શું પ્લેઇંગ ૧૧ માંથી થશે આઉટ? ઇંગ્લેન્ડ સામે ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત ૨ મેચમાં ફ્લોપ સંજુ સેમસનની વાપસીની અટકળો તેજ, પરંતુ ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીને વધુ તકો આપે તેવી પૂરી સંભાવના શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતને ૧૨૫ રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.
આ નિરાશાજનક પ્રદર્શન વચ્ચે સૌથી વધુ ચર્ચા ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. ઇંગ્લેન્ડ સામે સતત ૨ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તેને પ્લેઇંગ ૧૧ માંથી બહાર કરવામાં આવશે અને સંજુ સેમસન ઓપનિંગમાં પર૨ત ફરશે?
ક્રિકેટ ચાહકો ટીમ ઇન્ડિયામાં વૈભવના ડેબ્યૂની ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. નોંધનીય છે કે, સંજુ સેમસન જેવા સિનિયર ખેલાડીની જગ્યાએ વૈભવને ટીમમાં સામેલ કરી ઇનિંગની શરૂઆત કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ, આ યુવા ખેલાડી પોતાની પહેલી મેચમાં માત્ર ૧૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ, નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં અને ૫ બોલમાં ૨ આકર્ષક છગ્ગા ફટકારીને માત્ર ૧૩ રન જ બનાવી શક્યો. સતત બે નિષ્ફળતાઓ બાદ હવે એવી દલીલ થઈ રહી છે કે શું આટલી નાની ઉંમરે તેનું ડેબ્યૂ કરાવવું એ ઉતાવળિયો ર્નિણય હતો?
આ પરિસ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે શું ટીમ મેનેજમેન્ટ આગામી મેચમાં ફરીથી સંજુ સેમસન પાસે ઇનિંગની શરૂઆત કરાવશે? ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહેલા આયર્લેન્ડ સામે પણ ૨-૦ થી સિરીઝ હારી ચૂકી છે અને ઇંગ્લેન્ડ સામે પણ હજુ જીતનું ખાતું ખોલાવી શકી નથી.
આમ છતાં, એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ વૈભવને પ્લેઇંગ ૧૧ માંથી પડતો મૂકવાની ઉતાવળ નહીં કરે. વૈભવે ભલે ટૂંકી ઇનિંગ્સ રમી હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગથી દુનિયા પરિચિત છે અને ક્રિઝ પર હતો ત્યાં સુધી તેણે બોલરોમાં ડરનો માહોલ ચોક્કસ ઊભો કર્યો હતો. આથી મેનેજમેન્ટ તેને પોતાની સાબિતી આપવા માટે પૂરતો સમય આપી શકે છે. બીજી તરફ, તિલક વર્મા પણ સતત ફ્લોપ રહ્યો હોવાથી સંજુ સેમસનને તેની જગ્યાએ મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે.
મેચના પરિણામની વાત કરીએ તો, ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની શાનદાર અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૧ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને આખી ટીમ ૧૧.૪ ઓવરમાં માત્ર ૭૬ રનના નજીવા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન બેટિંગ ઓર્ડરને લઈને પણ વિવાદ જાેવા મળ્યો હતો, જેમાં શિવમ દુબે પહેલા હર્ષિત રાણાને બેટિંગમાં મોકલવાના ર્નિણયથી કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો કેપ્ટન શ્રેયસ ઐયર અને કોચ ગૌતમ ગંભીર પર નારાજ જાેવા મળ્યા હતા.





