
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ૨૯ એપ્રિલે ભવાનીપૂર માટે મતદાન થશે. બેનરજીના સંદેશને રાજયના પ્રભાવશાળી વેપારી અને વ્યાવસાયિક સમુદાયોમાં સમર્થન એકત્ર કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. ત્યારે રાજસ્થાન દિવસ નિમિત્તે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં રાજસ્થાની અને મારવાડી સમુદાયોનો સંપર્ક કર્યો અને તેમને “બંગાળી પરિવાર” નો અભિન્ન ભાગ ગણાવ્યા અને રાજયના વિકાસમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બેનરજીએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં રાજસ્થાની અને મારવાડી સમુદાયોના યોગદાનથી રાજયના વિકાસમાં નોંધપાત્ર મદદ મળી છે. તેમણે તેમને ખાતરી આપી કે તેમની સરકાર તેમની સતત પ્રગતિ માટે “શાંતિ, આનંદ અને સંવાદિતા” નું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્ધ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ સંપર્ક શરૂ થયો છે. રાજકીય નિરીક્ષકો આ સંદેશને બિન-બંગાળી ભાષી સમુદાયો ખાસ કરીને મારવાડીઓ અને રાજસ્થાનીઓ જેઓ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપતા રહ્યા છે. તેમને જોડવાના વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જુએ છે.
વિશ્લેષકો નિર્દેશ કરે છે કે, દક્ષિણ કોલકાતા ના ભવાનીપૂર જેવા મતવિસ્તારમાં આવા સંદેશાનું મહત્વ વધુ છે. જ્યાં મતદારોનો મોટો ભાગ ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને મારવાડીઓ સહિત બિન-બંગાળી ભાષી હિન્દુઓ છે. આ જૂથો ને ઘણીવાર ભાજપ માટે મુખ્ય સમર્થન આધાર તરીકે જોવામાં આવે છે. ભવાનીપૂર, જ્યાં બેનરજી ચૂંટણી લડી રહ્યા છે. તે આ ચૂંટણીમાં સૌથી હાઈ-પ્રોફાઇલ બેઠકોમાની એક છે. તેમને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જે નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે.





