
SBI એ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત.આ ઘટાડા બાદ બેન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે.રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના ર્નિણય બાદ, દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક(SBI))એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ વ્યાજ દરોમાં૨૫ બેસિસ પોઈન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ ર્નિણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), (ઈમ્ન્ઇ), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(ઇન્ન્ઇ), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટ માં પણ ઘટાડો કરશે.
SBI દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ, બેન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર(EBLR) ૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે. આ નવા દરો ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, SBI એ ગ્રોથને ટેકો આપવા માટે ગયા સપ્તાહે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો, જેના પગલે SBI એ આ ર્નિણય લીધો છે.
જાે તમે ઈમ્ન્ઇ આધારિત ૩૦ લાખ સુધીની લોન ૨૦ વર્ષના સમયગાળા માટે લીધી છે અને હાલમાં વ્યાજ ૮% છે, તો તમારી EMI ૨૫,૦૯૩ હશે. હવે, ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, આ SBI ઘટીને ૨૪,૬૨૮ થઈ જશે.
દેશની અન્ય અગ્રણી બેન્ક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB) એ પણ ૧૫ ડિસેમ્બરથી તેના લોન દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOB તેના EBLR ને ૮.૩૫%થી ઘટાડીને ૮.૧૦% કર્યો છે, જે ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, બેન્કે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની તમામ અવધિ માટે MCLR માં પણ ૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો મંજૂર કર્યો છે.




