
પુજારાની પત્નિ પુજાએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો.ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વરનું કરિયર સુપરસ્ટાર શાહરૂખે બચાવ્યું હતું.૨૦૦૯ની આઈપીએલમાં શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા પુજારાને ખરીદવામાં આવ્યો હતોભારતીય ટેસ્ટ ટીમની ’નવી દિવાલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જાેખમમાં મુકાઈ ગયું હતું. જાે કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે કે, આ ઘટના ૨૦૦૯ની છે, જ્યારે પૂજારા હજુ ભારતીય ટીમમાં જાેડાયો ન હતો અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો.
તેને શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR ) દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને તે IPLન્માં ડેબ્યૂ કરવા માટે તૈયાર હતો. KKR એ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવાનું વચન પણ આપ્યું હતું. જાે કે, પ્રેક્ટિસ દરમિયાન તેને ઘૂંટણની ગંભીર ઈજા થઈ, જેના કારણે તેની ક્રિકેટ કરિયર સંકટમાં મુકાઈ ગઈ.પૂજારાની પત્ની પૂજાએ પુસ્તકમાં લખ્યું છે કે ઈજાના સમાચાર મળતા જ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે તરત જ જવાબદારી લીધી હતી અને પૂજારાના ઈલાજ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. ફ્રેન્ચાઇઝીએ પૂજારાની ઈજાના તમામ ખર્ચાઓ ઉઠાવવાનો ર્નિણય કર્યાે હતો.KKR એ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પૂજારાની તાત્કાલિક સર્જરીની વ્યવસ્થા કરી, જે તેના માટે શ્રેષ્ઠ ગણાતી હતી.આ ગંભીર ઈજામાંથી બહાર આવ્યા બાદ, પૂજારાએ ભારતની ટેસ્ટ ટીમમાં રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળ્યું અને વર્ષાે સુધી નંબર ૩ પર મુખ્ય બેટ્સમેન તરીકે ટીમની ’દિવાલ’ બની રહ્યો. KKR ના આ સમયસરના અને ઉદાર સમર્થનથી જ પૂજારાનું કરિયર બચી શક્યું હતું.




