- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ધનશ્રી સાથેના છૂટાછેડા અને ડેટિંગ અફવાઓ પર યુઝવેન્દ્ર ચહલનું નિવેદન, કહ્યું – “હું હેપ્પી સિંગલ છું”
ધનશ્રી સાથેના છૂટાછેડા અનેડેટિંગની અફવાઓ પર યુઝવેન્દ્ર ચહલે તોડ્યું મૌન.અહેવાલો અનુસાર, ચહલ અને ધનશ્રી નવા રિયાલિટી શો ‘ધ ૫૦’માં સાથે કામ કરી શકે છે.ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી મેદાન પરના પ્રદર્શન કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ સમાચારોમાં રહ્યો છે. ખાસ કરીને અભિનેત્રી ધનશ્રી વર્મા સાથેના તેના છૂટાછેડાએ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. લગ્નના ચાર વર્ષ બાદ આ જાેડીએ અલગ થવાનો ર્નિણય લીધો હતો, જેના કારણે ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તાજેતરમાં ચહલે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના અંગત જીવન અને ટ્રોલિંગ અંગે મોકળા મને વાત કરી છે.ચહલે એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે…
વીર પહાડિયા સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે.અભિનેત્રી તારા સુતરિયાએ ટોક્સિકનું પોસ્ટર શેર કર્યું.પોતાની પોસ્ટમાં, તારા સુતારિયાએ વીર સાથે બ્રેકઅપની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.તારા સુતારિયા અને વીર પહારિયા વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઈ રહી છે. આ બધું એપી ધિલ્લોનના મુંબઈ કોન્સર્ટ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોમાંથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર વ્યાપક વિવાદ અને હલચલ મચી ગઈ હતી. કોન્સર્ટ દરમિયાન, તારા ગાયક-રેપર એપી ધિલ્લોન સાથે સ્ટેજ પર દેખાઈ હતી, ત્યારબાદ એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેણી તેને ગળે લગાવતી અને ગાલ પર ચુંબન કરતી જાેવા મળી હતી. કોન્સર્ટમાં હાજર રહેલા તારાના બોયળેન્ડ વીર પહારિયાએ આ ઘટના…
નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બિન લગ્નના બંધનમાં બંધાયા, ઉદયપુરમાં ભવ્ય ક્રિશ્ચિયન લગ્ન સમારોહ યોજાયો
સોશિયલ મીડિયા પર ચાહકો આ જાેડી પર પ્રેમ વરસાવ્યો.એક્ટ્રેસ નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બિન લગ્નના બંધને બંધાયા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ન્યૂલી વેડ કપલ શેમ્પેઈન સાથે પોતાની ખુશીની ઉજવણી કરતું જાેવા મળ્યુ.બોલીવુડમાં અત્યારે લગ્નની સીઝન જામી છે. એક્ટ્રેસ કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન અને જાણીતા સિંગર સ્ટેબિન બિન આખરે લગ્નના બંધને બંધાઈ ગયા છે. લેકસિટી ઉદયપુરમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં બોલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. રિપોર્ટ અનુસાર, આ કપલે અત્યંત સુંદર અને ‘ડ્રીમી’ વાતાવરણમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહી છે.નૂપુર અને સ્ટેબિનના…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના…
જર્મનીના ચાન્સેલરની અમદાવાદ મુલાકાતે અરીહા શાહને ન્યાય અપાવવાની માંગ, દીકરીને માતાપિતાને સોંપવા અપીલ
જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી તેઓને અમદાવાદ ખાતે આવકારવાના છે ત્યારે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. સમગ્ર હકીકત એવી છે કે, ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર (FOSTER CARE) સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે. આજે ૪ વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને…
વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો ફેઝ-૨નું લોકાર્પણ.હવે મિનિટોમાં જ પહોંચાશે સચિવાલયથી મહાત્મા મંદિર.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી.ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. મેટ્રો ફેઝ-૨ ના આ વિસ્તરણ સાથે હવે સરકારી કર્મચારીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. સચિવાલય, જે રાજ્યનું વહીવટી કેન્દ્ર છે, તેને સીધું જ આંતરરાષ્ટ્રીય…
ખુદ CM એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર.ટ્રમ્પના ટેરિફના કારણે તિરુપુરમાં ૩૦ લાખ લોકોની નોકરીઓ જશે.તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છ.ભારતના નીટવેર કેપિટલ ગણાતા તિરુપુરમાં ગંભીર સંકટના વાદળો છવાયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જાેતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જાેઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં ૨,૫૦૦ નિકાસકારો અને ૨૦,૦૦૦ સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો…
સાઉથ કોરિયાને આપી ચેતવણી.વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે કિમ જાેંગ ઉનના બહેને ટેન્શન વધાર્યું!.ડ્રોન દક્ષિણ કોરિયાથી તેમની સીમામાં ઘૂસ્યું હતું.વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે કિમ જાેંગ ઉનના બહેને ટેન્શન વધાર્યું! ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉનની બહેન કિમ યો-જાેંગે દક્ષિણ કોરિયાથી ડ્રોન ઘૂસાડવા મામલે વિગતે સ્પષ્ટીકરણની માગ કરી છે. ઉત્તર કોરિયાનો દાવો છે કે, ડ્રોન દક્ષિણ કોરિયાથી તેમની સીમામાં ઘૂસ્યું હતું. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, વર્કર્સ પાર્ટી ઓફિ કોરિયાની સેન્ટ્રલ કમિટીએ વાઈસ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર કિમ યો-જાેંગે આ ટિપ્પણી કરી હતી. કિમ યો-જાેંગે કહ્યું કે, રિપબ્લિક ઓફ કોરિયા (ROK)સેનાએ સમજદારીપૂર્વક જાહેરાત કરી કે આ તેમના દ્વારા થયું નથી અને તેઓનો કોઈ પ્રકારે ઉશ્કેરણી…
બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, ટેક્સમાંથી મળી શકે છે રાહત.બચત ખાતામાં મુક્તિ ૧૦૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦૦ રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે એફડી મુક્તિ ૧ લાખ રૂપિયા કરવાની માંગ.મધ્યમ વર્ગના મોટા ભાગના પરિવારો માટે, બેંક જમા પૈસા પર મળતું વ્યાજ દૈનિક જરૂરિયાતો અને ભવિષ્યની સુરક્ષા છે. નિવૃત્ત લોકો, ખાસ કરીને જેઓ તેમના પગાર પછી સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છે, તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત ખાતાઓ પર આધાર રાખે છે. જાે કે, વધતા જતા ફુગાવા, તબીબી ખર્ચ અને ઘરના ખર્ચ છતાં, બેંક વ્યાજ પર ટેક્સ મુક્તિના નિયમો વર્ષોથી યથાવત રહ્યા છે. હવે, બજેટ ૨૦૨૬ નજીક આવી રહ્યું છે, ટેક્સ એક્સપર્ટ અને…
હજુ સુધી કોઈ સત્તાવાર ચર્ચા નહીં : અજિત પવાર.પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જાે બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં.મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCP માં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જાેવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જાે બંને NCPએક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


