
નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ આયોજિત વિદાય સમારોહમાં તેમણે કહ્યું, “બુલડોઝર ન્યાય એ કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આયોજિત વિદાય સમારોહમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી. રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના ર્નિણયો પર ખુલીને વાત કરી શકે છે.
CJI ગવઈએ બુલડોઝર ન્યાય વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ ર્નિણય ગણાવ્યો. તેમણે કહ્યું, “બુલડોઝર ન્યાય એ કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ લાગવાને કારણે તેનું ઘર કેવી રીતે તોડી શકાય? તેના પરિવાર અને માતા-પિતાનો શું દોષ છે? આશ્રયનો અધિકાર એ એક મૌલિક અધિકાર છે.” તેમણે ઉમેર્યું કે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાર્યપાલિકા (સરકાર) એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી શકે નહીં.
તેમણે પોતાનો બીજાે સૌથી મહત્વપૂર્ણ ચુકાદો STs (અનુસૂચિત જાતિ) અને જી્જ (અનુસૂચિત જનજાતિ) માટે નોકરીમાં અનામતનો લાભ આપવા માટે ઉપ-વર્ગીકરણને મંજૂરી આપવાનો ગણાવ્યો. તેમણે કહ્યું, “એ કલ્પના કરવી મુશ્કેલ છે કે એક મુખ્ય સચિવના બાળકોની સરખામણી એક ખેતમજૂરના બાળકો સાથે કેવી રીતે થઈ શકે, જેની પાસે શિક્ષણ કે સંસાધનો સુધી કોઈ પહોંચ નથી.” તેમણે બાબાસાહેબ આંબેડકરને ટાંકીને કહ્યું કે સમાનતાનો અર્થ બધા સાથે સમાન વ્યવહાર કરવો એ નથી, કારણ કે તેનાથી વધુ અસમાનતા પેદા થશે.
ઝ્રત્નૈં ગવઈએ કહ્યું કે તેમણે ઝ્રત્નૈં-કેન્દ્રિત હોવાની પરંપરાગત ધારણાથી પોતાને દૂર રાખ્યા અને સંસ્થા સંબંધિત ર્નિણયો લેતા પહેલા હંમેશા તેમના સાથીદારો સાથે સલાહ-મસલત કરી. તેમણે પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન ઉચ્ચ ન્યાયાલયોમાં ૧૦૭ ન્યાયાધીશોની નિયુક્તિનો ઉલ્લેખ કર્યો. જાેકે, તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જસ્ટિસ વિપુલ એમ. પંચોલીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવાના કોલેજિયમના ર્નિણયનો જસ્ટિસ બી.વી. નાગરત્નાએ વિરોધ કરતો એક લાંબો પત્ર લખ્યો હતો.




