
Lal Krishna Advani : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બુધવારે રાત્રે તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના દિગ્ગજ નેતાની હાલત સ્થિર છે અને નિષ્ણાતોની ટીમ તેમની તપાસ કરી રહી છે. 96 વર્ષીય પૂર્વ નાયબ વડા પ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે દિલ્હી એમ્સના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે અડવાણી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને સામાન્ય રીતે ડૉક્ટરો તેમને ઘરે તપાસે છે, પરંતુ બુધવારે રાત્રે તેમને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદ થઈ હતી, જેના પછી તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. “એલ.કે. અડવાણીની સ્થિતિ સ્થિર છે. યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રિક મેડિસિન સહિત વિવિધ વિશેષતાઓના ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે,” એક સૂત્રએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર બન્યા બાદ ભાજપના તમામ નેતાઓ તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્રીજી વખત એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે શ્રી અડવાણીના આશીર્વાદ લેવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે સમયે તેમની તબિયત સારી હતી.





