
રોહિત પવારે કર્યો મોટો દાવો શિવસેના UBT દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે શિવસેના (UBT)માં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેમાંથી ૮૫ કરોડ રોકડા અને ફંડથી ૨૫ કરોડ આપવાના છે.
તેમણે કહ્યું કે, ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન ટાઈગર નહીં પણ આ ઓપરેશન બજાર છે. રોહિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભાજપ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. દિલ્હીવાળા એકનાથ શિંદેને મજબૂત કરી રહ્યા છે. ઓપરેશન તુતારી કોઈ પણ કિંમત નહીં હોય. અમારા તમામ ૮ લોકસભા સાંસદ અમારી સાથે છે. જાે કોઈ ગયું તો પણ અમે એટલે કે જનતા તેમને જાેઈ લેશે.
બીજી તરફ શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નવ લોકસભા સાંસદોમાંથી છ ગુરુવારે નવી દિલ્હીમાં થયેલી તેમની સંસદીય બોર્ડની બેઠકમાં સામેલ થયા નહોતા, જેનાથી પાર્ટીમાં વિભાજનના સંકેત સ્પષ્ટ થઈ ગયા છે અને ગેરહાજર સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત થઈ ગઈ છે.
શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે બેઠકમાં સામેલ થયા હતા. પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ બેઠકમાં હતા. બાકીના છ સાંસદોની ગેરહાજરીએ પાર્ટીના સંસદીય બોર્ડમાં વિભાજનની લગભગ પુષ્ટિ કરી દીધી છે. બેઠકમાં સામેલ થનારા સાંસદ નાગેશ આષ્ટીકર, સંજય દેશમુખ અને સંજય જાધવ, સંજય દીના પાટિલ, ઓમપ્રકાશ રાજેનિંબાલકર અને ભાઉસાહેબ વાકચૌરે છે.
સૂત્રો અનુસાર, શિંદે મંગળવાર મોડી રાતે દિલ્હી પહોંચ્યા અને બુધવારે મુંબઈ પરત ફર્યા. અવિભાજિત શિવસેનામાં ૨૦૨૨માં થયેલા વિભાજનના મુખ્ય સૂત્રધાર એકનાથ શિંદે હતા. તે વિભાજનના કારણે મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ. સાવંત, દેસાઈ અને રાઉતે બુધવારે બિરસા સાથે મુલાકાત કરી તેમને કોઈ પણ ગેરકાનૂની પક્ષ-પલટાને રોકવાનો આગ્રહ કર્યો હતો.
દેસાઈએ કહ્યું હતું, કાયદા અંતર્ગત બે-તૃતિયાંશ સાંસદોનું સમર્થન હોવા પર કોઈ પણ સમૂહ સીધા કોઈ અન્ય પાર્ટીમાં વિલય નથી કરી શકતા. કોઈ સમૂહ પાસે જરુરી બે-તૃતિયાંશ બહુમત હોવા પર ખાલી મૂળ રાજનીતિક દળનો વિલય થઈ શકે છે.





