
પીએમ મોદીના ગામ વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો મળી આવ્યા છે. આ અંગે આઈઆઈડી ખડગપુરના જીઓલોજી અને જીઓફિઝિક્સના પ્રોફેસર ડો.અનિંદ્ય સરકારે જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી વડનગરમાં ASI સાથે કામ કરી રહ્યા છીએ. અમને એક બહુ જૂના બૌદ્ધ મઠ વિશે ખબર પડી.

ASI 2016થી આના પર કામ કરી રહ્યું છે. સ્થળ પર 20 મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેમણે કહ્યું કે સાત સાંસ્કૃતિક સ્તરો શોધી કાઢવામાં આવ્યા છે, જે 2800 વર્ષ અને 800 બીસીના સૌથી જૂના છે.
પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી વડનગરમાં ખોદકામ ચાલુ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતા જોઈને લાગે છે કે અહીંની જળ વ્યવસ્થાપન વ્યવસ્થા અને પાણીનું સ્તર સારું રહ્યું હશે. વડનગરમાં અત્યાર સુધીમાં 30 જેટલી જગ્યાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે. સાઇટ પરથી મળેલા પુરાવા સૂચવે છે કે અહીં ઘણા ધર્મોના લોકો ખૂબ જ સુમેળમાં રહેતા હતા.
