Author: Garvi Gujarat

ઈતિહાસમાં પહેલીવાર જળથી કુંભાભિષેક થશે.સોમનાથ મંદિર ઉપર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે.ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે : સૂર્યકિરણ એર શો બતાવાશે . પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુન:નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. “સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી…

Read More

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે.સોમનાથ-વડોદરાનાં વિશેષ કાર્યક્રમોમાં પીએમ આપશે હાજરી.મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તથા પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને જનમેદનીને સંબોધિત પણ કરશે. ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૧૦ મેના રોજ મોડી રાત્રે જામનગરમાં રાત્રી રોકાણ કરશે. જે બાદ ૧૧ મેના રોજ સવારે…

Read More

૧૫% ડ્રાઈવરો ફેઈલ .મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ ૨૦ ટકા (૫૮૭ ડ્રાઈવરો) મરાઠીમાં વાતચીત કરવા સક્ષમ નહોતા. મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સેવાઓને સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા સાથે જાેડવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું છે. રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જાેઈએ તે હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનના હવે ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યા છે. મીરા-ભાઈંદરમાં હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જે બાદ હવે આ ઝુંબેશને સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવી છે. રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરતા પહેલા મીરા-ભાઈંદર વિસ્તારમાં ૨ એપ્રિલથી ૧ મે દરમિયાન એક પાયલોટ ડ્રાઈવ…

Read More

અગ્નિમિત્રા પોલ સહિત ૫ વિધાયકોએ પણ લીધા મંત્રીપદના થપથ.પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ.સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા : આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીએ આજે બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું. સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પ્રોટોકોલ મુજબ મમતા બેનર્જીને પણ સમારોહનું…

Read More

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે.ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! ૩ મહિનામાં બે ગુપ્ત બેઠક.ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જાેઈએ. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર…

Read More

સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ.મોતની અફવા ફેલાતાં શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી.શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે. શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે. મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન…

Read More

અક્ષયે છેલ્લે અનીસ બાઝમી સાથે કેરળમાં શૂટ પૂરું કર્યું.અક્ષય કુમારે વ્યસ્તતામાંથી આરોગ્યના કારણોસર બ્રેક લીધો હોવાની ચર્ચા.એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની આગામી ફેમિલી કોમેડી ફિલ્મનું શીડ્યુલ પૂર્ણ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંનો એક છે. વર્ષ ૨૦૨૬ની પોતાની પ્રથમ હિટ ફિલ્મ ભૂત બંગલા આપ્યા પછી અક્ષયે તરત જ દિગ્દર્શક અનીસ બઝમી સાથેની આગામી એન્ટરટેનર ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું. જાેકે, હવે અક્ષયે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો બ્રેક લીધો છે.આ અંગેના અહેવાલો મુજબ, અક્ષય કુમારે ૬ મેના રોજ મુંબઈમાં આંખોની સર્જરી કરાવી હતી. સર્જરી પછી તે થોડા સમય…

Read More

અંદાજે ૧૬૦૦ કરોડના ખર્ચે રામાયણ ફિલ્મ બે ભાગમાં બની રહી છે.યશે મુંબઈમાં ‘રામાયણ’ માટે સીતાનાં સ્વયંવરની સિક્વન્સનું શૂટિંગ શરૂ કર્યું.ફિલ્મ માટે રાજમહેલના આંગણાં, શાહી બાલ્કની, ફૂલોથી સજાવેલી રંગોળી અને પરંપરાગત શૈલીની વિશાળ સજાવટ કરાઈ. નિતેશ તિવારીની રામાયણ લાંબા સમયથી ચર્ચામાં છે, બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ હાલમાં ભારતીય સિનેમાના સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ માટે અંદાજે ૧૬૦૦ કરોડથી વધુનું ભવ્ય બજેટ ફાળવાયું છે, તેથી તેના વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે.ફિલ્મના હાલના શિડ્યુલ વિશે મળતી માહિતી મુજબ, યશ હાલમાં મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં રાવણ તરીકેના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો…

Read More

પ્રોડ્યુસર તરીકે શાહરુખ ડિરેક્ટરને પુરતી આઝાદી આપે છે.પ્રોડ્યુસર શાહરુખ ખાન ક્યારેય સેટ પર નથી આવતો : સૈફ અલી ખાન.શાહરુખ અને સૈફે ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ એવોર્ડ્સના કૉ-હોસ્ટ તરીકે પણ દર્શકોને મજા કરાવી હતી. શાહરુખ ખાને પોતાના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘ધ બાર્ડ ઓફ બ્લડ’ અને ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ જેવી અનેક ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હોવા ઉપરાંત શાહરુખ ખાન ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાં પણ સામેલ છે. તેનાં બેનર રેડ ચિલીઝ હેઠળ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને લોકપ્રિય વેબ સિરીઝ બની છે. હવે તેનાં બેનર…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વડોદરામાં ૨૦૨૫ માં ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકી શાંતિને પલીતો ચાંપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી સગીર હોવાનો ખુલાસો પણ થયો હતો. પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. વડોદરા માં ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત છ અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે પાંચ આરોપીની અરજી સ્વીકારી…

Read More