
અમદાવાદ – રાજસ્થાનના ગઢ સિવાના નગરના પ્રવાસી જૈનોના સંગઠન સિવાના સેવા સમિતિએ રવિવાર (21 ડિસેમ્બર, 2025) ના રોજ ગાંધીનગરમાં કોબા તીર્થ સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે તેનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયો હતો. સિવાના પ્રવાસી ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમિતિના ઉપપ્રમુખ મુકેશ આર. કંકુચૌપડા જણાવ્યું હતું કે સૌપ્રથમ મહાવીર સ્વામીજીના ચિત્રપટ સામે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કાર્યક્રમના ખાસ મહેમાનો શ્રી રાજન સુશ્રા (આઈપીએસ, ડીઆઈજીપી ગુજરાત પોલીસ), ધારાસભ્ય હમીરસિંહ ભાયલ સિવાના વિધાનસભા, બાબુલાલ તાતેડ – કોષાધ્યક્ષ ચંપાવાડી સિવાના, હર્ષલ બાગરેચા (સ્થાપક અને સીઈઓ એલ્સનર ટેકનોલોજી પ્રા. લિ.), સ્નેહમિલનના લાભાર્થી મહેન્દ્ર ચંપાલાલજી છાજેડ, સિવાના સેવા સમિતિ અમદાવાદના પ્રમુખ દિલીપ બાગરેચા, નિવર્તમાન પ્રમુખ: અમિત બાલડ, સચિવ કીર્તિ બાગરેચા સ્નેહમિલન સંયોજક: મનીષ મહેતાએ દીપ પ્રગટાવી મંચ પર સ્થાન મેળવ્યું હતું અને સંગીતકાર ઝરણા વોરાએ નમસ્કાર મહામંત્રથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
સંસ્થા ના પ્રમુખ દિલીપ બાગરેચાએ સ્વાગત પ્રવચન દરમિયાન તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ, બધા મહેમાનો અને સ્નેહમિલન સમારોહ ના લાભાર્થી શ્રીમતી રિટાદેવી મહેન્દ્ર કુમાર ચંપાલાલજી છાજેડ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લાભાર્થી મહેન્દ્ર કુમાર છાજેડ, છેલ્લા 15 વર્ષથી શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વેતાંબર ટ્રસ્ટ મંડળ, ઉમ્મેદપુરાના મહામંત્રી, શ્રી ચંપાવાડી ટ્રસ્ટ, ગઢ સિવાનાના ટ્રસ્ટી, અખિલ ભારતીય છાજેડ પરિવાર-બિરામી, જોધપુર ટ્રસ્ટના સહ-સચિવ, જહાજ મંદિર માંડવલાના ટ્રસ્ટી અને હાલમાં ભાજપ રાજસ્થાનના પ્રવાસી પ્રકોષ્ઠના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. રીટાદેવી છાજેડ માતૃભૂમિ સિવાનામાં ભાજપ તરફથી જૈન સમુદાયના પ્રથમ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કાર્યક્રમ દરમિયાન, ખાસ મહેમાન રાજન સુશ્રાએ તમામ માતાપિતાને તેમના બાળકો સાથે સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કર્યા અને વિવિધ વિકાસ કાર્યોમાં જૈન સમુદાયના સમર્થનની પ્રશંસા કરી. સિવાના ધારાસભ્ય હમીર સિંહ ભાયલ રાજસ્થાન તેમજ સિવાનામાં વિકાસ યોજનાઓ વિશે માહિતી જાહેર કરી, અને પચપદ્રા રિફાઇનરી વિશે પણ માહિતી આપી. બાબુલાલ તાતેડ જૈન સમુદાયને આગળ વધવા અને શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે માટે કાર્ય કરવામાં પ્રોત્સાહિત કર્યા. હર્ષલ બાગરેચા હાલમાં ઉપલબ્ધ વિવિધ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્જનાત્મક કાર્યને પ્રોત્સાહન આપ્યું અને સમય સાથે તાલમેલ રાખવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું. લાભાર્થી મહેન્દ્ર છાજેડ આ સ્નેહમિલન આયોજન કરવાની તક આપવા બદલ સમિતિનો આભાર માન્યો અને ધારાસભ્યને તેમના વતન, સિવાનાને રેલ્વે લાઇન સાથે જોડવાની અપીલ કરી.
નિવર્તમાન પ્રમુખ અમિત બાલડ સંસ્થાની પ્રગતિ કર્યો પર પ્રકાશ પાડ્યો. ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ શ્રીશ્રીમાલ આગામી માર્ચ મહિના મા ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે માહિતી આપીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા. સ્નેહમિલન સંયોજક મનીષ મહેતાએ પણ સભાને સંબોધન કર્યું, કાર્યક્રમની સફળતામાં સહયોગ આપનારા તમામ સભ્યો અને સહ-સંયોજકો કમલેશ બાગરેચા અને વિમલ બાગરેચાનો આભાર માન્યો અને સંયોજક તરીકેની તેમની જવાબદારી બદલ સમિતિનો આભાર માન્યો. કાર્યક્રમનું સુંદર સંચાલન મુકેશ આર. ચોપડા, નિખિલ કાનુંગા અને વીણા કાનુંગાદ્વારા કરવામાં આવ્યું હતું.
અંતે, સચિવ કીર્તિ બાગરેચાએ દરેકનો આભાર માન્યો.




