Author: Garvi Gujarat

હમાસ શસ્ત્રો પેલેસ્ટાઈનને સોંપીને.આત્મસમર્પણ કરે: રાષ્ટ્રપતિ મહમૂદ.ગાઝામાં હમાસ જેવા આતંકી સંગઠનોનું કોઈ સ્થાન નથી: પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ. વિશ્વના કેટલાક અગ્રણી દેશોએ પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ તોરીકેની માન્યતા આપી દીધી છે. જેમાં ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા મુખ્ય દેશો સામેલ છે. આ શ્રેણીમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હમાસ જેવા આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગી જૂથોને કડક ભાષામાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હમાસે પોતાના તમામ હથિયારો પેલેસ્ટાઈનની ઓથોરિટીને સોંપી દેવા જાેઈએ અને કોઇ પણ શરત વિના આત્મસમર્પણ કરવું જાેઈએ, કારણ કે ગાઝા પટ્ટીમાં શાસન અને સુરક્ષાની જવાબદારી સંભાળનાર એક માત્ર માન્ય સંસ્થા પેલેસ્ટાઈન રાજ્ય(દેશ) છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર…

Read More

વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ.ન્યુયોર્કમાં ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન શરમજનક સ્થિતિમાં મુકાયા.ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે મેક્રોનની કારને બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જાેવડાવવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં તેવો જયારે ન્યુયોર્ક પહોંચ્યા ત્યારે તેમની કારને ન્યુયોર્ક સિટી પોલીસે તેમની કારને અટકાવી હતી.તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે તેમની કાર બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જાેવડાવવામાં આવી હતી.ઇમેન્યુઅલ મેક્રોનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મેક્રોનજેવા જ યુએન હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી…

Read More

આશરે ચાર લાખ લોકો સલામત સ્થળે ખસેડાયા.ચીન પર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જાેખમ.૨૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, ઉદ્યોગો-શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી.ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જાેખમ તોળાઈ રહ્યું છે. ચીનના ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાતા ગુઆંગડોંગ પ્રાંતમાં તકેદારીના ભાગ રૂપે ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડાઈ છે. આ ઉપરાંત હોંગકોંગ અને શેન્ઝેન આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. રગાસા વાવાઝાડું દક્ષિણ ચીનના શહેરો પર ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે. આશરે ૨૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અગાઉ ફિલિપાઈન્સમાં આ વાવાઝોડાએ ત્રણનો ભોગ લીધો હતો તેમજ સંખ્યાબંધ લોકો ઘરવિહોણા થયા…

Read More

નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે અન્ય પ્રસાદ ઉપરાંત સાકર અને પંચામૃત માતાને અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ અર્પણ કરવાથી દેવી માતા લાંબા આયુષ્યનું વરદાન આપે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિત્વમાં ત્યાગ, નૈતિકતા અને સંયમ વધે છે. દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો…

Read More

સોનમે ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતા.સાત વર્ષ પછી સોનમ કપૂર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે.અભિનેત્રી સોનમ કપૂર લાંબા સમયથી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. અભિનેત્રી સોનમ કપૂર લાંબા સમયથી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જાેકે, તે છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે. જ્યારે તેણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રેમ્પ પર ચમકી છે, ત્યારે તે મોટા પડદાથી દૂર રહી છે.પરંતુ હવે, સોનમ પુનરાગમન માટે તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષાેથી તેણીના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી અને ક્યારેક ફેશન ઇવેન્ટ્સમાં દેખાયા પછી, સોનમ હવે નવા જાેશ અને હેતુ સાથે ફિલ્મોમાં પાછા ફરવાની તૈયારી કરી…

Read More

પૂનમ પાંડે ‘લવકુશ રામલીલા’માંથી આઉટ.અભિનેતા પૂનમ પાંડે મંદોદરીની ભૂમિકા હવે ભજવશે નહીં.સોમવારે, પૂનમે એક વીડિયો રિલીઝ કર્યો જેમાં ભૂમિકા ભજવવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતા. દેશભરમાં નવરાત્રીની ઉજવણી થઈ રહી છે, અને દુર્ગા પૂજાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા છે કે દિલ્હીમાં યોજાનારી ભવ્ય લવ કુશ રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવનાર પૂનમ પાંડેને ભૂમિકામાંથી દૂર કરવામાં આવી છે. તેમનું નામ નક્કી થયા પછીથી જ ભારે વિરોધ થયો હતો. આને ધ્યાનમાં રાખીને, લવ કુશ રામલીલા સમિતિએ આખરે તેમને દૂર કરવાનું યોગ્ય માન્યું. તે હવે મંદોદરીની ભૂમિકા ભજવશે નહીં.સોમવારે, પૂનમે એક વીડિયો રિલીઝ કર્યાે જેમાં ભૂમિકા ભજવવા…

Read More

જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશ.ઇમરાન હાશ્મી અને દિશા પટાણીએ બેંગકોકમાં ‘આવારાપન ૨’ શરૂ કર્યું.ઇમરાન હાશ્મી પણ શિવમ તરીકે પાછો ફરતા ઉત્સુક છે. જ્યારે દિશા એક નવી રોમેન્ટિક દુનિયામાં પ્રવેશ કરશ.છેલ્લાં થોડાં વખતથી એવા અહેવાલો ફરતા હતા કે વિશેશ ભટ્ટ અને નિતિન કક્કડ, દિશા પટાણી અને ઇમરાન હાશ્મી સાથે ‘આવારાપન ૨’ શરૂ કરૂ રહ્યા છે. ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાની પણ ચર્ચા હતી અને ૨૦૨૬ના ઉનાળામાં રિલીઝ થશે. હવે એવા અહેવાલો છે કે આ અઠવાડિયે બેંગકોકમાં શૂટ કર્યું છે.એક સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “આ અઠવાડિયે બેંગકોકમાં આવારાપન ૨નું શૂટ શરૂ થશે, જેમાં ઇમરામન હાશ્મી અને…

Read More

માતા-પિતાએ સબાને કહ્યું, અમારી કોઈ અપેક્ષાઓ નથી.સબાને લગ્ન બાબતે માતા-પિતા ક્યારેય દબાણ કરતા નથી.હું એક કલાકાર તરીકે લાલચુ છું. મારે જ્યાં મહેનત કરવાની હોય એ મને ગમે છે : સબા આઝાદ.સબા આઝાદ આજકાલ રિતિક રોશન સાથેના સંબંધોને કારણે વારંવાર સ્પોટલાઇટમાં આવતી રહે છે. તાજેતરમાં તેણે પોતાના અંગત જીવન અને પરિવાર વિશે વિગતે વાત કરી હતી. તેણે લગ્ન, જટિલ રોલ માટેનો પ્રેમ અને બોલિવૂડમાં સ્ટિરીયોટાઇપ્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પરિવારમાંથી લગ્ન માટે ક્યારેય દબાણ કરવામાં આવતું નથી. “હું છ વર્ષની હતી ત્યારે મારા માતાપિતાએ મને બેસાડીને શાંતિથી સમજાવ્યું હતું, “બેટા, જાે તારે લગ્ન ન કરવા હોય તો…

Read More

સરકારે પ્રતિબંધ લંબાવ્યો ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. પડોશી દેશના લશ્કરી તથા નાગરિક વિમાનો ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેનું એરસ્પેસ ૨૪મી ઓક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. ભારત અને પાકિસ્તાને એરમેનને અલગ-અલગ નોટિસ ટુ એર મિશન જાહેર કર્યું છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા મંગળવારે (૨૩મી સપ્ટેમ્બર) જાહેર કરાયેલા આદેશ અનુસાર, કોઈપણ પાકિસ્તાની-રજિસ્ટર્ડ…

Read More

દેશનું ડિફેન્સ સેક્ટર બનશે વધુ મજબૂત ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે થયો કરાર આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મોરોક્કોના સંરક્ષણ પ્રધાન અબ્દેલલતીફ લૌધીએ સોમવારે રબાતમાં દ્વિપક્ષીય બેઠક યોજી, જેમાં સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મજબૂત માળખું પૂરું પાડે છે. તે સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, સંયુક્ત કવાયત, લશ્કરી તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે માર્ગ મોકળો કરે છે. આ સોદો ભવિષ્યમાં ભારતના સંરક્ષણ…

Read More