
કાલે વિધાનસભામાં ચર્ચા.હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ.વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે.હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ તરફથી નાયબ સૈની સરકાર વિરુદ્ધ લવાયેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને હવે સત્તાવાર રીતે સ્વીકારી લેવાઈ છે. વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે. આ સાથે જ એ નક્કી કરાયું છે કે આવતીકાલે એટલે કે શુક્રવારે વિધાનસભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે.
આ પગલું કોંગ્રેસ તરફથી રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધને લઈને ઉઠાવાયું છે. વિપક્ષી દળ કોંગ્રેસે હાલની સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર ગંભીર વાંધો દર્શાવ્યો છે અને તેમણે કારણ બતાવતા અવિશ્વાસ પ્રસ્તાવ રાખ્યો છે. આ અગાઉ કોંગ્રેસ અનેક વખત સરકારની ટીકા કરી હતી, પરંતુ હવે આ સત્તાવાર રીતે વિધાનસભામાં ચર્ચા માટે રજૂ કરાયું.
સ્પીકર દ્વારા આ પ્રસ્તાવનો સ્વીકાર કરાયા બાદ રાજ્યની રાજનીતિક સ્થિતિમાં તણાવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વિધાનસભામાં આ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા થશે, જેમાં બંને પક્ષ પોત-પોતાની દલીલો રજૂ કરશે.
ત્યારબાદ મતદાનના પરિણામથી એ સ્પષ્ટ થઈ જશે કે હાલની સરકારને વિધાનસભામાં સમર્થન મળશે કે નહીં. રાજ્યની રાજનીતિમાં આ એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે, કારણ કે અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહના દરેક સભ્યોના અવિશ્વાસની પરીક્ષા થાય છે.
ત્યારે, સૈની સરકાર અને તેના સમર્થકો વિપક્ષના આ પગલાને રાજકીય દ્રષ્ટિકોણથી જાેઈ રહ્યા છે. સરકારે આ પ્રસ્તાવને માત્ર રાજકીય દાવપેચ ગણાવીને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તે વિધાનસભામાં તેનો મજબૂતીથી સામનો કરશે. ૨૦૨૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત જીત મેળવી. ૯૦ બેઠકવાળા રાજ્યમાં ભાજપે ૪૮, કોંગ્રેસે ૩૭, ઇન્ડિયન નેશનલ લોકદળે ૨ અને અપક્ષોએ ૩ બેઠકો જીતી હતી.




