
૧૬ વર્ષ પછી ફ્રેન્ચાઈઝીને આગળ વધારાશે.પ્રકાશ ઝાએ રાજનીતિ ટુ બનાવવા માટે તૈયારીઓ શરુ કરી.જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર અને કેટરિના રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર નથી કરાયું.કંઈક અંશે મહાભારતનું કથાનક તો અમુક રીતે ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગોડફાધર’ પરથી પ્રેરિત ફિલ્મ ‘રાજનીતિ’નો બીજાે ભાગ બની રહ્યો છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ પોતે કન્ફર્મ કર્યું છે કે પોતે ફિલ્મની તૈયારી ચાલુ કરી દીધી છે. હાલ ફિલ્મ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે.
જાેકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર કપૂર, કેટરિના કૈફ, અજય દેવગણ તથા નાના પાટેકર આ ફિલ્મમાં પણ રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર કરાયું નથી. ૧૬ વર્ષ પહેલાં આવેલી મૂળ ફિલ્મનો ‘કરારા જવાબ મિલેગા ‘ ડાયલોગ આઈકોનિક બની ચૂક્યો છે અને અત્યારે પણ જુદા જુદા સંદર્ભમાં તેનો ઉપયોગ થતો હોય છે.




