રામ મંદિર દાન ચોરી મામલે એલાન અયોધ્યા જઈને કેસ કરીશ, દિગ્વિજય સિંહનું એલાન મહિલા કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં ચોરીનો આરોપ લગાવ્યો મહિલા કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિર આંદોલન અને દાન મુદ્દે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “હનુમાન ગઢી અને ગોરખનાથ મઠે રામ મંદિરની લડાઈ લડી હતી. ન તો ત્યારે ત્યાં RSS હતું અને ન તો ત્યારે ત્યાં BJP પાર્ટી હતી. ભગવાન રામ પ્રત્યે તેમનો પ્રેમ ત્યારે જાગ્યો જ્યારે તેમના માત્ર ૨ સાંસદો બચ્યા હતા.”
તેમણે આગળ કહ્યું કે, “આ લોકો ધર્મને વેચીને પોતાની કમાણી કરે છે અને તે કમાણીથી વોટ ખરીદે છે, ધારાસભ્યો ખરીદે છે, સાંસદો ખરીદે છે. આપણા જ ચંદાની ચોરી કરીને તેઓ આ ખરીદી કરી રહ્યા છે. આ મામલામાં ચંપત રાય અને અનિલ મિશ્રાને બચાવવામાં આવી રહ્યા છે. મેં જે દાન આપ્યું છે, જેની આ લોકોએ ચોરી કરી છે, તેના માટે હું મારા વકીલના માધ્યમથી ૫-૬ જુલાઈના રોજ અયોધ્યા જઈને કેસ નોંધાવીશ.
રામ મંદિરના દાનમાં કથિત અનિયમિતતાના મુદ્દાને સંબોધતા દિગ્વિજય સિંહે કહ્યું, “તેઓએ અનિલ મિશ્રા અને ચંપત રાયના રાજીનામાની માંગણી કરી હતી, છતાં ખજાનચી મહંત ગોવિંદ ગિરીને પદ છોડવાનું કહેવામાં આવ્યું ન હતું, ન તો ચંપત રાય કે અનિલ મિશ્રા સામે કોઈ FIR નોંધવામાં આવી હતી.”
તેમણે આગળ કહ્યું, “મારા એક મિત્ર – જે દિલ્હીના એક પ્રખ્યાત ફોજદારી વકીલ છે – એ ફોન કરીને મને કહ્યું, દિગ્વિજય, તમારે તમારા દાન અંગે અયોધ્યા કોર્ટમાં કેસ દાખલ કરવો જાેઈએ, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે શ્રદ્ધા પર આધારિત કારણ માટે આપવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો છે. રિફંડની માંગ કરો જેથી તમે પૈસા શંકરાચાર્યના મઠ અથવા રામાલય ટ્રસ્ટમાં જમા કરાવી શકો. હું ૫ કે ૬ તારીખે મારા વકીલને મળીશ, અયોધ્યાની મુલાકાત લઈશ અને દાવો દાખલ કરીશ. હું ખાતરી કરીશ કે આ બધા ટ્રસ્ટીઓને જેલમાં મોકલવામાં આવે.” દિગ્વિજય સિંહે તેમના નિવેદનમાં મહાકાલ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગેરરિતીનો આરોપ લગાવતા તેમણે કહ્યું, “મહાકાલ મંદિરમાં પણ દાન ઉચાપત થતું હોય તો તેમાં કોઈ નવાઈ નહીં.”





