
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે. મંત્રી આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત લેશે. મુલાકાતની વિગતો મંત્રી ઋષિકેશ પટેલ 27મીએ ભાવનગરમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભાવનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
તોતોયા અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરશે. જૂનાગઢ અને રાજકોટની હોસ્પિટલોમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો, સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળેલી રજૂઆતો અને ફરિયાદો અંગે 28મી ડિસેમ્બરે બેઠક યોજાશે અને આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.
આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લેશે અને તેની સ્થિતિ, મુખ્ય જરૂરિયાતો અને આગામી વિકાસ યોજના વિશે માહિતી મેળવશે. 29 ડિસેમ્બરે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ ઉમિયા જામનગરમાં આયોજિત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્સવ-2024માં પણ હાજરી આપશે.
