કંગના રણૌતનો વાયદો ચર્ચામાં હિમાચલમાં ભાજપની સરકાર આવતા ઇજીજીની શાળાઓ ખુલશે આ પહેલ પશ્ચિમ બંગાળમાં ૧,૦૦૦ વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાના શુભેન્દુ અધિકારીના પ્રસ્તાવ બાદ આવી છે સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે હિમાચલને મોટો વાયદો કર્યો છે. કંગના રણૌતે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર આવતા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ ખુલશે. કંગનાનું આ નિવેદન પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના એ પ્રસ્તાવ બાદ આવ્યું છે, જેમાં તેમણે બંગાળમાં ઓછામાં ઓછા ૧,૦૦૦ વિદ્યા ભારતી સંસ્થાનો સ્થાપિત કરવાની વાત કહી હતી.
જાેકે, આ પ્રસ્તાવનો વિપક્ષી દળોએ ભારે વિરોધ કર્યો છે. મંડી જિલ્લામાં દિશાની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કંગના રણૌતે આ પહેલનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યમાં આપણી સરકાર સત્તામાં આવશે, તો હું ઈચ્છીશ કે હિમાચલ પ્રદેશમાં પણ આવી યોજનાઓ શરૂ કરવામાં આવે. આ એક ઉત્તમ પહેલ છે અને તેને હિમાચલમાં પણ લાગુ કરવી જાેઈએ.
કંગના રણૌતે RSS પ્રશંસા કરતા કહ્યું કે, આ સંગઠન દેશના સ્વાભિમાનનું પ્રતીક છે. સંઘે અનેક શિક્ષણ સંસ્થાનો સ્થાપિત કર્યા છે અને સંકટના સમયે હંમેશા દેશની સેવા કરી છે. TMC દ્વારા પશ્ચિમ બંગાળમાં “શિક્ષણના ભગવાકરણ”ના લગાવવામાં આવેલા આરોપો પર કંગનાએ TMC પર રાષ્ટ્રવિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો અને રાજકીય લાભ માટે દેશમાં વિભાજન ઊભું કરવાનો આરોપ લગાવ્યો છે.




