- ‘ઉત્સવ’ના બોલ્ડ શૂટિંગમાં રેખાનો રહ્યો પ્રોફેશનલ અભિગમ, શેખર સુમને કર્યો ખુલાસો
- રિચી મહેતાની ‘ફૂલન’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર, બાદમાં OTT પર રિલીઝ
- 4 વર્ષના વિલંબ બાદ મૃણાલ-હુમાની થ્રિલર ફિલ્મ ‘પૂજા મેરી જાન’ આખરે OTT પર થશે રિલીઝ
- કાયદો સર્વોપરી, પરંતુ યુનિવર્સિટી પર કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થવું જોઈએ
- પટના હાઈકોર્ટનો આદેશ: જાતિ જાણી યુવકના પગ ભાંગનાર પૂર્વ SHO સામે FIR નોંધવાનો નિર્દેશ
- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
Author: garvigujrat
રકુલ પ્રીત બાંદ્રામાં રહે છે પ્રદૂષણ ઘટાડવા રકુલનું સૂચન, રોડ સારા હોય તો લોકો સાઈકલ ચલાવશે મુંબઈ શહેરમાં સતત નવા મકાનો-ઈમારતો બનતા રહે છે અને તેના કારણે ધૂળ ઊડવાનું સામાન્ય છે પ્રદૂષણની સમસ્યા સમગ્ર દેશમાં વકરી રહી છે. દિલ્હીમાં તો એર ક્વોલિટી ઈન્ડેક્સ કથળી જતાં વાહનચાલકો માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. મુંબઈવાસીઓને પણ પ્રદૂષણની સમસ્યા કનડી રહી છે અને મુંબઈ કોર્પાેરેશને એર ક્વોલિટી ઈન્ડેક્સ ચકાસવા નવા માપદંડો લાગુ કર્યા છે. હવાની ગુણવત્તા બગાડવામાં વાહનોનો મોટો ફાળો છે ત્યારે રકુલપ્રીત સિંહે સાઈકલ ચલાવી પ્રદૂષણ ઘટાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે રકુલે તંત્રને સૂચન કર્યું છે કે, રોડ-રસ્તા સારા હશે…
વિકી કૌશલે લક્ષ્મણ ઉટેકરની ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કર્યાે હતો ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી થીમને ફોર્મ્યુલામાં ખપાવવાનો પ્રયાસદેશભક્તિ એ સચ્ચાઈ છે અને ફિલ્મો, સાહિત્ય તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે તેની અભિવ્યક્તિ કરતા રહીશું: વિકી કૌશલ વિકી કૌશલ અને રણવીર સિંહ માટે ૨૦૨૫નું વર્ષ અત્યંત સફળ રહ્યું છે. ‘છાવા’માં વિકી અને ‘ધુરંધર’માં રણીરના પરફોર્મન્સને વૈશ્વિક સ્તરે પ્રશંસા થયેલી છે. આ વર્ષની સૌથી મોટી હિટમાં સ્થાન મેળવનારી આ બંને ફિલ્મોમાં થીમમાં દેશભક્ત સપૂતોની વીરતાની ગાથા છે. ઓડિયન્સને આ પ્રકારની ફિલ્મો પસંદ આવી રહી છે ત્યારે હવે દેશભક્તિની થીમને હિટ ફોર્મ્યુલા કહી શકાય ખરી? આ બાબતે વિકી કૌશલે ખુલાસો કર્યાે હતો કે, ‘છાવા’ અને…
આ ફિલ્મ મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ છે મહેશ બાબુએ રાજામૌલીની ‘વારાણસી’ માટે કલરીપાયટ્ટુની ટ્રેનિંગ શરૂ કરી કલરીપાયટ્ટુ એ વિશ્વની સૌથી જૂની માર્શલ આર્ટ્સ પૈકીની એક છે, જેનો ઉદ્ભવ કેરળમાં થયો હતો બાહુબલી ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની વધુ એક મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ‘વારાણસી’નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. ટોલીવુડનો હેન્ડસમ અભિનેતા મહેશ બાબુ હાલ તેની કારકિર્દીની આ સૌથી મોટી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે સુપરસ્ટાર મહેશ બાબુ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપાયટ્ટુ’ની તાલીમ લઈ રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ સુપરસ્ટારે તાજેતરમાં ‘રુદ્ર’ના કેરેક્ટર માટે પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી હતી. મહેશ બાબુને આ પ્રાચીન…
ફિલ્મનો બીજાે ભાગ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે કંગનાએ ડાયરેક્ટર આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવી વખાણ કર્યા ૧૬ મહિનામાં ૭ કલાકના ફૂટેજ તૈયાર કરી દેવાયા, માર્ચમાં યશની ટોક્સિક સાથે ધુરંધર ૨ની ટક્કર થશે પાકિસ્તાની આતંકવાદીઓના કાળા કરતૂતો અને ભારતીય દેશભક્તોની વીરતાને દર્શાવતી ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જાણીતી એક્ટર અને સાંસદ કંગના રણોતે આ ફિલ્મ જાેયા બાદ ડાયરેક્ટર-લેખક અને કો-પ્રોડ્યુસર આદિત્ય ધરના ભરપૂર વખાણ કર્યાં છે. કેટલાક ક્રિટિક્સ અને દર્શકો આ ફિલ્મને પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ રજૂ કરતી ગણાવી રહ્યા છે ત્યારે કંગનાએ આ જ પ્રકારની ફિલ્મોની જરૂર હોવાનું જણાવી આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવ્યા છે. ફિલ્મ…
એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી.વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ લાંચ લેતા ઝડપાયા.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગત દિવસોમાં ઘણા લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. આવામાં મહેસાણા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાંચિયો અધિકારી વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિચ પટેલ છે, જેને મહેસાણા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા…
ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ.છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે. ગુજરાત શિક્ષણ…
વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.૧૦ની વસૂલાત.વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે : આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છ.વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે યુરિન કરવા પણ મુસાફરો પાસેથી પાંચથી દસ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ અન્ય મુસાફરો સાથે વાતચીત કરવામાં આવતા અનેક લોકોએ યુરિન માટે પણ ફરજિયાત રૂપિયા ચૂકવવા પડતા હોવાની સહમતી વ્યક્ત…
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ.કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયા.માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી.સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (૨૨મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જાેકે, આજે સુનાવણી દરમિયાન…
કોંગ્રેસ અને AAP ને ઝટકો.મહારાષ્ટ્ર બાદ વધુ ગોવા રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત.ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છ.મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છે. ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૩૦ બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૮ બેઠક મળી હતી. તેમજ છછઁને ૨, અપક્ષને ૫ બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે, ગત ૨૦ ડિસેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોવામાં ૭૧% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ ૨૨૬…
પોતાની માંગણી સાથે પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા.સોમનાથ જિલ્લાના માછીમારોને પાક.ની જેલમાંથી છોડાવવાની માંગ.માછીમારો અંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ અગાઉ સંસદમાં પ્રશ્ન ઉઠાવીને કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું.સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૧૯૭ માછીમારો છેલ્લા છ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે આજે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. માછીમારોના પરિવારોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને વહેલી તકે આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે અસરકારક પગલાં લેવા વિનંતી કરી હતી. આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



