
Japanese Navy Helicopters: જાપાનમાં પ્રશિક્ષણ પ્રેક્ટિસ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર પ્રશાંત મહાસાગરમાં ક્રેશ થયા હતા. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા.
આઠ લોકો મૃત્યુ પામ્યા
આ ઘટના અંગે માહિતી આપતા જાપાનના રક્ષા મંત્રી મિનોરુ કિહારાએ જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે તેરીશિમા દ્વીપ પાસે બે SS-60 હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. દરેક હેલિકોપ્ટરમાં ચાર લોકો હતા. આઠ ક્રૂમાંથી એકને પાણીમાંથી ખેંચી લેવામાં આવ્યો હતો. દરમિયાન, અધિકારીઓ હજુ પણ અન્ય સાતને શોધી રહ્યા છે.
અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે
તમને જણાવી દઈએ કે SH-60K એરક્રાફ્ટ સામાન્ય રીતે એન્ટી સબમરીન ઓપરેશન માટે ડિસ્ટ્રોયર પર તૈનાત હોય છે. જાપાનના NHK પબ્લિક ટેલિવિઝનએ જણાવ્યું હતું કે શનિવારના ક્રેશ સમયે આ વિસ્તારમાં હવામાન અંગેની કોઈ સલાહ આપવામાં આવી ન હતી.
નોંધનીય છે કે આ દુર્ઘટનાનું કારણ શું છે તેની માહિતી સામે આવી નથી. જાન્યુઆરી 2022 માં, એક એર સેલ્ફ-ડિફેન્સ F-15 ફાઇટર જેટ જાપાનના ઉત્તર-મધ્ય કિનારે ક્રેશ થયું, જેમાં બે ક્રૂના મોત થયા.
તાલીમમાં માત્ર જાપાનીઝ નેવી સામેલ છે
કિહારાએ જણાવ્યું હતું કે સિકોર્સ્કી દ્વારા ડિઝાઇન કરાયેલ અને સીહોક તરીકે ઓળખાતા ટ્વીન-એન્જિન મલ્ટી-મિશન એરક્રાફ્ટ રાત્રે પાણીમાં સબમરીન વિરોધી તાલીમ પર હતા. શનિવારે રાત્રે 10:38 વાગ્યે એકનો સંપર્ક તૂટી ગયો. લગભગ 25 મિનિટ પછી બીજા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
એક નાગાસાકીના એર બેઝનો હતો અને બીજો ટોકુશિમા પ્રીફેક્ચરના બેઝનો હતો. અધિકારીઓએ એ પણ માહિતી આપી હતી કે શનિવારની તાલીમમાં માત્ર જાપાની નૌકાદળ સામેલ છે અને તે કોઈપણ બહુરાષ્ટ્રીય કવાયતનો ભાગ નથી.
