Author: garvigujrat

આમ આદમ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે લોકો પોતાની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી (E-20) પેટ્રોલના લીધે ભારે પરેશાન થઈ રહ્યા છે. દેશની અંદર ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યું છે કે તેમની ગાડીઓ E-20 પેટ્રોલથી ચલાવવા માટે બની નથી. એટલા માટે હવે ગાડીઓમાં પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઘણાં એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી અને તમામ લોકોનું કહેવું છે કે જૂની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી પેટ્રોલ વાપરી શકાય નહીં. જો આ ઈંધણ વાપરવામાં આવે તો ગાડીઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જેમ કે સ્ટાર્ટઅપના પ્રોબ્લેમ અને સ્ટાર્ટ થાય ત્યારે સ્પાર્ક પ્લગના પ્રોબ્લેમ. આવી અનેક…

Read More

આંદોલન પર રાઘવ ચઢ્ઢાની પ્રથમ પ્રતિક્રિયા વિદ્યાર્થીઓનો વિરોધ વાજબી પણ તેમાં રાજકીય રેલી ન થવી જાેઈએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલને સમર્થન આપ્યું રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સાર્વજનિક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલનું જાેરદાર સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સરકારના વડા તરીકે નહીં પરંતુ યુવાનોના વાલી તરીકે જવાબદારી નિભાવી છે. ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ માટે મીડિયા સાઉન્ડ બાઈટ્સ નહીં, પરંતુ સંસ્થાકીય ઉકેલોની જરૂર છે. કેન્સરની સારવાર ક્રોસિનથી થઈ શકે નહીં, તેમ પરીક્ષા લીકને માત્ર નિવેદનોથી દૂર…

Read More

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ PM પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જાેઈએ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી ૩ સભ્યોની પસંદગી સમિતિનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર “શંકા કરવાનું કોઈ કારણ નથી.” સરકારે દલીલ કરી હતી કે બંધારણીય અદાલતો એ ધારણા…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.        ​હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આપેલા રેડ/ઓરેન્જ એલર્ટના પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને જિલ્લા નાગરિક સંરક્ષણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરત તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. ​મુખ્ય નિર્ણય અને વ્યવસ્થાઓ: ​૧. તંત્ર અને અધિકારીઓ એલર્ટ પર: તમામ સંબંધિત ક્ષેત્રીય અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને સ્થિતિ પર ૨૪x૭ સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. ૨. નીચાણવાળા વિસ્તારો અને શેલ્ટર હોમ: ખાડી અને તાપી નદી કિનારાના તથા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ શરૂ કરાયું છે. જરૂર જણાતાં…

Read More

અમીરગઢ ચેકપોસ્ટે વાહનચેકિંગ કરતી પોલીસે પકડ્યા હરિયાણાથી ચાંદીનાં ઘરેણાં ચોરીને જઇ રહેલા ભાવનગરના બે જણા ઝડપાયા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણાથી ચોરી કરીને બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા ભાવનગરના બે શખ્સોને અમીરગઢ પોલીસે ઝડપી લઈ હરિયાણામાં નોંધાયેલા ગુનાની તપાસ કરી હરિયાણા પોલીસને જાણ કરી હતી.અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવીને ગુજરાતમાં પ્રવેશતી એક ખાનગી બસને શકના આધારે રોકાવી તેમાં બેઠેલા મુસાફરોનો સામાન તપાસવાનું શરૂ કરાયું હતું. દરમિયાન બસની એક સ્લીપર સીટમાં બેઠેલા બે શખ્સોની તપાસ આદરતાં તેઓ પાસે રહેલા થેલામાં રોકડ રકમ…

Read More

યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દિલ્હીના જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નારેબાજી ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે હવે કાયદાકીય સકંજાે કસાયો છે. વાયરલ વીડિયોના આધારે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.દિલ્હીમાં ૨૩ જુલાઈના રોજ CJP ના નેજા હેઠળ યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. આ પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દેશના વડાપ્રધાન વિરુદ્ધ…

Read More

યુવતીએ કોહલીની બદનામી માટે મળતી ઓફરને ફગાવી વિરાટ કોહલીના એક લાઈકે બદલી નાખી જર્મન મોડેલની જિંદગી! લિઝે ખુલાસો કર્યાે કે એક પત્રકારે તો તેને વિરાટ કોહલીની ઈમેજ ખરાબ કરવા બદલ મોટા પૈસા ઓફર કર્યા હતા સોશિયલ મીડિયાની દુનિયામાં એક નાનો ‘લાઈક’ પણ કોઈની જિંદગી કઈ રીતે બદલી શકે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ સાઉથ આફ્રિકામાં જન્મેલી જર્મન મોડેલ, સિંગર અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર લિઝની સ્ટોરી છે. લિઝનું એવું કહેવું છે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લાઈક કરવામાં આવ્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તેના ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે અને ક્રિકેટ જગતમાં જાણીતો…

Read More

શહેનાઝે કહ્યું હવે યોગ્ય પૈસા વગર કામ નહીં કરું ફ્રીમાં કામ કર્યું, પરંતુ તેનું માન મળ્યું નહીં : શહેનાઝ ગિલ શહનાઝ ગિલે પંજાબી મનોરંજન ઉદ્યોગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘બિગ બોસ ૧૩’માં પણ જાેવા મળી હતી અભિનેત્રી શહનાઝ ગિલે મનોરંજન જગતમાં પોતાના સંઘર્ષ અને અનુભવ અંગે વાત કરતાં જણાવ્યું છે કે કારકિર્દીની શરૂઆતમાં તેણે અનેક પ્રોજેક્ટ્સમાં કોઈ ફી લીધા વિના કામ કર્યું હતું, પરંતુ તેના બદલામાં તેને અપેક્ષિત સન્માન મળ્યું નહોતું. હવે તે યોગ્ય ફી વિના કોઈ પણ પ્રોજેક્ટ સ્વીકારવા તૈયાર નથી.તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં શહનાઝે જણાવ્યું કે ઘણી વખત તેમને પોતાની યોગ્ય ફી મેળવવા માટે લડવું પણ…

Read More

૧૩ ઑગસ્ટથી ૨૩ ઑગસ્ટ દરમિયાન મેલબર્ન શહેરમાં શો યોજાશે IFFM પંકજ ત્રિપાઠીને ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ એવોર્ડ મળશે પંકજ ત્રિપાઠી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને ત્યાં આ એવોર્ડ સ્વીકારશે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પંકજ ત્રિપાઠીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં પ્રતિષ્ઠિત ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન અને એક શ્રેષ્ઠ અભિનેતા તરીકેની પ્રેરણાદાયી સફરને માન્યતા આપવા માટે તેમને આ સન્માન અપાશે. ખાસ વાત એ છે કે પંકજ ત્રિપાઠી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને ત્યાં આ એવોર્ડ સ્વીકારશે.‘ગેંગ્સ ઑફ વાસેપુર’, ‘ન્યૂટન’, ‘સ્ત્રી’ સહિત અનેક યાદગાર ફિલ્મો…

Read More

ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે પરશુરામ બનવા વિક્કી કૌશલ ૨૫ કિલો વજન વધારશે ‘મહાવતાર’ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે ‘મહાવતાર’ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ પચ્ચીસ કિલો વજન વધારવાનો છે.અગાઉ ૨૦૨૫માં ‘છાવા’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને ન્યાય આપવા વિક્કી કૌશલે તેનું વજન ૮૦ કિલોમાંથી વધારીને ૧૦૫ કિલો કર્યું હતું.‘મહાવતાર’ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે.આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ તેનું વજન ૨૫ કિલો વધારવા…

Read More