
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ નોઈડાના ફેઝ ૨માં કર્મચારીઓએ માત્ર રસ્તાઓ પર જ વિરોધ નહીં પરંતુ આગચંપી, પથ્થરમારો અને તોડફોડ કરી ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક કેન્દ્ર નોઈડામાં સોમવારે (૧૩ એપ્રિલ, ૨૦૨૬)ભારે હોબાળો મચી ગયો. ખાનગી કંપનીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ ભડક્યા હતા અને હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે.
નોઈડાના ફેઝ ૨ માં, કર્મચારીઓએ માત્ર રસ્તાઓ પર જ વિરોધ નહીં પરંતુ આગચંપી, પથ્થરમારો અને તોડફોડ દ્વારા પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. આશ્ચર્યજનક રીતે, રવિવારે રાત્રે વહીવટીતંત્ર અને સરકારે કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી હોવા છતાં આજે સવારે અશાંતિ વધુ વધી ગઈ.
રવિવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ઔદ્યોગિક પ્રતિનિધિઓ વચ્ચેની બેઠકમાં કામદારોના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે ઘણા સીમાચિહ્નરૂપ ર્નિણયો લેવામાં આવ્યા. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું કે કામદારોને વધારાના કામ માટે તેમના નિયમિત દરથી બમણું ચૂકવવામાં આવશે અને આ રકમમાં કોઈપણ ઘટાડો ગુનો ગણવામાં આવશે. કર્મચારીઓ માટે દર મહિનાની ૧૦ મી તારીખ સુધીમાં તેમના પગાર એકસાથે મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કામદારોને તેમના પગાર સાથે પગાર સ્લિપ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે જેથી કામદારો તેમની કપાત સમજી શકે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ૩૦ નવેમ્બર સુધીમાં તમામ પાત્ર કામદારોના બેંક ખાતામાં બોનસની રકમ જમા કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
પ્રશાસન તરફથી ખાતરી આપવામાં આવી હોવા છતાં સોમવારે વિરોધનો વ્યાપ વધ્યો. નોઈડાના ફેઝ ૨ અને ઇકોટેક થર્ડ (ઉદ્યોગિક વિહાર) વિસ્તારોની આશરે ૫૦૦ કંપનીઓના કર્મચારીઓ પ્રદર્શનમાં જાેડાયા. વિરોધ કરી રહેલા કામદારો કહે છે કે તેમની મુખ્ય માંગણીઓ પર અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમની મુખ્ય માંગણીઓ છે:
લઘુત્તમ વેતનમાં વધારો – કામદારોની પ્રાથમિક માંગણી તેમના લઘુત્તમ વેતનને દર મહિને રૂ.૨૬,૦૦૦ સુધી વધારવાની છે.
કામના કલાકો નક્કી કરવા – કામના કલાકો નક્કી કરવા જાેઈએ અને ૮ કલાકથી વધુ કામ કરવા માટે તેમના પર કોઈ વધારાનું દબાણ ન મૂકવું જાેઈએ.
સાપ્તાહિક રજા – દરેક કર્મચારીને અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત રજાની ખાતરી આપવી જાેઈએ.
કામદારોનો આરોપ છે કે તેમને માત્ર રૂ.૫૦૦ થી રૂ.૭૦૦ સુધીનું દૈનિક વેતન મળે છે, જે વર્તમાન મોંઘવારીના વાતાવરણમાં ટકી રહેવા માટે પૂરતું નથી.
શ્રમ કાયદાઓનો કડક અમલ – કંપનીઓએ ૧૦-૧૨ કલાક કામ કરવાની અને બોનસ ન આપવાની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.





