
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ બુધવારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં હાસ્ય કલાકાર સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે. VHPનું કહેવું છે કે વિવાદાસ્પદ YouTube રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના તાજેતરના એપિસોડમાં અપમાનજનક ટિપ્પણીઓ પર લોકોના રોષને પગલે સમય રૈનાના શો રદ કરવામાં આવ્યા છે.
VHP એ જણાવ્યું હતું કે એપ્રિલમાં સમય રૈનાના શોની ટિકિટ હવે ઓનલાઈન પ્લેટફોર્મ ‘BookMyShow’ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી.