
ભાડા વધારાની ચીમકી.ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ.નવા નિયમો મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં.જાે તમે અવારનવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જાેકે, ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ આ ર્નિણયનો સખત વિરોધ કર્યો છે.
અત્યાર સુધી એરલાઇન્સ માત્ર ૨૦% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની ૮૦% સીટો ‘પ્રેફર્ડ સીટ‘ના નામે ૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા સુધીના વધારાના ચાર્જ સાથે વેચવામાં આવતી હતી. જાે કે હવેથી ૬૦% સીટો પર કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર બુકિંગ કરી શકાશે. એક જ PNR પર બુકિંગ કરાવનાર પરિવાર કે મિત્રોને ફરજિયાત સાથે અથવા આસપાસની સીટ આપવી પડશે. પાલતુ પ્રાણીઓ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ લઈ જવા માટેના નિયમો વધુ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ‘ (FIA) એ આ ર્નિણયને પાછો ખેંચવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે “આ ર્નિણયથી એરલાઇન્સની આર્થિક સ્થિતિ પર માઠી અસર થશે. સીટ પસંદગીનો ચાર્જ અમારી કમાણીનો મહત્વનો ભાગ છે. જાે આ બંધ થશે, તો અમારે તેની ભરપાઈ કરવા માટે હવાઈ ભાડા (Airfare) માં વધારો કરવો પડશે.”
એરલાઇન્સ ખૂબ ઓછા નફા પર ચાલે છે, તેથી વધારાની સેવાઓથી થતી કમાણી અનિવાર્ય છે. ફ્યુઅલ, મેન્ટેનન્સ અને એરપોર્ટ ચાર્જ સતત વધી રહ્યા છે. કિંમતો નક્કી કરવાની કંપનીની આઝાદી પર આ તરાપ છે. સરકારે આટલો મોટો ર્નિણય લેતા પહેલા કોઈ એરલાઇન્સ સાથે ચર્ચા કરી નથી.
સરકારનો હેતુ મુસાફરીને સસ્તી અને સુવિધાજનક બનાવવાનો છે, પરંતુ જાે એરલાઇન્સ બેઝ ભાડામાં વધારો કરશે, તો મુસાફરોને મળનારી રાહત માત્ર કાગળ પર રહી શકે છે. હવે જાેવાનું એ રહેશે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એરલાઇન્સની માંગ સામે ઝુકે છે કે મુસાફરોના હિતમાં અડગ રહે છે.




