બ્રિક્સ દેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી : મોદી ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી : મોદી વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારા જરૂરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારો કરવો હવે જરૂરી છે. બ્રિક્સ દેશોએ એક થઇને નિર્ણાયક ભૂમિકામાં આવવું જાેઇએ તેમ મોદીએ કહ્યું હતું.
આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોદીની નજીક બેઠા હતા. મોદીએ કહ્યું હતું કે હાલમાં કેટલાક દેશોના હાથમાં જ ર્નિણયો વધુ જાેવા મળે છે. બીજી બાજુ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી, જેમાં સરહદનો મુદ્દો ઉઠાવાયો હતો. મોદીએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો માટે સરહદે શાંતિ સ્થાપિત કરવી અત્યંત જરૂરી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત અને ચીનેએકબીજા સાથેના મતભેદોને વિવાદનો મુદ્દો ના બનવા દેવો જાેઇએ. એકબીજાનું સન્માન જાળવવું પણ જરૂરી છે. જાે દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા હોય તો સરહદે શાંતિ જાળવવી પડશે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે બ્રિક્સ સંગઠને પોતાના કાર્યકાળના ૨૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે. હવે આ સંગઠન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે જ્યાં તેની જવાબદારી વધી જાય છે. તેથી બહુ જ સમજદારીથી આગળ વધવુ પડશે. બ્રિક્સ દેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી. પરંતુ તમામને સાથે લઇને ચાલવાનો છે. વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ગવર્નન્સ માટે ૧૦ મુદ્દાનો રોડમેપ પણ જાહેર કર્યો હતો. તમામ બ્રિક્સ દેશોના વડાઓની હાજરીમાં મોદીએ આ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે આજે બ્લોબલ સાઉથ વૈશ્વિક સંકટની સામે પ્રથમ હરોળમાં ઉભું છું પરંતુ ર્નિણયો લેવામાં છેલ્લી હરોળમાં છે. આપણે આ પિરામિડને બદલવાની જરૂર છે કે જેમાં આપણે ર્નિણયો લેવામાં અંતિમ હરોળમાં છીએ જ્યારે કેટલાક દેશો જ વૈશ્વિક ર્નિણયો લઇ રહ્યા છે જેના પરિણામો આપણે બ્રિક્સ દેશોએ ભોગવવા પડે છે. જે રોડ મેપ તૈયાર કરવામાં આવે તેમાં ત્રણ મહત્વના મુદ્દા રિપ્રેઝન્ટેશન, રિસ્પોન્સિવનેસ અને રુલ મેકિંગનો સમાવેશ કરવામાં આવે. આ વખતે બ્રિક્સ સમિટ ઐતિહાસિક છે કેમ કે આપણે બ્રિક્સની ૨૦મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છીએ. માનવ જીવનમાં ૨૦ની ઉંમર પરિપક્વતા અને નવી જવાબદારી લાવે છે.




