Author: Garvi Gujarat

બોઈંગ ૭૩૭ કાર્ગાે વિમાન શારજાહથી કરાચી જતું હતું પાકિસ્તાનનું કાર્ગાે વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડયું, કાટમાળ મળ્યો ટેક ઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટયો, પાયલટે ‘રોલિંગ ઓર ફ્લોટિંગ’ની એલર્ટ આપી હતી : મિસિંગ પાંચ ક્રુની શોધખોળ શરૂ પાકિસ્તાનની કે-૨ એરવેઝનું કાર્ગાે વિમાન શારજાહથી કરાચી આવતું હતું ત્યારે અરબ સાગરમાં તૂટી પડયું હતું. કરાચીથી ૩૦૦ કિલોમીટર દૂર વિમાન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પાયલટ સહિત પાંચ ક્રૂ મેમ્બર્સની ભાળ મળી નથી, પરંતુ વિમાનનો કાટમાળ બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. પાયલટે વિમાન તૂટી પડયું તે પહેલાં નેવિગેશન સિસ્ટમમાં ખરાબીની જાણકારી આપી હતી અને છેલ્લે રોલિંગ ઓર ફ્લોટિંગનો એલર્ટ આપ્યો હતો.…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે ચાંદીપુરા વાયરસ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો થયો છે, જેના કારણે પાંચ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. તંત્ર કહે છે કે તેઓ એલર્ટ છે. પણ આ તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ છે, કારણ કે ગઈ સાલ પણ દાહોદ બનાસકાંઠાના આખા પટ્ટામાં આ વાયરસ ફેલાયો હતો અને અનેક નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે તમે માત્ર દેખાડો કરી રહ્યા છો, કારણ કે ગત વર્ષથી કંઈ શીખ્યા હોત તો આ વખતે આવી પરિસ્થિતિ પેદા ન…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વટવા વિધાનસભાના રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ નિશાંત ઠક્કર પર FIR કરવામાં આવી છે. નિશાંત ઠક્કર એક એવા યુવા છે જેમણે પોતાના વિસ્તાર સહિત અમદાવાદના અન્ય વિસ્તારોના રોડ રસ્તાના મુદ્દે, પ્રદૂષણના મુદ્દે સહિત અનેક મુદ્દે અમદાવાદની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ સહિત ગુજરાતના તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો તો એ પણ સરકારને ગમ્યું નહીં, બીજી બાજુ અમદાવાદમાં નિશાંત ઠક્કર પણ લોકોનો અવાજ ઉઠાવી રહ્યા…

Read More

તેઓ જાણીતા સંગીતકાર બંધુઓ જતિન-લલિતમાંના લલિત પંડિતના પુત્રો છે ‘આલ્ફા’થી સંગીતકાર રોહાંશ અને અબીર પંડિતનું ફિલ્મમાં ડેબ્યુ રોહાંશ અને અબીરે ૨૦૨૩માં કિશોર વયે જ ‘કમિંગ હોમ’ નામનું શાંતિ સંદેશ આપતું ગીત તૈયાર કર્યું હતું ૧૯૯૦ના દાયકાથી લઈને ૨૦૦૦ના પ્રથમ દાયકાના સુધી હિન્દી ફિલ્મ સંગીત પર રાજ કરનાર લોકપ્રિય સંગીતકાર બંધુઓ જતિન-લલિત બાદ હવે તેમની આગામી પેઢીએ પણ યશ રાજ ફિલ્મ્સ સાથે પોતાની સફરની શરૂઆત કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આલ્ફા’નાં ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોરનાં સંગીતકાર રોહાંશ પંડિત અને અબીર પંડિત, લલિત પંડિતના પુત્રો હોવાનું હવે સામે આવ્યું છે.ખાસ વાત એ છે કે ફિલ્મનાં ક્રેડિટ્સમાં બંનેના નામ માત્ર ‘રોહાંશ’ અને…

Read More

કેટલાક દર્શકોએ ગીત જાેઈને ફિલ્મની વાર્તા પર ઉઠાવ્યા સવાલ ટોક્સિકની ‘તબાહી’માં યશ-કિયારા અડવાણીની કેમિસ્ટ્રી વખણાઈ ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મોટાભાગનાં દર્શકોએ યશ અને કિયારાની સ્ક્રીન કેમિસ્ટ્રીનાં વખાણ કર્યાં પેન-ઈન્ડિયા સ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’નું પહેલું ગીત ‘તબાહી’ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. યશ અને કિયારા અડવાણી પર ફિલ્માવવામાં આવેલા આ રોમેન્ટિક ગીતમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને ઇન્ટિમેટ પળોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જાેકે, ગીતનાં જ્યાં એક તરફ વખાણ થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ કેટલાક દર્શકોએ ફિલ્મની વાર્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.વિશાલ મિશ્રાએ ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું…

Read More

બોલિવૂડ રિપોર્ટ કાર્ડ ૨૦૨૬ ‘ધુરંધર ૨’એ આખા બોલિવૂડ કરતાં વધુ કમાણી કરી ૨૦૨૬નાં પ્રથમ છ મહિનામાં આવેલી ૧૦૫ હિન્દી ફિલ્મોએ ભારતમાં ૨૪૩૬ કરોડની કમાણી કરી ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડલ્ટ્રી માટે સૌથી મોટી ચર્ચાનો વિષય રહી રણવીર સિંહની ‘ધુરંધર ૨: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવા રેકોર્ડ બનાવ્યા કે આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી પણ વધુ રહ્યો છે. એટલું જ નહીં, ફિલ્મે ભારત અને વિદેશમાં મળીને બાકીની ૧૦૪ હિન્દી ફિલ્મોની કુલ કમાણી કરતાં પણ વધુ આવક નોંધાવી છે.૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં કુલ ૧૦૫ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મોએ…

Read More

હૃતિક હાલ ક્રિશ ફોરની તૈયારીમાં વ્યસ્ત છે લક્ષ્મણ ઉત્તેકરની આગામી ફિલ્મ માટે હૃતિકને ઓફર ફિલ્મમાં મોહમ્મદ અયુબ ઝિશન અને રણદીપ હુડા પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે ‘છાવા’ જેવી સફળ ફિલ્મના ર્નિદેશક લક્ષ્મણ ઉતેકરે તેમની આગામી ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કર્યાે હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ફિલ્મનાં જાેનર કે સબ્જેક્ટ વિશે કોઈ તત્કાળ માહિતી મળી નથી.સામાન્ય રીતે લક્ષ્મણ ઉતેકર નાના કસબાંઓની સ્ટોરીએ રજૂ કરવામાં હથોટી ધરાવે છે. લક્ષ્મણ ઉતેકરની ‘ઇઠા’ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રજૂ થવા જઇ રહી છે. મરાઠી લાવણી અને તમાશા પરફોર્મર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં શ્રદ્ધા કપૂર જાેવા મળશે. આ ફિલ્મમાં મોહમ્મદ અયુબ ઝિશન અને રણદીપ હુડા…

Read More

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ બેંગકોકથી આવેલા મુસાફરની બેગમાંથી ૫.૩૬૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજાે ઝડપાયો, કસ્ટમ્સે કરી ધરપકડ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કેસ સામે આવ્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહીમાં બેંગકોકથી આવેલા એક મુસાફરની બેગમાંથી ૫.૩૬૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજાે જપ્ત કર્યો છે. આ મામલે આરોપીની ધરપકડ કરીને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગ દરમિયાન તેની હિલચાલ શંકાસ્પદ…

Read More

અમદાવાદમાં ટેક્નોલોજીનો નવો યુગ અમદાવાદને નવી હાઇટેક RTO કચેરીની ભેટ મળી AI અને સેન્સર આધારિત સિસ્ટમથી થશે ડ્રાઇવિંગ ટેસ્ટ, માનવ હસ્તક્ષેપ વિના પારદર્શક પ્રક્રિયા અમદાવાદ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી હાઇટેક RTO કચેરીની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૬૨ કરોડના ખર્ચે નિર્મિત નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને ઝડપી અને સરળ સેવા મળી રહે તે માટે અહીં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી RTO કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ, એસી વેઇટિંગ હોલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેના કારણે અરજદારોને અલગ-અલગ કાઉન્ટર પર જવાની જરૂર નહીં પડે અને કામગીરી વધુ સરળ બનશે. આ…

Read More

ગેરકાયદે બાંધકામો પર સુપ્રીમ કોર્ટ લાલચોળ કાયદો માત્ર દેખાડો કરવા છે? હવે સીધા અધિકારીઓ જ જેલમાં જશે!, દિલ્હીની ટીમ ગેરકાયદે બાંધકામોની તપાસ કરશે : કોર્ટે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવાની ચેતવણી આપી છે દિલ્હી-NCR અને દેશના અન્ય ભાગોમાં ગેરકાયદે બાંધકામો અને સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓ સામે લાલ આંખ કરી છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટેની કામગીરી થઈ રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદે બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેલા જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી, જે ખૂબ જ ગંભીર બાબત…

Read More