
ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન.‘ધુરંધર’ ફિલ્મને પ્રોપોગંડા કહેનારાઓને ડિરેક્ટર આદિત્ય ધરે આપ્યો જવાબ.‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેને આદિત્ય ધરે શેર કરી હતી.આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે ‘ધુરંધર’ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. જાેકે, ઘણા વિવેચકો ‘ધુરંધર’ને પ્રોપોગંડા ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ થાય છે, પરંતુ, ડિરેક્ટર આદિત્ય ધરે નામ લીધા વગર ધ્રુવ રાઠીને ફિલ્મની ટીકા અંગે પણ જવાબ આપ્યો છે.ધ્રુવ રાઠીએ પોતાના એક વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મ અંગે કહ્યું હતું કે સારી રીતે બનેલી પ્રોપગંડા ફિલ્મ વધારે ખતરનાક હોય છે. જાેકે, ‘ધુરંધર’ ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ખતરનાક ન હતી, કારણ કે તે બકવાસ ફિલ્મ હતી. પરંતુ ‘ધુરંધર’ એક આકર્ષક ફિલ્મ છે.ધ્રુવ રાઠીએ પોતાના વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મને બકવાસ ગણાવી હતી. જેનો આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે. ‘ધુરંધર’ ફિલ્મના ચાહકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ ‘ધુરંધર’ ફિલ્મના રિવ્યુ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે શેર કરી રહ્યા છે. ‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી.
જેને આદિત્ય ધરે શેર કરી હતી.ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કે, ભારતીય સિનેમામાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. બોક્સઓફિસ પર ‘ધુરંધર’ની સફળતા એ દર્શાવે છે કે, તે ઓર્ગેનિક છે. ફિલ્મના રિલીઝ થયાના પહેલા અઠવાડિયામાં ‘કોર્પાેરેટ બુકિંગ્સ’નો શોર મચાવતા લોકો હવે અચાનક ચૂપ થઈ ગયા છે.ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આગળ જણાવ્યું હતું કે, એક વીડિયો ક્રિએટરે ફિલ્મની આલોચના કરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ તે પોતે જ આલોચનામાં વહીં ગયો. આજે ‘ધુરંધર’નો એક ક્રેઝ છે. એક સુનામી જે પોતાના રસ્તામાં આવનારી કોઈ પણ રિલીઝને વહાવીને લઈ જશે. એક સુનામી જે ૨૦૨૬ સુધી ચાલશે. આ જલ્દી રોકાશે નહીં.ઉલ્લેખનીય છે કે પોસ્ટમાં આદિત્ય ધર અને તેની ટીમના પણ વખાણ કરવામાં આવ્યા છે. જાેકે, આદિત્ય ધરે આ સ્ટોરીમાં કોઈ કમેન્ટ કરી નથી, પરંતુ આ પોસ્ટને રિશેર કરીને ધ્રુવ રાઠીની આલોચનાનો જવાબ અવશ્ય આપી દીધો છે.




