Author: garvigujrat

ટ્રમ્પનો મોટો ર્નિણય.રશિયા-ઈરાન સહિત ૭૫ દેશના નાગરિકોને અમેરિકા વિઝા નહીં આપે.આ પ્રતિબંધો ૧ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે.અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) ૭૫ દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે, જેમના અમેરિકામાં ‘પબ્લિક ચાર્જ’ (સરકારી સહાય પર ર્નિભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો ૧ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે.વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક…

Read More

પાણીપુરી બનાવતા ત્રણ એકમ પર દરોડા, બટાકા- પુરીનો જથ્થો જપ્ત.ઊંઝામાં કમળાના કેસો નોંધાતાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ.ઊંઝા શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ દર્દી પૈકી ત્રણ દર્દીએ પાણીપુરી ખાધી હોવાનું બહાર આવ્યું હતું.ઊંઝા શહેરમાં કેટલાક દિવસોથી કમળાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ કેસ પૈકી ૩ દર્દીએ પાણીપુરી ખાધા બાદ તકલીફ થયાનું જણાવ્યું હતું. આથી ઊંઝા નગરપાલિકા તંત્રએ આકરાં પગલાં ભરતાં શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પાલિકાની ટીમ દ્વારા પાણીપુરીના વિવિધ ઉત્પાદન સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાંથી બે સ્થળે બટાકાનો જથ્થો જપ્ત કર્યાે હતો જ્યારે એક સ્થળેથી પુરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઊંઝા…

Read More

સફદરગંજ સ્થિત ઓબ્ઝર્વેટરી ખાતે તાપમાનનો પારો ૩ ડિગ્રી નોંધાયો.ઉ. ભારત ‘હિમપ્રદેશ’ બન્યું, દિલ્હીમાં જાન્યુઆરી ત્રણ વર્ષમાં સૌથી ઠંડો.ચંડીગઢમાં પારો ગગડીને ૨.૮ ડિગ્રી, ૯ વર્ષમાં સૌથી નીચું તાપમાન, સોનમર્ગમાં માઈનસ ૭ ડિગ્રી.કાશ્મીરમાં પર્વતીય વિસ્તારોમાં ફરીથી બરફવર્ષા થવાથી ઉત્તર ભારત હિમપ્રદેશમાં તબદીલ થઈ ગયું છે. દિલ્હીમાં જાન્યુઆરી માસની સવાર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઠંડી રહી છે. જ્યારે ચંડીગઢમાં આશરે એક દાયકા બાદ તાપમાનનો પારો ફરી નીચે ગગડ્યો હોવાનું નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ કાતીલ ઠંડા પવનોને લીધે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઝારખંડ સહિતના રાજ્યોમાં શિયાળાએ જતા જતા ફરી લોકોને ચમકારાનો અનુભવ કરાવ્યો છે. દિલ્હીમાં સવારનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું…

Read More

રિલાયન્સ, સરકારી રિફાઇનરીઓની ક્રૂડ ઓઇલની આયાતમાં તીવ્ર ઘટાડા.રશિયન ઇંધણના ખરીદદાર દેશોમાં ભારત ત્રીજા ક્રમે આવી ગયું: CREA. CREAએ જણાવ્યું હતું કે માસિક ધોરણે ભારતની રશિયન ક્રૂડની આયાતમાં ૨૯ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર માલિકીની રિફાઇનરીઓએ ક્રૂડ ઓઇલની આયાતમાં તીવ્ર ઘટાડો કર્યા પછી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયન ફોસિલ ફ્યૂઅલના વૈશ્વિક ખરીદદારોમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયું હતું. ભારતે ડિસેમ્બરમાં ક્રૂડની કુલમાંથી ૨૫ ટકા આયાત રશિયાથી કરી હતી. આ પ્રમાણ અગાઉના મહિના ૩૫ ટકા જેટલું ઊંચું હતું. રશિયન ક્રૂડના ખરીદદારોમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતને પાછળ રાખીને તુર્કી બીજા સ્થાને આવી ગયું છે, એવો યુરોપની એક થિન્ક ટેન્કે મંગળવારે…

Read More

ગુનાઈત પ્રવૃત્તિઓ કરતાં ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહી.અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા.૨૦૨૫માં રદ કરાયેલા વિઝાની સંખ્યા ૨૦૨૪ની સરખામણીમાં બમણી છે. બાઇડન સરકારના અંતિમ વર્ષ ૨૦૨૪માં ૪૦,૦૦૦ વિઝા રદ કરાયા હતા. ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાએ ૨૦૨૫માં આશરે એક લાખ ઇમિગ્રન્ટ્સના વિઝા રદ કર્યા હતાં. તેમાં આશરે ૮,૦૦૦ સ્ટુડન્ટ વિઝાનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગુનેગાર વિદેશીઓ સામે દેશનિકાલની કાર્યવાહી ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી.સોમવારે અમેરિકાના વિદેશ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે આ ગુનેગારોને દેશનિકાલ કરવાનું ચાલુ રાખીશું. વિદેશ વિભાગે…

Read More

કેનેડિયન યુવતીએ કહ્યું- મને ચૂપ કરાવવા ઘણા પ્રયાસ કરાયા.પંજાબી સિંગર પર પત્નીને દગો આપવાનો આરોપ!.આ સમગ્ર મામલે ત્યારે ગંભીર વળાંક આવ્યો જ્યારે આ આર્ટિસ્ટના નિવેદનના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા.વિકી કૌશલની ફિલ્મ ‘મ્ટ્ઠઙ્ઘ દ્ગીુડ’ના ૨૦૨૪ના હિટ ગીત ‘તૌબા તૌબા’થી ધૂમ મચાવનાર પંજાબી સિંગર અને રેપર કરણ ઔજલા અત્યારે ચર્ચામાં છે. કેનેડિયન રેપર અને એક્ટ્રેસ મિસ ગોરીએ (સ્જ ય્ર્િૈ) આ પંજાબી સંગીતકાર પર આરોપ લગાવ્યો છે કે, કરણ પોતે પરણેલો હોવાની વાત છુપાવીને તેની સાથે સંબંધોમાં રહ્યો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ આક્ષેપ કર્યાે છે કે ઔજલા અને તેની ટીમ તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેનેડિયન…

Read More

આમિરના દુરાગ્રહ બાદ ફિલ્મ અટકી પડી હતી.આમિરનાં ત્રાગાં બાદ દાદાસાહેબની બાયોપિકની સ્ક્રિપ્ટ ફરી લખાઈ.હવે આખરે હિરાણીએ આમિર સાથે સમાધાન કરી લીધું છે. સ્ક્રિપ્ટનો ડ્રાફ્ટ ફરી તૈયાર કરાયો છો.રાજકુમાર હિરાણીએ આમિર ખાન સાથે દાદા સાહેબ ફાળકેની બાયોપિક માટે કોલબરેશન કર્યું છે પરંતુ આમિર ખાને સ્ક્રિપ્ટમાં વાંધાવચકા કાઢતાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ શક્યું ન હતું. હવે ચર્ચા અનુસાર રાજ કુમાર હિરાણીએ ફિલ્મની સ્ક્રિપ્ટ નવેસરથી લખાવી છે. આથી આ અટકી પડેલી ફિલ્મ આગળ વધે તેવા સંજાેગોનું નિર્માણ થયું છે. કહેવાય છે કે આમિર આ સ્ક્રિપ્ટમાં હાસ્યસભર હળવાં દ્રશ્યો હોય તેમ પણ ઈચ્છતો હતો. બીજી તરફ રાજકુમાર હિરાણી ઐતિહાસિક તથ્યો સાથે કોઈ બાંધછોડ…

Read More

ફિલ્મોમાં ૩૦ વર્ષ પછી પણ રાની પોતાને ન્યુ કમર જ માને છે.કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : રાની.૧૯૯૦ના પાછળના વર્ષોને તેણે જાદુઈ સમય ગણાવ્યો, જ્યારે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ‘સાથિયા’થી તેની કારકિર્દીમાં વળાંક લાવ્યો.૧૯૯૭માં ‘રાજા કી આયેગી બારાત’થી સિનેમાની દુનિયામાં પગલું મૂકનાર રાની મુખર્જીએ હવે પોતાની કારકિર્દીનાં ૩૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. આ અવસરે યશ રાજ ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પર રાની દ્વારા લખાયેલ ભાવુક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પોતાની યાત્રાની શરૂઆતથી લઈ આજ સુધીના અનુભવ શેર કર્યા છે. તેણે આ પોસ્ટમાં પોતાની નાની શરૂઆત, કામ અને પ્રેમ માટે દર્શકોનો આભાર અને આજે પણ તે કઈ રીતે…

Read More

તાપસીએ વધતા પીઆરના દુરુપયોગ વિશે વાત કરી.આજે લોકો પોતાને આગળ વધારવા જેટલો ખર્ચ બીજાને નીચે પાડવા માટે કરે છે.તાપસી છેલ્લે ‘ફિર આઈ હસીન દિલરૂબા’માં જાેવા મળી હતી, હવે તે જલ્દી જ પોલીસ ઓફિસરની ભૂમિકામાં ‘વોહ લડકી હૈ કહાં’માં જાેવા મળશે.તાપસી પન્નુ એક મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, જેણે હિન્દી ફિલ્મ ઇસ્ટ્રીમાં કામની શરૂઆત કરી ત્યારથી આજ સુધી સફળ સફર ખેડી છે. ૨૦૧૩માં તેણે ડેવિડ ધવનના ચશ્મે બદ્દુર સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તેણે ઘણા વૈવિધ્યવાળાં રોલ કર્યા છે. જેમાં તેના અભિનયના ઘણા વખાણ થયા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તાપસી પન્નુએ ઇન્સ્ટ્રીમાં ફેમ અને PR ની અંધારી બાજુ પર ખુલ્લીને વાત…

Read More

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા ખાતે પરિવારજનો સાથે પતંગ ચગાવી હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પીપલોદ ખાતે ગોવર્ધન હવેલી ખાતે ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌપૂજન પણ કર્યું હતું. મગદલ્લાના રિવુલેટ રેસિડેન્સીના ધાબા પર શ્રી સંઘવીએ પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા. સ્થાનિક રહીશોએ ‘કાઈપો ચે..’ના હર્ષનાદ સાથે નાયબ મુખ્યમંત્રી સાથે પતંગોત્સવમાં જોડાયા હતા. રાજ્યની ભાતીગળ ઓળખ, પતંગોના ઉલ્લાસમય પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. આકાશમાં ઉડી રહેલી રંગબેરંગી પતંગો ગુજરાતની જીવંતતા અને ઉત્સવપ્રેમ દર્શાવે છે. પતંગની…

Read More