Author: Garvi Gujarat

બંને ઠગે અન્ય દેશની વર્ક પરમિટનો લેટર અને મુદત પૂર્ણ થઇ ગયેલા વિઝા મોકલ્યા શાહપુરની મહિલા પાસેથી વિઝાના બહાને ૯.૨૩ લાખ પડાવી લેવાયા રૂપિયા પરત માગતા આરોપીઓએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શાહપુરની મહિલાને કેનેડામાં રહેતી મહિલા અને નેધરલેન્ડમાં રહેતા ગઠિયાએ વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાનું જણાવીને રૂ. ૯.૨૩ લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ બીજા દેશની વર્ક પરમિટનો લેટર મોકલીને નેધરલેન્ડના વિઝા મોકલ્યા હતા. પરંતુ તેની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી રૂપિયા પરત માગતા બંને લોકોએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…

Read More

તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન ‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’ ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં ટ્રમ્પે રાજકીય વિરોધીઓની ટીકાને ફગાવી દેતા કહ્યું હતું કે, ‘યુદ્ધથી ઈરાનની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેહરાન સાથે ડીલ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાન ખતમ થઈ ગયું છે અને વચન આપ્યું હતું કે તેહરાનને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નાણાં મળશે નહીં. તેમણે દાવો કર્યાે હતો કે, યુદ્ધે દેશની લશ્કરી ક્ષમતાઓનો નાશ કર્યાે છે અને તેને હવાઈ દળ, નૌકાદળ અથવા મહત્ત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ વિના છોડી દીધું છે.ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં…

Read More

ઈરાનના નવા ફરમાને ટેન્શન વધાર્યું હોર્મુઝમાંથી પસાર થવા જહાજાેએ ૪૮ કલાક પહેલાં મંજૂરી લેવી પડશે કરારના શરૂઆતના ૬૦ દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાે પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાેકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજાે માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો…

Read More

મૂળ કોકટેઈલના ચાહકો ઉકળી ઉઠયા કોકટેઈલ-ટુમાં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું હોમી અડાજણિયા ર્નિદેશિત અને ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર અભિનિત ‘કોકટેઇલ ટુ’ શુક્રવારે થિયેટર્સમાં રજૂ થઇ શુક્રવારે ‘કોકટેઇલ ટુ રજૂ થતાં જ તેના બંધુ ટુ ગીતને કારણે વિવાદમાં સપડાઇ છે.’તુમ્હી હો બંધુ’ નામના ૨૦૧૨ના જાણીતાં ગીતનું રીમેક વર્ઝન બુધવારે રજૂ થતાં જ નેટીઝન્સ વીફર્યાં હતા. એક જણે જણાવ્યું હતું કે આ બેવરેજ એડવર્ટાઇઝમેન્ટ રિલિઝ કરવાની શું જરૂર હતી? બીજા એક જણે જણાવ્યું હતું કે બોલિવૂડ તેના ક્લાસિક ગીતનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. કશું ઓરિજિનલ બનાવવાને બદલે તેઓ તેમના ઓરિજિનલ ગીતને બગાડી નાંખે છે. હોમી અડાજણિયા ર્નિદેશિત અને…

Read More

આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપે ‘ડોન ૩’ વિવાદ વચ્ચે રણવીર સિંહનું મોટું પગલું! રણવીર સિંહે દિગ્દર્શક જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ રિલીઝ થાય ત્યાં સુધી મીડિયાથી અંતર જાળવવાનો ર્નિણય લીધો રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન ૩’ને લઈને ચાલી રહેલી અટકળો, ચર્ચાઓ અને વિવાદો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, રણવીર સિંહે આગામી ૧૮ મહિના સુધી કોઈપણ પ્રકારના મીડિયા ઇન્ટરવ્યુ ન આપવાનો ર્નિણય લીધો છે અને ‘ડોન ૩’ વિવાદ અંગે સંપૂર્ણ મૌન જાળવવાનું પસંદ કર્યું છે. એક તરફ તેની એક પછી એક બંને ધુરંધર ફિલ્મો સફળ રહી છે અને ઘણા લોકો તેની પાસે…

Read More

ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘વેલકમ ટુ ધ જંગલ’માં સૌથી મોટો પડકાર હસવું રોકી રાખવાનો હતો : સુનીલ શેટ્ટી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટ્ટની, જેકલીન ફનાર્ન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ સહિત અનેક કલાકારો હશે લાંબા સમયથી રાહ જાેવાય છે એવી બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સ્ટાર્સની લાંબી ફોજ જાેવા મળશે અને હવે અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના રસપ્રદ અનુભવો શેર કર્યા છે.સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે ફિલ્મમાં એક્શન કરતાં વધુ મુશ્કેલ કામ શૂટિંગ દરમિયાન હસવું રોકી રાખવાનું હતું. તેણે કહ્યું, “આ એક એક્શન-કોમેડી અને…

Read More

કંતારા પછી આ ફિલ્મનું બજેટ હવે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અહેવાલ રિષભ શેટ્ટીની ‘છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મ હવે બે ભાગમાં બનશે ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૨૮માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજાે ભાગ ૨૦૨૯માં દર્શકો સમક્ષ આવશે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રિષભ શેટ્ટી હવે ભારતીય ઇતિહાસના સૌથી પ્રેરણાદાયી અને મહાન શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજના જીવનને ભવ્ય ફિલ્મી સ્વરૂપ આપવા તૈયાર છે. તેમની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. તે અંગેના અહેવાલો અનુસાર, શરૂઆતમાં એક જ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ હવે બે ભાગમાં રજૂ કરવામાં આવશે.…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેં જુનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મળતી રિબેટ, એટલે કે શૂન્ય ટકા વ્યાજે મળતી લોન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો. અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે અલગ-અલગ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓએ જે-જે ગામોમાં ખેડૂતોને રિબેટ મળી નથી, તે તમામ ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં વિવિધ…

Read More

આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે નર્મદાના કલેક્ટર સમક્ષ અનેક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો હતો કે 1) આજની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તાલુકાવાર જમીન વિહોણા નિરાધાર હોય એવા કેટલા લોકોએ સરકારી પ્લોટની માંગણી કરી જેમાં કેટલાને ફાળવવામાં આવ્યા? 2) જિલ્લાના નાગરિકોને જિલ્લામા જ આધુનિક નિદાન સુવિધાઓ મળી રહે તે માટે MRI મશીન અને CT સ્કેન કાર્યરત નથી એ હકીકત સાચી છે? જો હા તો શા કારણો છે? ક્યાર સુધીમાં કાર્યરત કરવામાં આવશે? 3) જિલ્લામાં નેટવર્ક…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન યુનિવર્સિટીએ બુધવારે,૧૭ જુન સમાજશાસ્ત્ર વિભાગ માટે બીજા સેમેસ્ટરની પરીક્ષા રદ કરી, કારણકે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રશ્નોના બદલે પૂર્વ લેખિત જવાબો હતા. પીજી સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝમાં “ઇન્ડિયન સોસાયટી” વિષયની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાવાની હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને પેપર મળતાની સાથે જ ખબર પડી કે તેમાં ન તો પ્રશ્નો છે કે ન તો બહુવિધ વિકલ્પ વિકલ્પો. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી વિકાસ કુમાર બૈરવાએ આરોપ લગાવ્યો કે વાંધો ઉઠાવ્યા બાદ પરીક્ષા ખંડમાં હાજર અધિકારીઓએ પ્રશ્નપત્રો તાત્કાલિક પાછા…

Read More