- ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ
- ગોપાલ રાયનું આહ્વાન: વિદ્યાર્થી આંદોલનને AAPનું સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
- અમદાવાદમાં વરસાદી હાલાકી પર AAPનો પ્રહાર: વિકાસના દાવા સામે ડો. કરન બારોટે ઉઠાવ્યા સવાલ
- ચૈતર વસાવા કેસમાં જામીન બાદ ઇસુદાન ગઢવીનો દાવો: સત્યનો વિજય થયો, ષડયંત્ર નિષ્ફળ
- ઇસુદાન ગઢવીનો સરકાર પર પ્રહાર: પેપર લીક મુદ્દે યુવાનોના આંદોલનને આપનું સમર્થન
- NEET વિરોધ વચ્ચે મુંબઈ પોલીસનો કડક અભિગમ, વિદ્યાર્થીઓને લોકેશન મોકલવા અને ઘરે રહેવા સૂચના
- CJPનું આંદોલનનું રણશિંગુ, જંતર-મંતર બાદ 24 જુલાઈએ દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની જાહેરાત
- સરકારની ચર્ચા ઓફર પર CJPનો જવાબ: વાત કરવી હોય તો જંતર-મંતર આવો, નડ્ડાના ઘરે નહીં
Author: garvigujrat
પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં ધોળા દિવસે ચોરી થયા બાદ એવો જ બીજાે કિસ્સો ન્યૂયોર્કમાં મજૂરોના વેશમાં આવેલા ત્રણ ચોરોએ રૂ. ૨૮ કરોડની તફડંચી કરી બે ચોરો ઘરનો પાછળનો દરવાજાે તોડીને દાગીના ઉઠાવી લાવ્યા, એક કાર લઈને બહાર રાહ જાેતો હતો : પોલીસે વીડિયો રીલિઝ કર્યાે. ન્યૂયોર્કમાં એક ઘરમાંથી ત્રણ ચોરો ૩૨ લાખ ડોલર (અંદાજે ૨૮ કરોડ રૂપિયા)ની કિંમતના દાગીના ચોરી ગયા હતા. પેરિસના વિખ્યાત લુવ્ર મ્યૂઝિયમમાં ચોરી થઈ એના થોડા દિવસોમાં વધુ એક ચર્ચાસ્પદ ચોરી થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ ચોરોએ આ ચોરીને અંદાજ આપ્યો હતો.ન્યુ યોર્ક શહેરના એક ઘરમાં બે ચોરો બાંધકામ મજૂરોના વેશમાં ઘૂસી ગયા. ઘરનો…
અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતીયોની જરૂર, H-1B વિઝાની ફી ઘટાડો કરવા રજૂઆત આ ર્નિણયના કારણે ભારત સાથેની પાર્ટનરશિપ પર માઠી અસર થશે, સાથે સાથે અમેરિકાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મોટો ફટકો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં ભારેખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા જતાં હતા તેમને મોટો ફટકો પડ્યો. આ સિવાય પણ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી જ છે. એવામાં હવે અમેરિકામાં જ ટ્રમ્પના ર્નિણયોનો વિરોધ શરૂ થયો છે. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને ટ્રમ્પને H-1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત…
મૂળ પ્લાન પ્રમાણે આ વર્ષે રીલિઝ થવાની હતી અનન્યા અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ થોડા સમય પહેલાં અનન્યા અને લક્ષ્ય આ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરતાં દેખાયાં હતાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણીની મોડી પડેલી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું શૂટિંગ હવે પૂર્ણ થયાનું કહેવાય છે. ઈન્ટરનેટ પર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાનું સૂચવતી એક ક્લેપ બોર્ડની તસવીર વાયરલ થઈ છે જેના આધારે આ અટકળો થઈ રહી છે. ગયાં વર્ષે કરણ જાેહરે જાહેર કર્યું હતું તેમ આ ફિલ્મ આ વર્ષમાં જ રીલિઝ થઈ જવાની હતી. જાેકે, નવાઈની વાત એ છે કે પોતાની દરેક ફિલ્મ માટે પ્રચારના મોટા…
એન્ડ ક્રેડિટનો વિડીયો વાયરલ થયો કલ્કિ એડી ૨૮૯૮ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું તાજેતરમાં ઈન્ટરનેટ પર ઓટીટી પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની એન્ડ ક્રેડિટસનો વિડીયો વાયરલ કરાયો હતો દીપિકા પદુકોણને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા ભાગમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હવે આ મૂળ ફિલ્મની ક્રેડિટ લાઈનમાંથી પણ તેનું નામ ઉડાડી દેવામાં આવ્યું હતું. ફિલ્મ સર્જકોનાં આ પગલાંથી દીપિકાના ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે ઓનલાઈન પસ્તાળ પાડતાં આખરે દીપિકાનું નામ ફરી ઉમેરાયું હતું. ફિલ્મ નિર્માતાઓએ થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે દીપિકા ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ભાગ બેમાં કામ કરી રહી નથી. અહેવાલો અનુસાર દીપિકા બીજા ભાગનાં કેટલાંક દ્રશ્યોનું…
દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ બનાવતો હોવાની ચર્ચા પ્રખ્યાત RK સ્ટુડિયો રીલોન્ચ કરવા રનબીર પ્રોડ્યુસર બનશે આરકે ફિલ્મ્સની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૯૯માં આવેલી ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મ હતી, જે ઋષિ કપૂરે ડિરેક્ટ કરી હતી પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરના વારસાને આગળ વધારવા માટે રનબીર કપૂર પોતાના દિલથી નજીક છે એવું એક મિશન શરૂ કરી રહ્યો છે. તેના દાદા રાજ કપૂર દ્વારા શરૂ કરાયેલા આરકે સ્ટુડિયોને પુનર્જિવીત કરવા માટે તે આરકે સ્ટુડિયો ફરી શરુ કરવાનો પ્લાન કરી રહ્યો હોવાના અહેવાલો છે.તે માત્ર ધંધાને ધ્યાનમાં રાખીને સ્ટુડિયો ફરી શરૂ કરવાને બદલે કપૂર પરિવારના વારસાને અંજલિ આપવા માગે છે. આરકે સ્ટુડિયોમાં રનબીર…
યુદ્ધની ફિલ્મમાં અગત્સ્ય નંદા સામે સિમર લીડ રોલમાં અક્ષયકુમારની ભાણી સિમર ભાટીયા ‘ઇક્કિસ’માં ડેબ્યુ કરશે શ્રીરામ રાઘવને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ‘અંધાધુંધ’ અને ‘બદલાપુર’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી ચુક્યા છે ચંકી પાંડેના અને અજય દેવગનના ભત્રીજાના બોલિવૂડ ડેબ્યુ પછી હવે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટીયા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે અક્ષયની બહેન અલકા ભાટીયાની દિકરી છે, તે ધર્મેન્દ્ર અને અગત્સ્ય સાથે ‘ઇક્કિસ’માં જાેવા મળશે. તેના ડેબ્યુની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા પણ છે.અક્ષયની બહેન સિમર ભાટીયા અને તેનાં પહેલા પતિ વૈભવ કપૂરની દિકરી સિમરનો ઉછેર એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મજબુત રીતે જાેડાયેલા પરિવારમાં થયો છે. ત્યાર પછી તેની…
તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક બાદ એક બેઠકો યોજાઈ. જે બાદ આખે બંને દેશો સંઘર્ષવિરામ માટે રાજી થયા છે. નોંધનીય છે કે તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયેએ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી. તુર્કીયેના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે,…
એપસ્ટિન કેસના કારણે બ્રિટનના રાજાએ પોતાના ભાઈને મહેલ છોડવા આપ્યા આદેશ મહિનાની શરૂઆતમાં તેમણે ડ્યૂક ઑફ યૉર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એન્ર્ડ્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો ર્નિણય કર્યાે છે. એન્ર્ડ્યૂને ઘરેથી કાઢી મૂકવાનો પણ ર્નિણય પણ લેવામાં આવ્યો છે. બકિંઘમ પેલેસે ગુરૂવારે (૩૦ ઓક્ટોબર) જણાવ્યું કે, સ્વર્ગસ્થ યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે એન્ર્ડ્યૂના સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એન્ર્ડ્યૂને હવે રૉયલ લૉજ નામનું પોતાનું આવાસ છોડવા માટે નોટિસ આપવામાં આવી છે. તેથી તે હવે વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે. ચાર્લ્સના નાના ભાઈ અને સ્વર્ગસ્થ…
અમિતાભ શીખ વિરોધી હોવાનો આરોપ અમિતાભને પગે લાગનારા દિલજીતને ખાલિસ્તાની સંગઠનની ધમકી ખાલિસ્તાનીઓએ દિલજીતનાં આગામી તારીખ પહેલી નવેમ્બર ઓસ્ટ્રેલિયામાં યોજાનારાં કોન્સર્ટમાં ધમાલ મચાવવાની ચિમકી આપી દિલજીત દોસાંઝ એક રિયાલિટી શોમાં અમિતાભ બચ્ચનને પગે પડતાં શીખ સંગઠનો તેનાથી નારાજ થઈ ગયાં છે. તેમણે દિલજીતનાં આગામી તારીખ પહેલી નવેમ્બર ઓસ્ટ્રેલિયામાં યોજાનારાં કોન્સર્ટમાં ધમાલ મચાવવાની ચિમકી આપી છે. શીખ ફોર જસ્ટિસ નામનાં એક સંગઠનના દાવા અનુસાર અમિતાભે ૧૯૮૪નાં રમખાણો દરમિયાન શીખો વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી. તેને પગે લાગીને દિલજીતે આ રમખાણોના દરેક પીડિતોના પરિવારજનોનું અપમાન કર્યું છે. પહેલી નવેમ્બરે જ શીખ કત્લેઆમ સ્મરણ દિન તરીકે ઉજવાય છે. આ દિવસે યોજાનારા દિલજીતના કોન્સર્ટનો બહિષ્કાર…
ખોટી વાતો ફેલાવાઈ રહી હોવાનો દાવો માહીએ જય ભાનુશાળી સાથે છૂટાછેડાની ચર્ચા ફગાવી દીધી ટીવી એકટ્રેસ માહી વિજ છૂટાછેડાની ખોટી અફવા ફેલાવનારા સામે કાનૂની પગલાંની ચિમકી પણ આપી ટીવી એકટ્રેસ માહી વિજે તે એક્ટર પતિ જય ભાનુશાળી સાથે છૂટાછેડા લઈ રહી હોવાની અફવા ફગાવી દીધી છે. જય અને માહી છૂટાછેડા લઈ રહ્યાં છે તેવી એક ઈન્સ્ટા પોસ્ટ પર રિએક્ટ કરતાં માહીએ લખ્યું હતું કે ખોટી વાતો ન ફેલાવશો. આવી અફવા ફેલાવનારા સામે હું કાનૂની કાર્યવાહી કરીશ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એવી વાત બહાર આવી હતી કે ૧૪ વર્ષનાં લગ્ન જીવન બાદ માહી અને જય છૂટાછેડા લેવાનાં છે. બંને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



