
PM rock memorial meditation: પાંચ વર્ષ પહેલા 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ગુફામાં ધ્યાન કરવા ગયા હતા. હવે, 2024ની ચૂંટણીની સીઝનના છેલ્લા તબક્કા એટલે કે સાતમા તબક્કા દરમિયાન, પીએમ મોદી રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.
આ રોક સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બાંધવામાં આવેલ સ્મારક છે. ગુરુવારે એટલે કે 30મી જૂને પીએમ મોદી અહીં 45 કલાક સુધી ધ્યાનમાં ડૂબેલા રહેશે. જેને ધ્યાનમાં રાખીને જડબેસલાક સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
2 હજાર પોલીસકર્મીઓ અને સુરક્ષા એજન્સી તૈનાત રહેશે
આ સમયગાળા દરમિયાન, 2,000 પોલીસકર્મીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની એક મજબૂત ટીમ કડક તકેદારી રાખશે. વાસ્તવમાં, બીજેપી નેતાઓએ કહ્યું કે પીએમ મોદી 30 મેના રોજ લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી અહીં આવશે.
PM મોદી 30 મેની સાંજથી 1 જૂન સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તિરુનેલવેલી રેન્જના ડીઆઈજી પ્રવેશ કુમારે પોલીસ અધિક્ષક ઇ સુંદરવથનમ સાથે રોક મેમોરિયલ, બોટ જેટી, હેલિપેડ અને કન્યાકુમારીમાં સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
આ પીએમ મોદીનો કાર્યક્રમ હશે
વડા પ્રધાનની મુખ્ય સુરક્ષા ટીમ સ્થળ પર પહોંચી જતાં હેલિકોપ્ટરને હેલિપેડ પર ઉતારવાની ટ્રાયલ પણ હાથ ધરવામાં આવી હતી. કન્યાકુમારી અને તેની આસપાસ લગભગ 2,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. મોદી તેમની આધ્યાત્મિક યાત્રા માટે 30 મેના રોજ બપોરે કન્યાકુમારી પહોંચશે. આ પછી તેઓ સ્મારક પર જશે.
તેઓ 1 જૂનના રોજ બપોરે 3 વાગ્યા સુધી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે હાજર રહે તેવી શક્યતા છે, જ્યારે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે વડા પ્રધાન લગભગ 45 કલાક ધ્યાન માટે ત્યાં રહેશે, તેથી દરિયાકાંઠાની સુરક્ષા જૂથ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દરિયાઈ સરહદો પર તકેદારી રાખશે.
