Author: Garvi Gujarat

આ ફિલ્મ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો કરાયો.સની લિઓની ‘કૌર વર્સીસ કોર’માં ડબલ રોલમાં જાેવા મળશે. સનીનો એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.સની લિઓની ભારતીય સિનેમામાં એક ક્રાંતિકારી ફિલ્મ બનાવવા જઈ રહી છે, તેની આવનારી ફિલ્મ ‘કૌર વર્સીસ કોર’ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો છે, જેમાં સની ડબલ રોલમાં જાેવા મળશે. તેમાંથી એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.આ અંગેના અહેવાલો અનુસાર, “આ ફિલ્મ કદાચ ભારતની પહેલી ફીચર ફિલ્મ હશે, જે સંપુર્ણપણે આટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિકટેન્કોલોજી સાથે ઊંડી માનવીય લાગણીઓ, સાથે…

Read More

ભારતની ૧૧મી, પાકિસ્તાનની છઠ્ઠી ફાઇનલ.ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ.એશિયા કપના ૪૧ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે.એશિયા કપમાં રવિવારે ફાઇનલ જંગ થવાનો છે. દુબઈમાં રમાનાર આ મેચમાં પ્રથમવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. ક્રિકેટ ઈતિહાસમાં આ ક્ષણ ઐતિહાસિક હશે કારણ કે ટૂર્નામેન્ટના૦ ૪૧ વર્ષ અને ૧૬ એડિશનમાં ક્યારેય એવું થયું નથી કે બંને કટ્ટર હરીફ ફાઇનલમાં આમને-સામને હોય. ટીમ ઈન્ડિયા આ વખતે ૧૧મી વખત ફાઇનલ રમશે અને પોતાની ૯મી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. બીજીતરફ પાકિસ્તાન છઠ્ઠીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમશે. પાકિસ્તાન અત્યાર સુધી બે વખત ચેમ્પિયન બન્યું છે. રવિવારે રમાનારી મેચ…

Read More

લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી.પોલીસે કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ.લદાખને રાજ્યનો દરજ્જાે આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જાેની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે ૨:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના FCRA લાયસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો…

Read More

શું ગેમ ચેન્જર સાબિત થશે આ દાવ?.બિહાર ચૂંટણી પહેલા ૨૨% મહિલા મતદારો સુધી પહોંચશે ૧૦-૧૦ હજાર રૂપિયા.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને મળેલી સફળતાના આધારે તેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોની મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે નીતિશ કુમારનો શરૂઆતથી જ મહિલાઓ સંબંધિત યોજનાઓ પર વિશેષ ભાર રહ્યો છે. અને, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના આ કડીમાં બિહારની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર તરફથી નવી ચૂંટણી ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરતી વખતે કહ્યું, “જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે હું…

Read More

બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય.એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નથી.બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતા ની કલમ ૨૯૫છ અથવા ૫૦૪ હેઠળ ગુનો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ…

Read More

ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું.લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો.તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે : તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે : પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું.પટના, બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે. તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર ઠ હેન્ડલ પર…

Read More

૧૯૬૫, ૭૧, ૯૯ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા.એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-૨૧ રિટાયર્ડ.રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા.ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-૨૧ આજે એટલે કે ૨૬ સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-૧૬ લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-૨૧ને અંતિમ…

Read More

અન્ય દેશો પર વધુ પડતી ર્નિભરતાથી દેશની વૃદ્ધિ અવરોધાય છે: વડાપ્રધાન.સમયની કસોટીમાં પાર ઉતરેલા ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે: પીએમ.રશિયાની મદદથી શરૂ કરાયેલી ફેક્ટરીમાં ટૂંક સમયમાં એકે-૨૦૩ રાઈફલનું ઉત્પાદન શરૂ થઈ જશે.ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જુની મિત્રતા જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંખમાં કણાંની જેમ ખૂંચી રહી છે. રશિયા સાથે ઓઈલ અને શસ્ત્રો સહિતનો વેપાર કરવા બદલ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાની જંગી ટેરિફ લાદી છે. જાેકે ટ્રમ્પની ધાક-ધમકીઓને વશ થયા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન રશિયા સાથેની મજબૂત ભાગીદારી પર ભાર મૂક્યો હતો. ઉત્તરપ્રદેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોમાં વડાપ્રધાને દેશને આર્ત્મનિભર બનાવવા પર ભાર…

Read More

રિઝર્વ બેન્કે ઓનલાઇન પેમેન્ટ વધુ સુરક્ષિત કરવા નવા નિયમો જાહેર કયા.રૂ.૫,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી તથા OTP જરૂરી.નવા નિયમોને લાગુ કરવાનો બેન્ક તથા ઓનલાઇન વેપારીઓ માટે એક મોટો પડકાર સાબિત થશ. ઓનલાઇન ળોડના કેસોમાં સતત વધારા વચ્ચે આગામી મહિનાથી ઓનલાઇન ડિજિટલ પેમેન્ટમાં મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ઓનલાઇન નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ગુરુવારે નવા નિયમો જાહેર કર્યા હતા. આ નવા નિયમોની પ્રત્યક્ષ અસર ગ્રાહકો તથા વેપારીઓ બંને પર પડશે, ખાસ કરીને એવા લોકો જે ઓટીટી પ્લેટફોર્મ, મ્યુઝિક સ્ટ્રીમિંગ સહિતના ઓનલાઇન સબ્સક્રિપ્શન કે એપ આધારિત સેવાઓનો ઉપયોગ કરે છે. હવેથી દરેક…

Read More

નવરાત્રિ મેળા દરમિયાન ૧૨૦ વધારાની એસ.ટી બસોનું સંચાલન.કુલ આશરે ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકે તે પ્રકારની સુવિધા નિગમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. વધુમાં ગત વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રિ મેળામાં ૫૦ એક્સ્ટ્રા બસોનું…

Read More