
સંરક્ષણ રાજ્યમંત્રી અનેક કંપનીઓ સાથે બેઠકો યોજાશેદુબઈ એર શોમાં IAF વિમાનો ધૂમ મચાવશેનર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત રસ દાખવશવાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ વિમાનમાં વિદેશી ખરીદદારો તરફથી મજબૂત રસની આશા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તેજસ અને સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ ેંછઈની વિનંતી પર મોકલવામાં આવી હતી. ભારતીય વાયુસેના આશરે ૨૦૦ તેજસ વિમાનો ખરીદી રહી છે,
વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વિદેશી ખરીદદારો દુબઈ એર શો ૨૦૨૫માં તેજસ હળવા લડાયક વિમાનમાં મજબૂત રસ દાખવશે.
આ એર શો ૧૭ થી ૨૧ નવેમ્બર દરમિયાન અલ મક્તૂમ એરપોર્ટ પર યોજાઈ રહ્યો છે. ઈન્ડિયા પેવેલિયન માં બોલતા, એર માર્શલ તિવારીએ જણાવ્યું હતું કે આ એર શોમાં ભારતની ભાગીદારી બંને દેશો વચ્ચે અનેક સ્તરે વધતા સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે.
તેણે સમજાવ્યું કે તેજસ અને સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમને UAEના અધિકારીઓની વિનંતી પર અહીં મોકલવામાં આવી હતી. અમારો તેમની સાથે વ્યૂહાત્મક અને સેવા સ્તરે ખૂબ સારો સહયોગ છે. તેજસે અગાઉ પણ અહીં મુલાકાત લીધી છે અને ભાગ લીધો છે. જાહેર રસ જબરદસ્ત હતો. અમને આશા છે કે આ વર્ષનું પ્રદર્શન ફક્ત સ્થાનિક વસ્તી જ નહીં પરંતુ મુલાકાતીઓની પણ ઉચ્ચ અપેક્ષાઓ પર ખરું ઉતરશે.
ડેપ્યુટી ચીફે કહ્યું કે ભારતીય વાયુસેના લગભગ ૨૦૦ તેજસ વિમાન ખરીદી રહી છે અને આટલી મોટી સંખ્યામાં વિમાનોની ભાગીદારી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક મજબૂત સંદેશ આપે છે. તેમને વિશ્વાસ છે કે આનાથી અહીં પણ નોંધપાત્ર રસ પેદા થશે.
દુબઈ એર શો દર બે વર્ષે યોજાય છે અને તેને વિશ્વની અગ્રણી એરોસ્પેસ ઇવેન્ટ્સમાંની એક ગણવામાં આવે છે. તેમાં ૧૫૦ દેશોના ૧,૫૦૦ થી વધુ પ્રદર્શકો અને ૧૪૮,૦૦૦ થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લે છે. ભાગ લેતી કંપનીઓમાં બોમ્બાર્ડિયર ડેસોલ્ટ એવિએશ , એમ્બ્રેર , થેલ્સ, એરબસ , લોકહીડ માર્ટિન અને કેલિડસ જેવી વૈશ્વિક ઉડ્ડયન કંપનીઓ છે.




