
રોહિત પાસેથી છીનવાઈ વન-ડેની કેપ્ટનશીપ.ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત.વન-ડેમાં પણ શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી : વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી.ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારતીય ટીમની જાહેરાત શનિવાર, ૪ ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ટેસ્ટ પછી શુભમન ગિલને ર્ંડ્ઢૈં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પસંદગીકારોએ ટીમ પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં બેઠક કરી હતી.
શુભમન ગિલને ODIકેપ્ટન તરીકે રોહિત શર્માનું સ્થાન આપવામાં આવ્યું છે. ODI શ્રેણી માટે પસંદગીકારોએ શ્રેયસ ઐયરને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, બંનેને બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ T20 ટીમનો કેપ્ટન રહેશે.
ભારતની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અને યશસ્વી જયસ્વાલ.
ભારતની T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને ODI શ્રેણીમાં આરામ આપવામાં આવશે. બુમરાહ તાજેતરમાં એશિયા કપમાં રમ્યો હતો અને તે પહેલાં તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રમ્યો હતો. જાેકે, તે T20 શ્રેણી માટે વાપસી કરશે. બુમરાહના સ્થાને કૃષ્ણા અને અર્શદીપ સિંહને ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરિણામે, બંને ભારત માટે ફક્ત એક જ ફોર્મેટમાં રમશે. રોહિત અને કોહલી છેલ્લે IPL ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમતા જાેવા મળ્યા હતા, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્માએ મળીને ODI ક્રિકેટમાં ૨૫,૦૦૦થી વધુ રન બનાવ્યા છે, જેમાં ૮૩ સદીનો સમાવેશ થાય છે. પરંતુ હવે મોટો પ્રશ્ન એ છે કે શું આ બે મહાન બેટ્સમેન ૨૦૨૭ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ સુધી રમશે. આ મેગા ટુર્નામેન્ટ હજુ બે વર્ષ દૂર છે. ત્યાં સુધીમાં રોહિત શર્મા ૪૦થી વધુ ઉંમરનો હશે, જ્યારે વિરાટ કોહલી ૩૯ની નજીક હશે. જ્યારે “હિટમેન” તરીકે ઓળખાતા રોહિત તેની ઉંમરને કારણે ચિંતાનો વિષય બની શકે છે, ત્યારે કિંગ કોહલીની ફિટનેસ બેસ્ટ રહે છે. તેથી એવી પ્રબળ શક્યતા છે કે તે ૨૦૨૭ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે




