
કુવૈતી મીડિયાએ હુમલાની કરી પુષ્ટી મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારાં, કુવૈત પર ઈરાન તરફથી મિસાઈલ-ડ્રોન એટેક હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો છે. આ અણધાર્યા હુમલા બાદ કુવૈતની સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.કુવૈત ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. કુવૈતી સેનાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરી દીધી છે, જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ ‘સેલ્ફ-ડિફેન્સ’ (સ્વ-બચાવ) હેઠળ ઈરાન પર મર્યાદિત એરસ્ટ્રાઈક કરી છે. શનિવાર અને રવિવાર દરમિયાન કરાયેલા આ હુમલામાં અમેરિકન ફાઈટર એરક્રાફ્ટે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને નષ્ટ કરી દીધા છે. ઈરાનના ગોરુક વિસ્તાર અને કેશ્મ દ્વીપ પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે.બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા નિષ્ફળ જતાં ઈઝરાયલે પણ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તીવ્ર કરી દીધા છે. રવિવારે ઈઝરાયલ દ્વારા લેબનાન પર કરાયેલા જાેરદાર હુમલામાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હોવાના અહેવાલ છે. આ તરફ લેબનાનમાં તણાવ ઘટાડવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ ઔન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે રાજદ્વારી વાતચીત કરી છે.અમેરિકાએ પ્રસ્તાવ મૂક્યો છે કે, પ્રથમ તબક્કામાં હિઝબુલ્લાહ ઈઝરાયલ પરના તમામ હુમલા બંધ કરે અને તેના બદલામાં ઈઝરાયલ બેરૂતમાં તણાવ વધારવાનું બંધ રાખે. લેબેનોનના રાષ્ટ્રપતિ આ પ્રસ્તાવ માટે તૈયાર હતા, પરંતુ લેબેનોનની સંસદના અધ્યક્ષ નબીહ બેરીએ પહેલા ઈઝરાયલ પર હુમલા રોકવાનું દબાણ ઊભું કર્યું છે, જેના કારણે રાજદ્વારી ગતિરોધ હજુ યથાવત છે.





