્ષમાં આરબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી અંદાજે રૂ. 70 હજાર કરોડ મેળવવાનું લક્ષ્ય રાખશે. વર્તમાન નાણાકીય વર્ષમાં, સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડમાંથી મળેલી રકમ માટે રૂ. 48 હજાર કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો. જો કે, RBIએ એકલાએ રૂ. 87,416 કરોડનું ડિવિડન્ડ ચૂકવીને આ લક્ષ્યાંક વટાવ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓના સારા ત્રિમાસિક પરિણામોને કારણે, તેમના દ્વારા સરકારને ચૂકવવામાં આવતા ડિવિડન્ડમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

નાણાકીય વર્ષ 2022-23માં સરકારે RBI અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ પાસેથી 40,953 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
બેંકો અને નાણાકીય સંસ્થાઓના ઊંચા ડિવિડન્ડ સિવાય વધુ કર વસૂલાત સરકારને રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં મદદ કરશે. સરકાર આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને જીડીપીના 5.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય ધરાવે છે.
