
ઇઝરાયેલ-ઈરાન બંનેને આપી કડક ચેતવણી લેબનનમાં નિર્દોષોના મોત પર ભારત લાલચોળ સીઝફાયરની જાહેરાતના તરત જ બાદ ઇઝરાયેલે ખૂબ જ ભયાનક હુમલો કર્યો જેમા અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા નવી દિલ્હી: ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે અને તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જાેઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આયોજિત આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ભારત, લેબનનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે, ભારત, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન UNIFIL સૈનિકોનું યોગદાન આપનારો દેશ છે અને લેબનનની શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે.
જાયસવાલે કહ્યું, “નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન અને દેશોની સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાનું સન્માન અત્યંત આવશ્યક છે.” તેમણે એમ પણ જણાવ્યું કે, લેબનનમાં ભારતીય દૂતાવાસ ત્યાં રહી રહેલા ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને તેમની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં લેબનનમાં આશરે ૧,૦૦૦ ભારતીય નાગરિકો હાજર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ લાગુ થયું છે અને શાંતિ વાર્તા શનિવારથી શરૂ થવાની છે. જાેકે, ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે, આ યુદ્ધવિરામ લેબનનમાં તેની સૈન્ય કાર્યવાહી પર લાગુ પડતો નથી.
આ દરમિયાન, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ૮ એપ્રિલે અમેરિકાના ઈરાન પર હુમલા રોકવાના ર્નિણયનું સમર્થન કર્યું, પરંતુ કહ્યું કે, આ કામચલાઉ સમજૂતી લેબનનમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનોને સામેલ કરતી નથી. યુદ્ધવિરામની જાહેરાતના થોડા જ કલાકો બાદ ઇઝરાયેલે દાવો કર્યો કે, તેણે લેબનનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર મોટા પાયે હુમલો કરતા ૧૦ મિનિટમાં ૧૦૦ લક્ષ્યાંકોને નિશાન બનાવ્યા. વડાપ્રધાન નેતન્યાહુએ ફરી કહ્યું કે, લેબનન આ સીઝફાયરનો ભાગ નથી.
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે કહ્યું કે, ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી ગઈ છે, પરંતુ હિઝબુલ્લાહના જાેખમના જવાબમાં ઇઝરાયેલ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે. બીજી તરફ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું કે, તેણે ઈરાન વિરુદ્ધ અભિયાન રોકી દીધું છે, પરંતુ લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચોક્કસ ગ્રાઉન્ડ એક્શન ચાલુ છે. IDF એ કહ્યું કે, તે દરેક મોરચે પોતાની સુરક્ષા માટે કાર્યવાહી કરતું રહેશે.





