
કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ દિલ્હી જિમખાના ખાલી કરાવવાના આદેશ પર HC ની લાલઆંખ જાે ક્લબ ૫ તારીખે સ્વેચ્છાએ ખાલી ન કરે તો પણ, ખાલી કરાવવા માટેની કાનૂની પ્રક્રિયાનું પાલન ન થાય ત્યાં સુધી કબજાે લેવામાં આવશે નહીં
દિલ્હી હાઈકોર્ટે લુટિયન્સના દિલ્હીના હૃદયમાં સ્થિત જીમખાના ક્લબ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્રએ જણાવ્યું હતું કે, સરકાર બદલામાં જમીનનો બીજાે ટુકડો ઓફર કરી શકે છે. સરકારે ૨૨ મેના રોજ ક્લબને નોટિસ મોકલી હતી. જેમાં ૫ જૂન સુધીમાં જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને ક્લબે હાઇકોર્ટમાં પડકાર્યો છે.
સુનાવણી દરમિયાન, ક્લબ વતી દલીલ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, આ કેસમાં પાંચથી છ મુખ્ય મુદ્દાઓ છે. કોર્ટે જવાબ આપ્યો કે તે પહેલા પડકારવામાં આવેલા સરકારી આદેશની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જાે ક્લબ ૫ તારીખે સ્વેચ્છાએ ખાલી ન કરે તો પણ, ખાલી કરાવવા માટેની કાનૂની પ્રક્રિયાનું પાલન ન થાય ત્યાં સુધી કબજાે લેવામાં આવશે નહીં.એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સંપાદન હેઠળની જાેગવાઈઓ આ નિયમમાં સમાયેલી છે. વળતર પૈસાના રૂપમાં હોઈ શકે છે અથવા સરકાર જમીનનો બીજાે ટુકડો આપી શકે છે. તેમણે કહ્યું કે અમે કાયદા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કામ કરીશું. અમે ફક્ત જઈને તેને ખાલી કરાવીશું નહીં. કોર્ટે એસજી તુષાર મહેતાને પૂછ્યું કે શું તેમનું નિવેદન નોંધી શકાય છે. ક્લબનું પ્રતિનિધિત્વ કરતા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે તે એક બિન-લાભકારી કંપની છે. કોર્ટે તેમને પૂછ્યું કે ક્લબની ફરિયાદ શું છે? શું તમારા સભ્યને કોઈ વિવાદ નથી? એડવોકેટ સિંઘવીએ કહ્યું કે સરકારે આદેશ આપ્યો છે કે જીમખાના ૫ જૂને પોતાની મરજીથી ક્લબને સોંપવામાં આવે, જ્યારે આ મામલો પહેલાથી જ NCLT સમક્ષ છે.





