
બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા કેસી ત્યાગીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના લાંબા સમયથી સહયોગી અને જેડીયુના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી છે. જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી.
કેસી ત્યાગીએ કહ્યું જેડીયુ સભ્યપદ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. મેં આ વખતે મારું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી છોડવા છતાં, તેઓ તેમની જૂની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ દલિતો, ખેડૂતો અને મજૂરોના અધિકારો માટે લડતા રહેશે. તેમણે એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ઘણી ભૂતકાળની યાદો વાગોળી છે. તેમણે ૨૦૦૩ માં જ્યોર્જ ફનાર્ન્ડિસના સમયથી પાર્ટી સાથેના તેમના જાેડાણને યાદ કર્યું, અને નીતિશ કુમાર અને શરદ યાદવનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે ૨૨ માર્ચે દિલ્હીના માવલંકર હોલમાં તેમના સમર્થકો અને જૂના સાથીદારોની બેઠક બોલાવી છે, જ્યાં તેઓ તેમની ભાવિ રણનીતિ જાહેર કરશે. ત્યાગીએ કહ્યું કે પાર્ટી છોડ્યા પછી પણ તેમને નીતિશ કુમાર પ્રત્યે ખાસ આદર છે. તેમણે પોતાના પત્રમાં રામ મનોહર લોહિયા અને કર્પૂરી ઠાકુરનો પણ ઉલ્લેખ કર્યો છે.
ત્યાગીનું આગામી મુકામ ક્યાં હશે તે સ્પષ્ટ નથી. જાેકે, સૂત્રો કહે છે કે તેઓ હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય થવા માંગે છે અને ટૂંક સમયમાં કોઈ પાર્ટીમાં જાેડાઈ શકે છે. આ ઘટનાક્રમ રાજ્યસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી જ આવ્યો છે, જે ૧૬ માર્ચે જાહેર કરવામાં આવી હતી. બિહારમાં NDA એ પાંચેય બેઠકો જીતી હતી.




