Author: Garvi Gujarat

હવે કેન્દ્ર સરકાર સિક્યોરિટી આપશે પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢા પાસેથી Z+ સિક્યોરિટી છીનવી લીધી રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પંજાબની ભગવંત માન સરકાર તરફથી રાઘવ ચઢ્ઢાને આપવામાં આવતી Z+ સિક્યોરિટી કવર હટાવી દીધું છે. આમ આદમી પાર્ટી દ્વારા રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યાના થોડા દિવસ બાદ પંજાબ સરકાર તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. હવે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે હવે રાઘવ ચઢ્ઢાને કેન્દ્ર તરફથી Z+ સિક્યોરિટી આપવામાં આવશે. પંજાબના રાજકારણમાં હાલમાં હલચલ તેજ થઈ ગઈ છે.…

Read More

મહિલા અનામત લાગૂ કરવાની તૈયારીઓ, લોકસભા સીટો ૮૫૦ કરવાનો પ્રસ્તાવ બિલમાં મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવા માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાને આધાર બનાવવામાં આવશે પહેલા દેશની સંસદનું બિલ્ડિંગ બદલાયું અને હવે સંસદના નીચલા ગૃહ લોકસભાના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત મુદ્દે સરકાર ૩ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જાે તેના પર મહોર લાગી જશે તો લોકસભાની સીટોમાં વધારો થઈ જશે અને હાલ જે ૫૪૩ સીટો છે તે વધીને ૮૫૦ સુધી પહોંચી શકે છે. આ અંગેનું બિલ ૧૬ એપ્રિલના રોજ લોકસભામાં રજૂ થઈ શકે છે. હવે તમને સવાલ એ થશે કે…

Read More

મોદી સરકારનું સ્ત્રી સશક્તિકરણની દિશામાં પગલું અનામત બિલ માટે તમામ ક્ષેત્રની મહિલાઓને સંસદનું આમંત્રણકેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે સંસદમાં ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય વિશેષ બેઠક માટે તૈયાર થઈ રહી છે, જેમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જાેવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. જેમાં છેવાડાના કામદારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા…

Read More

ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી ૨૩૩૭ નાવિકો પરત ફર્યા છેલ્લા ૨૪ કલાકમાં જ ૭૫ નાવિકોની ઘરવાપસી થઈ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય અને શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો અને જહાજાેની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધી હજારો નાવિકોને સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે. શિપિંગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે માહિતી આપી હતી કે, પર્સિયન ગલ્ફ વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨,૩૩૭ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં…

Read More

બિહારમાં ૭૫ વર્ષમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા : આજે ફક્ત ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા બિહારમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ૭૫ વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બન્યા છે. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સૈય્યદ અતા હસનૈને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમણે બિહારના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જ્યારે જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. આજે ફક્ત આ ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા.…

Read More

ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક ૧૦ કિલો બોક્સના ભાવ ૩થી ૪ હજાર સુધી સ્થિર; છૂટક બજારમાં પ્રતિ કિલો ૧૭૦ના ભાવે વેચાણ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૧૭,૫૩૩ બોક્સ કેસર કેરીની મબલખ આવક નોંધાઈ હતી. બજારમાં રસીલા ફળની આવક વધતા યાર્ડમાં કેરીની ખરીદી જાેવા મળી રહી છે.માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરીના બોક્સ દીઠ ૩,૦૦૦થી ૪,૦૦૦ સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, મધ્ય એપ્રિલથી સૌરાષ્ટ્રની કેસર કેરીની આવક પૂરજાેશમાં શરૂ થઈ…

Read More

ભારતે વિરોધ કર્યો ચીનનો દાવો: અરૂણાચલ પ્રદેશ ભારતનું અંગ નથી, અમારો ઝાંગનાન પ્રદેશ છે ચીને ધમકી આપી, કેટલાક વિસ્તારોના નામ બદલવાનો વિરોધ ભારત સાથેના સંબંધો બગાડી શકે અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નવા નામો આપવાના પોતાના ર્નિણયનો બચાવ કરતા ચીને મંગળવારે કહ્યું હતું કે ભારત સાથેના સંબંધો સુધારવા અંગેની અમારી નીતિમાં કોઇ ફેરફાર થયો નથી અને તે નીતિ આજે પણ યથાવત છે. અરૂણાચલ પ્રદેશ ભારતના અંગ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરતાં ચીને તેને પોતાનો ઝાંગનાન પ્રદેશ ગણાવ્યો હતો.અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નકલી નામો જાહેર કરવાના ચીનના પ્રયાસોને ભારતે રવિવારે અત્યંત કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા અને ભારપૂર્વક કહ્યું હતું કે પાયાવિહોણા કથનો…

Read More

ઇવેન્ટના ઓર્ગેનાઈઝર સહિત ૫ લોકોની ધરપકડ મુંબઈની મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી MBA ના બે વિદ્યાર્થીનાં મોત મ્યુઝિક કોન્સર્ટમાં અંદાજે ૪,૦૦૦ લોકો સામેલ થયા હતા. આ માટે દરેકે ૨૦૦૦ રૂપિયા એન્ટ્રી ફી ચૂકવી હતી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી નેસ્કો સેન્ટરની એક ઇવેન્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના ૧૧ એપ્રિલની રાત્રે યોજાયેલા એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે, જેઓ એમબીએના વિદ્યાર્થીઓ હતા. જાેકે, તેમણે કયા પ્રકારના નશીલા પદાર્થનું સેવન કર્યું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. મુંબઈની વનરાઈ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.…

Read More

હોર્મુઝ બ્લોક કરવા US એ ૧૦૦૦૦ સૈનિક ખડક્યા અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.૪૦૦૦ કરોડનો ફટકો અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. ૪૦૦૦ કરોડનો ફટકો પડી રહ્યો છે. ઇરાનના અર્થતંત્ર માટે આ નાકાબંધી મોટો ફટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ૧૩ એપ્રિલથી ઇરાનની નાકાબંધીની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ઇરાન સાથેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ઇરાનની નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજાેની નાકાબંધી માટે અમેરિકાએ ૧૦ હજાર સૈનિકો અને જહાજાે ખડક્યા છે. જાેકે, આ સિવાયના જહાજાેને…

Read More

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે શિયાના ભારત સાથે ગાઢ સંબંધો છે અને રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છે રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે.રાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો…

Read More