
કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો ED માં ઘટસ્ફોટ.માહિતી અધિકાર કાયદા હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી.લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક RTI રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ ૮ નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે. માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. ખુલાસા મુજબ, બિહારના નાણામંત્રી અને મોદી સરકારના કેન્દ્રીય મંત્રી સહિતના ૮ જેટલા પ્રભાવશાળી નેતાઓ તેમના વર્તમાન પદનો પગાર લેવાની સાથે સાથે પેન્શનની રકમ પણ મેળવી રહ્યા છે. નિયમ મુજબ જાે કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય હોય અને પગાર લેતો હોય, તો તે પેન્શનનો હકદાર નથી હોતો, છતાં આ નેતાઓ વર્ષોથી આ લાભ લઈ રહ્યા છે.
RTI કાર્યકર્તા શિવ પ્રકાશ રાય દ્વારા મેળવવામાં આવેલી વિગતો મુજબ, નીચે મુજબના નેતાઓ આ યાદીમાં સામેલ છે:
સતીશ ચંદ્ર દુબે (કેન્દ્રીય મંત્રી): તેઓ ૨૬ મે, ૨૦૧૯ થી પેન્શન મેળવી રહ્યા છે, જેની રકમ અંદાજે રૂ.૫૯,૦૦૦ છે.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ (બિહારના નાણામંત્રી): ૨૪ મે, ૨૦૦૫ થી તેઓ રૂ.૧૦,૦૦૦ નું પેન્શન મેળવે છે.
દેવેશ ચંદ્ર ઠાકુર (સાંસદ): ૭ મે, ૨૦૨૦ થી રૂ.૮૬,૦૦૦ નું પેન્શન મેળવી રહ્યા છે.
સંજય સિંહ (MLC): ૭ મે, ૨૦૧૮ થી રૂ.૬૮,૦૦૦ નું પેન્શન ચાલુ છે.
લાલન સરાફ: ૨૪ મે, ૨૦૨૦ થી રૂ.૫૦,૦૦૦ નું પેન્શન મેળવે છે.
ઉપેન્દ્ર કુશવાહા (રાજ્યસભા સાંસદ): ૭ માર્ચ, ૨૦૦૫ થી રૂ.૪૭,૦૦૦ નું પેન્શન લઈ રહ્યા છે.
નીતિશ મિશ્રા: ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૫ થી રૂ.૪૩,૦૦૦ નું પેન્શન શરૂ થયેલું છે.
ભોલા યાદવ: તેમને રૂ.૬૫,૦૦૦ પેન્શન મળે છે, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હોવાથી નિયમ મુજબ તેઓ પેન્શન માટે પાત્ર ગણાય છે.
સરકારી નિયમો સ્પષ્ટ છે કે જે તે નેતાએ દર વર્ષે ‘લાઇફ સર્ટિફિકેટ‘ સાથે લેખિતમાં બાંહેધરી આપવી પડે છે કે તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ લાભદાયી પદ પર નથી અને પગાર મેળવતા નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે આ નેતાઓએ કઈ રીતે ડિક્લેરેશન આપ્યુંરૂ. અને જાે ખોટું ડિક્લેરેશન આપ્યું છે, તો તંત્ર દ્વારા તેની ચકાસણી કેમ કરવામાં ન આવીરૂ. એક તરફ સામાન્ય માણસને પેન્શન માટે ધક્કા ખાવા પડે છે, ત્યારે મંત્રીઓના ખાતામાં બેવડો લાભ જમા થવો એ ગંભીર વહીવટી ક્ષતિ સૂચવે છે.
પટણા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ સર્વદેવ સિંહે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા તેને “આર્થિક ગુના” ની શ્રેણીમાં મૂક્યું છે. તેમના મતે, પદ પર રહીને પેન્શન લેવું એ કાયદાની વિરુદ્ધ છે. બીજી તરફ, જ્યારે આ બાબતે નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેવેશ ચંદ્ર ઠાકુર અને નીતિશ મિશ્રાએ બચાવ કરતા કહ્યું હતું કે તેમણે ક્યારેય પેન્શનની માંગણી કરી નથી અને જાે ભૂલથી જમા થયું હશે તો પરત કરશે. નીતિશ મિશ્રાએ દાવો કર્યો કે તેમને ૨૦૧૫ માં માત્ર એક મહિનાનું પેન્શન મળ્યું હતું જ્યારે તેઓ સભ્ય નહોતા. હવે જાેવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું એક્શન લે છે.




