
- સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ માટે જહેમત
- ગુલાબી કેરીની ખેતી પર વાવાઝોડા અને માવઠાનો પ્રભાવ, ભાવ વધ્યા ૧૦૦૦–૧૭૦૦ રૂપિયા
- ઈરાન-યુએઈ સંઘર્ષ: હોર્મુઝ જળમાર્ગ પર યુદ્ધની તૈયારી અને યુએઈ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે
- હિમાચલમાં પક્ષપલટા પર રોક: પેન્શનવાળો લાભ બંધ કરતો બિલ રજૂ
- ચંડીગઢમાં ભાજપ કાર્યાલય બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ, કોઈ ઘાયલતા નહીં, પોલીસ તપાસ શરૂ
- ગુજરાતમાં ૨-૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી
- “ATF ભાવ ડબલ: હવાઈ મુસાફરી મોંઘી, સરકાર કહ્યુ—નિયંત્રણ બહાર”
- અમેરીકા ઈરાન સંઘર્ષ બાદ NATO સંબંધો પર પુનર્વિચાર કરશે: વિદેશ મંત્રી
Author: Garvi Gujarat
Stock Market : શેરબજારમાં રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સેબીએ NSEના પ્રસ્તાવને ફગાવી દીધો છે. NSE એ પ્રસ્તાવ મૂક્યો હતો કે માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવવો જોઈએ, જેને સેબીએ સર્વસંમતિના અભાવે ફગાવી દીધો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ બ્રોકર સમુદાય વચ્ચે સર્વસંમતિના અભાવને કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માર્કેટ ટ્રેડિંગના કલાકો લંબાવવાની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની દરખાસ્તને નકારી કાઢી છે. NSEના ચીફ એક્ઝિક્યુટિવ આશિષ કુમાર ચૌહાણે એક પોસ્ટ દરમિયાન કહ્યું હતું કે હાલમાં ટ્રેડિંગ માટે સમય વધારવાની કોઈ યોજના નથી, કારણ કે સેબીએ અરજી પરત કરી દીધી છે. બ્રોકર્સ દરખાસ્ત પર સહમત ન હતા NSEએ કહ્યું કે…
Leo Horoscope Today : આજે તમારી લવ લાઈફ સારી છે. લવ લાઈફ અને બિઝનેસમાં કોઈ મોટી સમસ્યા તમને પરેશાન કરશે નહીં. ખર્ચ વધી શકે છે, તેથી થોડી કાળજી લેવી. વ્યાવસાયિક જીવનમાં તમને સારા પરિણામ મળશે. તમારે વ્યાવસાયિક જીવનમાં પડકારોનો સ્વીકાર કરવો પડશે. જો તમે પ્રેમ જીવનમાં પ્રતિબદ્ધ છો, તો સારા પરિણામો આવશે. આજે તમે રોકાણ કરવાનું વિચારી શકો છો અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સિંહ રાશિનું આજે પ્રેમ રાશિફળ દિવસનો સવારનો સમય પ્રેમના મામલામાં સારો રહેશે નહીં. તમારો પાર્ટનર તમને ઉશ્કેરી શકે છે, જેના કારણે તમે થોડો ગુસ્સો પણ કરી શકો છો અને થોડી ઝઘડો પણ થઈ શકે છે અને…
Loksabha Election 2024: સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયુંમુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્એ ઉમેર્યું…
5 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન આસામ 74.86 ટકા બિહાર 56.01 ટકા છત્તીસગઢ 66.87 ટકા દાદરા નગર હવેલી અને દીવ દમણ 65.23 ટકા ગોવા 72.52 ટકા ગુજરાત 55.22 ટકા કર્ણાટક 66.05 ટકા મધ્ય પ્રદેશ 62.28 ટકા ઉત્તર પ્રદેશ 55.13 ટકા મહારાષ્ટ્ર 53.13 ટકા પશ્ચિમ બંગાળ 73.93 ટકા 3 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન આસામ 63.08 ટકા બિહાર 46.69 ટકા છત્તીસગઢ 58.19 ટકા દાદરા નગર હવેલી અને દીવ દમણ 52.43 ટકા ગોવા 61.39 ટકા ગુજરાત 47.03 ટકા કર્ણાટક 54.20 ટકા મધ્ય પ્રદેશ 54.09 ટકા ઉત્તર પ્રદેશ 46.78 ટકા પશ્ચિમ બંગાળ 63.11 ટકા 1 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન…
Lok Sabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિયો દ્વારા રાજ્યમાં મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. આજે લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. અમે આહવાન કર્યું હતું તેને ઝીલી લેવામાં આવ્યું છે.ભાજપ 7 બેઠકો ગુમાવે છે અને ચારમાં રસાકસી આવશે. ભાજપ રાજકોટ બેઠક હારશે. ક્ષત્રિય…
Junagadh Lok Sabha Election 2024 : આજે ગુજરાતની 25 લોકસભા બેઠક તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. એવામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં વિશિષ્ટ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપતું મતદાન મથક સૌ કોઈનું ધ્યાન ખેચી રહ્યું છે. હકીકતમાં જૂનાગઢના મોતીબાગ નજીક આવેલ શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગીરનાર નો સંદેશ આપતું મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે અહીં મતદાન કરવા માટે…
Lok Sabha Election : ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓએ પણ કપરી પરિસ્થિતિમાં મતદાન કર્યું. વડોદરાના ગોરવા આઇટીઆઇ મતદાન કેન્દ્ર પર હાર્ટ એટેકના દર્દી એમ્બ્લુયન્સમાં પહોંચ્યા અને સ્ટ્રેચરમાં જ બૂથની અંદર જઇને મતદાન કર્યું. આ દૃશ્યો જોઇને ત્યાં હાજર સૌ કોઇ અંચબામાં મુકાઇ ગયા તો વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ હંસા મહેતા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં ગંભીર બીમારીથી પીડાતા એક દર્દી એમ્બ્યુલન્સમાં પહોંચ્યા અને મતદાન કર્યું. આ…
Lok Sabha Election : લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતદાન થયું.સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. આ દરમિયાન અમદાવાદના ધોળકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉતેલિયા સ્ટેટના યુવરાજનું નામ મતદારયાદીમાંથી નામ ગાયબ ધોળકાના ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાનું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયું છે. તેઓ જયારે મતદાન કરવા મતદાન મથકે ગયા ત્યારે તેમનું નામ મતદારયાદીમાં ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ મતદાન કરી શક્ય ન હતા. તંત્રએ જાણી જોઈને નામ હટાવ્યું – ભગીરથસિંહ ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાને ત્યાં મતદાનની સ્લીપ આવી ન હતી. તેઓ ઊતેલિયા ગામની શાળામાં મતદાન…
Vadodara Lok Sabha Election : મહીસાગરનાં ખાનપુરમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. ખૂંટેલાવનાં ઝેઝા ગામે નયન ડામોરે મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. માતા-પિતા સહિતનાં પરિવારે મતદાન કર્યું હતું. લગ્નની ફરજ પહેલાં નિભાવી નાગરિક હોવાની ફરજ છે. મતદાન કરી અન્યને પણ મતદાન કરવા અપીલ કરી હતી. વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા પંચમહાલનાં મોરવા હડફનાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા હતા. વાજતે ગાજતે વરરાજા અને તમામ જાનૈયાઓએ મતદાન કર્યું હતું. દીવમાં આજે હર્ષ ઉલ્લાસ સાથે લોક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કરી રહેલા વરરાજા સહિત…
Vadodara Lok Sabha Election : આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો તેમજ વાઘોડિયા સહિત 5 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન કરવાની આપણી નૈતિક ફરજ હોવા છતાં કેટલાક લોકો મતદાનથી અળગા રહે છે. આવા નાગરિકો માટે પાદરાનો એક પરિવાર પ્રેરણારૂપ છે. જેમાં પત્નીનું અવસાન થતાં સ્મશાન યાત્રા અટકાવીને પતિ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો છે. હકીકતમાં પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતા કનુભાઈ ભાવસારના પત્ની સરોજબેનનું ડાયાબિટીશના કારણે માત્ર 35 વર્ષની વયે અવસાન થયું હતુ. જેના પગલે ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિ સંસ્કાર અગાઉ કનુભાઈ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



