
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો ર્નિણય.આવાસ યોજનામાં વન ટાઈમ રાહત યોજના જાહેર.મુખ્યમંત્રીના આ ર્નિણયથી ૯ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂ. ૧૫૪ કરોડની દંડનીય વ્યાજમાંથી રાહત મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી ર્નિણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે, પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે.
મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે, આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ ૬ મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને one time વ્યાજ માફીની યોજના અન્વયે ૨%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ર્નિણયથી અંદાજે ૯૦૨૯ જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ ૧૫૪ કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને માથે પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિત લક્ષી ર્નિણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબીજનો સાકાર કરી શકશે.




