
આ ઘટનામાં જાનહાનિ નહીંચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશઅકસ્માતની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવીભારતીય વાયુસેનાનું એક પીસી-૭ પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના તામ્બરમ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
સદભાગ્યે, પાયલટનો બચાવ થયો છે, તેથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો એક ભાગ હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (તપાસ કમિટી)ની રચના કરવામાં આવી છે, જે ઘટનાની વિગતવાર તપાસ કરશે.
ઘટનાસ્થળે રાહત અને સુરક્ષા ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ પણ વાયુસેનાને મદદ કરી. આ અકસ્માત બાદ વાયુસેનાએ કહ્યું કે, ઉડાનોની સુરક્ષા તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.
વિમાન બપોરે લગભગ ૧:૪૫ વાગ્યે એર સ્ટેશન પરથી ઉડાન ભર્યું હતું. આ એક નિયમિત તાલીમ ઉડાન હતી, જેમાં પાયલટને ફ્લાઇંગની બેઝિક ફ્લાઇંગ સ્કિલ્સ શીખવવામાં આવતી હતી. આશરે ૨ વાગ્યાની આસપાસ વિમાન અચાનક નીચે પડ્યું.
સ્થાનિક રહેવાસીઓએ આકાશમાં ધૂમાડો અને મોટો અવાજ સાંભળ્યો હતો. તરત જ વાયુસેનાની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સદભાગ્યે, પાયલટને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમનો ઈલાજ કરવામાં આવ્યો.
વિમાનને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ આસપાસના વિસ્તારમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટે ખૂબ બહાદુરી બતાવી. તેમણે ઈમરજન્સી પ્રક્રિયાનું પાલન કરીને પોતાનો બચાવ કર્યો.
વાયુસેના હવે તપાસ કરી રહી છે કે દુર્ઘટનાનું કારણ તકનીકી ખામી હતી કે ખરાબ હવામાન. આ માટે ગઠિત કરાયેલ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં નિષ્ણાતોની ટીમ વિમાનના ભાગો, ફ્લાઇટ ડેટા અને સાક્ષીઓના નિવેદનોની વિગતવાર ચકાસણી કરશે.




