
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ નિર્મલ યાદવને મોટી રાહત મળી છે. શનિવારે સીબીઆઈ કોર્ટે તેમને ૧૫ લાખ રૂપિયાના લાંચ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ અલકા મલિકે આ ચુકાદો આપ્યો છે. ઉપરાંત, આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે 2008ના ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ નિર્મલ યાદવને નિર્દોષ જાહેર કર્યા. ચંદીગઢના જિલ્લા કોર્ટ સંકુલમાં લંચ પછી જજ અલકા મલિકે પોતાનો ચુકાદો સંભળાવ્યો. તમને જણાવી દઈએ કે આ કેસમાં ચંદીગઢ પોલીસે 13 ઓગસ્ટ 2008ના રોજ FIR નોંધી હતી. આ મામલો ખૂબ જ સમાચારમાં રહ્યો હતો.