- પાયલ સાકરિયાનું આહ્વાન: 25 જુલાઈએ ગાંધીનગરમાં યુવાનોના સમર્થનમાં આંદોલનમાં જોડાઓ
- 21 વર્ષ બાદ મિનિષા લાંબા થઈ ભાવુક, ‘યહાં’ ફિલ્મે મારી જિંદગી અને કારકિર્દીની દિશા બદલી
- ગોપાલ ઇટાલિયા: શિક્ષણ મંત્રીના રાજીનામાથી જવાબદારી નક્કી થાય, જંતર-મંતરના યુવાનોને સમર્થન
- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
Author: garvigujrat
જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા ફક્ત ૧૦૧ રૂપિયાની ઉધારીના ઝઘડામાં હત્યા હત્યા કરનારા તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા, મૃતકની ઓળખ શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. લખનઉના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. માત્ર ૧૦૧ રૂપિયા માટે એક રિકવરી એજન્ટની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનારા બીજા કોઈ નહીં પણ તેનો રૂમ પાર્ટનર અને બે મિત્રો જ હતા. મૃતકની ઓળખ ૨૪ વર્ષીય શશી પ્રકાશ ઉપાધ્યાય તરીકે થઈ છે. શશી પ્રકાશ આંબેડકર નગરનો રહેવાસી હતો અને ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બુધવારે રાત્રે તેનો મૃતદેહ તેના ઘરથી લગભગ ૨૦૦…
૮૯ વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર પાસે હતી કેટલી સંપત્તિ? ધર્મેન્દ્ર પાસે ૧૦૦ એકરનું ફાર્મ હાઉસ, ૧૨ એકરનો રિસોર્ટ ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવૂડના હી-મેન અને ધરમ પાજી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી છ દાયકાથી વધુનો બેજાેડ વારસો પાછળ રહી ગયો છે. ધર્મેન્દ્ર સિંહ દેઓલ તરીકે જન્મેલા આ અભિનેતાએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા અને તેમને આ મહિનાની શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના નિધનથી તેમનો પરિવાર શોકમગ્ન છે. ૩૦૦થી વધુ ફિલ્મો અને કરોડોની સંપત્તિ- પંજાબમાં ધરમ…
દેશના મોટા એરપોર્ટ પર હાઇ એલર્ટ! મોટા એરપોર્ટ પર લગાવવામાં આવશે એન્ટી ડ્રોન સિસ્ટમ આ ર્નિણય વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો. ભારત સરકારે ડ્રોન હુમલાના વધતા જાેખમને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. પહેલી વાર, દેશભરના મુખ્ય નાગરિક એરપોર્ટ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. વિશ્વભરમાં વધતા તણાવ અને આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને સુરક્ષા ઇનપુટ્સે વધુ તાકીદનો બનાવ્યો છે. સમાચાર અહેવાલો અનુસાર, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટોની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હમાસની જેમ ડ્રોન હુમલો કરવાનું…
૫૩માં CJI બન્યા જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ સૂર્યકાંતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૨ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો જસ્ટીસ સૂર્યકાંતને આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના સીજેઆઈ પદના શપથ લેવડાવ્યા. તેઓ પૂર્વ સીજેઆઈ બી આર ગવઈની જગ્યા લેશે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના ૫૩માં સીજેઆઈ છે. અત્રે જણાવવાનું કે સીજેઆઈ બી આર ગવાઈ ૨૩ નવેમ્બરે રિટાયર થયા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે ૨૪મી મે ૨૦૧૯ના રોજ પ્રમોટ થયેલા જસ્ટિસ સૂર્યકાંતનો સીજેઆઈ તરીકેનો કાર્યકાળ એક વર્ષ ૨ મહિનાથી વધુ રહેશે. તેઓ ૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ રિટાયર થશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસની રિટાયરમેન્ટની ઉંમર ૬૫ વર્ષ છે. જસ્ટિસ…
બોલીવુડના લિજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ ધર્મેન્દ્ર ઘણા દિવસોથી બીમાર હતા : ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન, આમિર સહિત ઘણા કલાકાર, હેમા માલિની આઘાતમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નિધન થયું. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યા હતા. તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ત્યારબાદ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતની હસ્તીઓ પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે…
કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ એલચી, મેન્થા તેલના વાયદાઓમાં સીમિત રેન્જમાં ઘટાડો સોનાના વાયદામાં રૂ.851 અને ચાંદીના વાયદામાં રૂ.660ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.22 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30591.75 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.212326.54 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23432.66 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29263 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.242928.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30591.75 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.212326.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.9.6 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..7 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 29263 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1930.92 કરોડનું…
કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઈન્સ અનુસાર, નીટના મેરિટના આધારે એડમિશન ફાળવાયા.જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સિલેન્સમાં પ્રથમ બેચના એડમિશનને લઈને વિવાદ પેદા થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે જાેડાયેલા સંગઠનોએ આક્ષેપ લગાવ્યો છે કે, આ મેડિકલ કોલેજમાં એડમિશન લેનાર લગભગ ૮૫ ટકા વિદ્યાર્થીઓ ફક્ત કાશ્મીરી મુસ્લિમ છે, જ્યારે સ્થાનિક હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણોસર સંઘ પરિવાર સાથે જાેડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહિતના સંગઠનોએ મુસ્લિમ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની માંગની સાથે વિરોધ પ્રદર્શન કર્યા છે.જમ્મુ-કાશ્મીરના ભાજપના ઉધમપુરના ધારાસભ્ય આર.એસ.પઠાનિયાએ કહ્યું છે કે વૈષ્ણોદેવી મંદિરને મળેલા દાનમાંથી બનેલી મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓનું…
ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિતભારત રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી શકે.રશિયન ક્રૂડ ઓઈલની બે મુખ્ય નિકાસકાર કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઈલ પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નવા પ્રતિબંધો શુક્રવારથી સંપૂર્ણપણે લાગુ થઈ ગયા છે ત્યારે હવે નજીકના સમયમાં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે બંધ નહીં થાય. જાેકે, રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી સરેરાશ દૈનિક ૧૭ લાખ બેરલથી ૭૦ ટકા જેટલી ઘટીને માત્ર ચાર લાખ બેરલ સુધી રહી શકે છે. નવેમ્બરમાં ભારતની ખરીદી દૈનિક ૧૮-૧૯ લાખ બેરલે પહોંચવાનો…
ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ.મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ ૧૦૦૦થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે.અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષાેથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી સોમાવારે સવારથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ ૧૦૦૦થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે. એએમસી દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના…
G-૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયર અધિકારીને સોંપવા દ. આફ્રિકાનો ઈનકારદક્ષિણ આફ્રિકામાં બે દિવસીય જી૨૦ સમિટના પ્રથમ દિવસે તમામ દેશના વડાઓએ યુએની અવગણના કરીને ઘોષણાપત્રને સર્વાનુમતે પસાર કર્યો હતો.દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી જી૨૦ શિખર પરિષદનું યજમાન અને આગામી અધ્યક્ષ વચ્ચે રાજદ્વારી વિવાદ સાથે સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાએ જી૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયનર સ્તરના અધિકારીનો સોંપવાનો ઈનકાર કરી દીધો છે. યજમાન દેશે જણાવ્યું કે, જી૨૦ની અધ્યક્ષતાનું ઔપચારિક હસ્તાંતરણ બાદમાં કરાશે.જી૨૦ સમિટનું સૌપ્રથમ વખત આયોજન દક્ષિણ આફ્રિકાએ કર્યું છે. આફ્રિકન દેશ સાથે રાજદ્વારી વિવાદને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ શિખર પરિષદનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં બે દિવસીય જી૨૦ સમિટના પ્રથમ દિવસે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



