
વલસાડ જિલ્લામાં બપોરે ૧.૧૨ કલાકે ૧.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૧.૭ નોંધવામાં આવી છે. જાેકે, તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોને આ આંચકાનો અહેસાસ થયો ન હતો, પરંતુ ભૂકંપની વિગતો સામે આવતા જ લોકોમાં કુતૂહલ અને ચર્ચા જાગી હતી.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, વલસાડમાં બપોરે ૧.૧૨ કલાકે આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડ શહેરથી અંદાજે ૬૧ કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપની ઊંડાઈ અને અંતરને જાેતા આ એક અત્યંત હળવો આંચકો હતો, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ અને તેની આસપાસનો વિસ્તાર અવારનવાર હળવા ભૂકંપના આંચકાઓ માટે જાણીતો છે. અગાઉ પણ આ વિસ્તારમાં ૨.૫ થી ૩.૫ ની તીવ્રતાના આંચકા અનુભવાઈ ચુક્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.





