
- બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટ પર પથ્થરમારો, હિંસા બાદ કાર્યક્રમ અધવચ્ચે રદ
- દૃશ્યમ ૩માં અક્ષય ખન્નાના રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી, અજય-તબુ સાથે પહેલી વખત કામ
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ૭૫ દિવસ પૂર્ણ, ૧૨૦ કરોડ તરફ દોડતી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ
- ઓન્ટ્રાજ અને ફ્રેન્ચાઇઝી કલ્ચર પર નવાઝુદ્દીન સિદ્દિકીની સ્પષ્ટ વાત, નાની ટીમમાં વિશ્વાસ
- રણબીર કપૂરની ‘એનિમલ’ જાપાનમાં રિલીઝ માટે તૈયાર, ૧૦૦૦ કરોડની કમાણી પાર કરવાની શક્યતા
- ગુજરાત ફરી ટાઈગર સ્ટેટ: સિંહ, દીપડો અને વાઘ સાથે વન્યજીવ વૈવિધ્ય વધ્યું
- પંજાબ-હરિયાણા હાઈકોર્ટ: લાઇસન્સ સમાપ્તિ પછી ૩૦ દિવસ વીમા વળતર માન્ય
- ચીનની મોટી સિદ્ધિ: ૨ સેકન્ડમાં ૭૦૦ કિમી સ્પીડ ધરાવતી વિશ્વની સૌથી ઝડપી મેગ્લેવ સિસ્ટમ તૈયાર
Author: Garvi Gujarat
જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનેલા પીણાંને ચા કહેવું ગેરકાયદેસર.ચાની વ્યાખ્યા બદલાઈ; લીલી કે હર્બલ ચા હવે ચા નહીં કહેવાય.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપ્યો આદેશ: ‘ચા’ નામનો ઉપયોગ કરશો નહીં.અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે હવે ચાની વ્યાખ્યા બદલી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ સ્પષ્ટતા કરી છે કે ‘ચા’ ને ફક્ત કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનાવેલ ઉત્પાદન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. વધુમાં, એફએસએસએઆઈએ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કડક ચેતવણી આપી છે કે કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી ન બનેલા પીણાં જેવા કે જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનેલા પીણાંને ચા કહેવું ગેરકાયદેસર છે. આમ છતાં,…
નાતાલના દિવસે અનેક મુસાફરો ફસાયા.ઇન્ડિગોમાં ફરી વાર ધાંધિયાં ૬૭ ફ્લાઇટ્સ રદ કરાઈ.ખરાબ હવામાન અને સંચાલકીય મુશ્કેલીને કારણે ઉડાનો રદ કરાયાનો એરલાઈનનો દાવો કર્યો. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરુવારે ક્રિસમસના દિવસે કંપનીએ ઘણા એરપોર્ટ પર ૬૭થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. અંદાજિત ખરાબ હવામાન અને સંચાલકીય કારણોસર આ ફ્લાઇટ્સ રદ કરાઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર રદ કરાયેલી ૬૭માંથી માત્ર ચાર ફ્લાઇટ્સ સંચાલકીય કારણોસર રદ કરાઈ હતી. બાકીની ફ્લાઇટ્સ અંદાજિત ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ હતી. અગરતલા, ચંદીગઢ, દેહરાદૂન, વારાણસી, બેંગલુરુ સહિતના એરપોર્ટની ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને તેનાથી ઘણા મુસાફરો…
હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે.સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે.આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે.હાલમાં જ બંધ કરાયેલા અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા આજે ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તંત્રએ મધ્યમ માર્ગ કાઢતા ર્નિણય લીધો છે કે, હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રીપેર કરીને મજબૂત કરવામાં આવશે અને તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવામાં આવશે. કોર્પોરેશનની જાહેરાત મુજબ, અત્યારે જે સુભાષ બ્રિજ છે તેની બંને તરફ બે નવી લેન તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા…
શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શક.બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તારીખમાં ફેરફાર કરી નવો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આખરી તારીખ ૧૪ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે બી.એલ.ઓ તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓને શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો…
CPનો વેપારીઓ સાથે સંવાદ.ભદ્રમાં ટ્રાફિકની વ્યાપક ફરિયાદો બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં.લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી.અમદાવાદના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તારમાં લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરી રસ્તા પરના પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું કે પાથરણાવાળા હટ્યા બાદ હવે વાહન વ્યવહાર કેટલો સુગમ બન્યો છે. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો…
ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તે લોકો માટે ખાસ સમાચાર.અમદાવાદ જિલ્લામાં ચાર દિવસ વિશેષ કેમ્પનું આયોજન.યાદીમાં નામ નોંધાવવા અને સુધારવાના કામ થઈ શકશેઅમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(જીૈંઇ)નો બીજાે તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા.૨૭, ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧-૧-૨૦૨૬ની લાયકાતની તારીખે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના…
સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયો.વિજય હજારે ટ્રોફીની મેચમાં રોહિત શર્માનો સાથી ખેલાડી ઈજાગ્રસ્ત.સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર કેચ પકડવાના પ્રયાસમાં અંગકૃષ રઘુવંશી ઈજાગ્રસ્ત થયો.વિજય હજારે ટ્રોફીમાં આજે મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મેચ રમાઈ. જયપુરમાં રમાતી આ મેચમાં મોટી દુર્ઘટના થઈ હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ૨૧ વર્ષના અંગકૃષ રઘુવંશી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે તનુષ કોટિયનની ઓવર દરમિયાન ઉત્તરાખંડના બેટર સૌરભ રાવતે સ્લોગ સ્લીપ રમવા પ્રયાસ કર્યો. જે બાદ અંગકૃષ કેચ પકડવા દોડ્યો અને પણ પ્રયાસ સફળ ન…
આપણે સૌ એક જ સપનું જાેઈએ છીએ કે, તેનો નાશ થાય.ઝેલેન્સ્કીની ક્રિસમસ વિશ રાષ્ટ્રપતિ પુતિનનું મોત માગ્યું.યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ પણ કરી.છેલ્લાં ચાર વર્ષથી રશિયા સામે લડી રહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ક્રિસમસની ઉજવણી ટાણે દેશવાસીઓ માટે એક સંદેશ જાહેર કર્યાે છે. ઝેલેન્સ્કીએ જારી કરેલાં આ વિડીયો સંદેશમાં તેમણે યુદ્ધનો સામનો કરી રહેલા દેશના નાગરિકોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે જ સાંતા ક્લોઝ પાસે પોતાના કટ્ટર દુશ્મન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોત માગ્યું છે. ઝેલેન્સ્કીનો આ વિડીયો સંદેશ વાયરલ થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ…
લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા.કચ્છમાં વહેલી સવારે ૪.૪ ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે.ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.આ ઉપરાંત ૨૪ ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ…
રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



