- Launch of new technology initiatives alongside the historic achievements of the DFC on DFCCIL’s 80th Independence Day.
- केमिकल वाली लिपस्टिक से होंठों को नुकसान? शहनाज हुसैन ने बताए बचाव के आसान उपाय
- ESIC શ્રમિકોને અમર્યાદિત ખર્ચે સુપર સ્પેશિયાલિટી સારવાર, વધુ 45 હોસ્પિટલો જોડાશે
- સુરત રેગિંગ મામલે ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યા: જવાબદારો સામે ગુનો દાખલ કરી ધરપકડની માંગ
- ગોપાલ રાયે ઉઠાવ્યા સવાલ: ‘શહીદોના સપનાનું ભારત કઈ રીતે બનશે?’
- સ્વતંત્રતા દિને ગુજરાતમાં AAPની તિરંગા બાઇક રેલી, ભ્રષ્ટાચાર-બેરોજગારી સામે લડતનો સંકલ્પ
- ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ આજથી શરૂ, WTC ફાઇનલની આશા માટે ટીમ ઈન્ડિયાને જીત જરૂરી
- રોડ માટે ઝાડ કાપવા મુદ્દે હાઈકોર્ટનો અનોખો આદેશ, અરજીકર્તાઓએ લગાવવાના 25-25 ફળદાયી ઝાડ
Author: garvigujrat
Election 2024: નવી સરકારે નીતિ સુધારા સાથે આવાસની માંગ વધારવા માટે કામ કરવું જોઈએ. પીટીઆઈ, નવી દિલ્હી. રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO)એ જણાવ્યું છે કે નવી સરકારે રિયલ એસ્ટેટના વિકાસને વેગ આપવા માટે નીતિ સુધારાની સાથે રહેણાંકની માંગને વધારવા માટે ઘર ખરીદનારાઓ તેમજ ડેવલપર્સને ટેક્સ પ્રોત્સાહન આપવું પડશે. એસ્ટેટ ક્ષેત્રે કરવું જોઈએ. સંસ્થાએ વિકાસ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ માંગ કરી હતી. NAREDCO ના રાષ્ટ્રીય પ્રમુખ જી હરિ બાબુ કહે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક મહત્વના વળાંક પર છે, જેમાં વૃદ્ધિની વિશાળ સંભાવના છે, પરંતુ ઘણા મોટા પડકારો પણ છે. 2030 સુધીમાં…
આર્યાવર્ત જ્યોતિષ કેન્દ્ર મહારાજગંજના સ્થાપક આચાર્ય લોકનાથ તિવારીએ જણાવ્યું કે વટ સાવિત્રી પૂજા 6 જૂન ગુરુવારે થશે. આ ખૂબ જ શુભ છે. દર વર્ષે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ, વિવાહિત જીવનમાં શાંતિ, સુખ અને કલ્યાણ અને ઘરમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રતધારી મહિલાઓ વિધિ-વિધાન મુજબ વટવૃક્ષની પૂજા કરે છે. તેમણે કહ્યું કે અમાવસ્યા 5 જૂને સાંજે 6.47 વાગ્યે શરૂ થઈ રહી છે. મહિલાઓ 6 જૂને સવારે 6.57 થી સાંજે 5.38 સુધી વટ સાવિત્રી પૂજા કરી શકશે. અભિજીત મુહૂર્ત સવારે 11.36 થી 12.54 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પૂજા કરવી વિશેષ ફળદાયી રહેશે. તેમણે કહ્યું કે વ્રતધારી મહિલાઓ સવારે સ્નાન…
બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તા.16 માર્ચ 2024ના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાજકીય પાર્ટીઓ પૂર જોશમાં ચૂંટણી જીતની આશાવાદી અભિગમ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ હતી. જો કે, તૈયારીઓ અને મહેનત વાયદાઓ અને વિશ્વાસી અભિગમનો પરિણામ આજે આવી ગયો છે. વાત કરીએ બોરડોલી લોકસભા બેઠકની અહીં ભાજપના પ્રભુ વસાવા V/S કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. કોણ છે પ્રભુ વસાવા? પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં.…
આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેસ પટેલની જીત થઈ છે. આણંદ લોકસભા બેઠક ભાજપ અને કોંગ્રેસના બંન્ને રાજકીય બળિયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. ભાજપે અહીં બીજી વખત મિતેષ પટેલ ઉપર ભરોસો મુક્યો હતો, તો કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા હતા. ભાજપ પાસે આણંદના વિકાસના કાર્યોની ગણતરી હતી તો કોંગ્રેસે દાવો કર્યો હતો કે, આણંદની વાસ્તવિક વરવી સ્થિતિનો અને એ જ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ પોતાને તક આપવાનું જનતાને અપીલ કરી હતી. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ – ભાજપ અમિત ચાવડા – કોંગ્રેસ 2019નું પરિણામ શું? મિતેષ પટેલ -ભાજપ – જીત ભરતસિંહ સોલંકી – કોંગ્રેસ – પરિણામ હાર…
Banakantha Lok Sabha Seat: ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat congress) માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ (banaskantha seat) પરથી ગેનીબેન ઠાકોરની (geniben thakor) જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા હતા. સરહદીય વિસ્તારમાં દિવાળી જેવો માહોલ ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફૂટ્યા છે. શંકર ચૌધરીના ગઢ થરાદમાં ગેનીબેન ઠાકોરના વિજયનો જશ્ન મનાવાયો હતો. સરહદીય વિસ્તારમાં દિવાળી (diwali) જેવો માહોલ સર્જાયો હતો. કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?) ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી…
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુભાઈ શિહોર ની જીત થઈ છે. આ બેઠક પર કોળી સમાજનો પ્રભુત્વ છે અને આ વખતે બંન્ને કોળી સમાજ નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. ચંદુભાઈ શિહોર કોણ છે ? 62 વર્ષીય ચંદુભાઈ BE Civil સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો તેઓ હળવદ પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે. મોરબીમાં જિલ્લા પચંયાતમાં પણ પ્રમુથ તરીકે રહી ચુક્યાં છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પણ રહી ચુક્યાં છે. જેઓ ચુંવાળિયા કોળી સમાજજનો અગ્રણી ચહેરો છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલા રહે છે. ઋત્વિક મકવાણાની રાજકીય સફર ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત…
Panchmahal Lok Sabha seat: ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ પંચમહાલની સ્થાપના કરી હતી. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો જ્યાં ભાજપે રાજપાલસિંહ જાદવ પર ભરોશો મુક્યો હતો તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડાવી હતી. કોણ છે રાજપાલસિંહ જાદવ? વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં. કોણ છે ગુલાબસિંહ ચૌહાણ? લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા…
ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ. જે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવે છે. જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતો હોય છે. આ વખેત આ બેઠક ભાજપના જશવંતસિંહ અને કોંગ્રેસના ડો પ્રભા તાવડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની જબરજસ્ત જીત થઈ છે દાહોદ બેઠક પર કોની કોની વચ્ચે હતી જંગ ભાજપ – જશવંતસિંહ ભાભોર કોંગ્રેસ – ડૉ.પ્રભા તાવિયાડ કોણ છે જશવંતસિંહ ભાભોર જશવંતસિંહ ભાભોર દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા.જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની…
લોકસભા ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. અમદાવાદની પૂર્વ બેઠકનો પર જીતનો બાજીગર કોણ બન્યો, તેમનું નામ સામે આવ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે. જે દબદબો 2024માં પણ યથાવત રહ્યો છે. અહીં બીજેપીના હસમુખ પટેલની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, 1989 પછી અહીં કોંગ્રેસ એક પણ વખત નથી જીતી શક્યું. જાણો કોણ છે હસમુખ પટેલ ? હસમુખ પટેલ જેમણે ડિપ્લોમાં સુધી અભ્યાસ કરેલો છે. 2019માં પરેશ રાવલલની ટિકિટ કાપીને હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેઓ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે, 2019 બાદ 2024માં પણ ભાજપે તેમના પર…
Loksabha Election Result 2024: કહેવાય છે કે, રાજનીતિમાં દિલ્હીમાં જવાનો રસ્તો ઉત્તર પ્રદેશથી છે. અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે. જે પાર્ટી આ રાજ્યને જીતે છે તેના માટે લગભગ દિલ્હીનો રસ્તો સરળ બની જાય છે. પરંતુ આ વર્ષે ખાસ ભાજપની જો વાત કરવામાં આવે તો પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં મોટી ચૂક થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં હાઈ પ્રોફાઈલ સીટ અમેઠી પર સ્મૃતિ ઈરાનીને હાર મળી છે. તે પછી સૌની નજર વારાણસી બેઠક પર હતી જ્યાથી નરેન્દ્ર મોદી પોતે લડી રહ્યા છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમની આ બેઠક પર જીતની હેટ્રિક લાગી ચુકી છે.…




