આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાલમાં જેલમાં હતા અને તેમના જામીન માટે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી. જેને પગલે નામદાર હાઇકોર્ટે વિવિધ શરતોને આધીન ચૈતરભાઈ વસાવાના સાત દિવસના ટેમ્પરરી જામીન મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન ચૈતરભાઈ ગાંધીનગરમાં રહેશે અને મીડિયા સાથે વાતચીત નહીં કરવા સહિતની કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના અગ્રણી આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે તથા ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. નામદાર હાઇકોર્ટે નક્કી કરેલી શરતોને આધીન તેમને લગભગ સાત દિવસ માટે ટેમ્પરરી જામીન મળ્યા છે.




