
અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબતઅમદાવાદના અટલ બ્રિજની ૩ વર્ષમાં ૭૮ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાતઅટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છેભારતના પહેલા હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમીટેડ (જીઇહ્લડ્ઢઝ્રન્) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધીના સમયમાં કુલ ૭૭,૭૧,૨૬૯ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૭.૭૦ કરોડ રૂપિયાથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે.
ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.
જીઇહ્લડ્ઢઝ્રન્એ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (છસ્ઝ્ર)ની કંપની છે અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. જીઇહ્લડ્ઢઝ્રન્ દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, ૩૧મી ઓગસ્ટ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૨૧.૬૨ લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ૬.૪૪ કરોડ રૂપિયા આવક થઇ હતી.
એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ૨૬.૮૯ લાખ મુલાકાતીઓ થકી ૮.૨૪ કરોડ રૂપિયાની તેમજ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ૨૦.૬૭ લાખ મુલાકાતીઓ થકી ૮.૧૯ કરોડ રૂપિયાની આવક થઈ હતી. એપ્રિલ ૨૦૨૫થી ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં ૮.૫૧ લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ૪.૮૨ કરોડ રૂપિયાની આવક થઈ છે.




