
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હંગામો થયો હતો. લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોર્ટના આદેશ પર ASIની ટીમ સર્વે માટે સંભલની જામા મસ્જિદ પહોંચી હતી. ટીમને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન મહિલાઓએ ઘરની છત પરથી પથ્થરમારો કર્યો અને બદમાશોએ જમીન પર આગ લગાવી દીધી. જેના પર પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ હંગામામાં એસપી સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને 3 લોકોના મોત થયા હતા.