- ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ પર CBFCની કાતર, રિલીઝ પહેલાં 20થી વધુ કટ્સ અને 4.27 મિનિટના દ્રશ્યો દૂર
- OTTથી આર્થિક સ્થિરતા મળી, હવે મનગમતા પ્રોજેક્ટ્સ જ પસંદ કરું છું: આદિલ હુસૈન
- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રવીણ રામે કહ્યું: આ GenZના આંદોલનની ઐતિહાસિક જીત
- ‘કિંગ’ના સેટ પર શાહરૂખ સામે રાઘવ જુયાલ ડાયલોગ ભૂલ્યો, ઇમોશનલ અનુભવ શેર કર્યો
- અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાનની એક્ઝિટ, રાહુલ મોદી નવા હીરોની શોધમાં
- NEET-UG પેપર લીક વિવાદ વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
Author: garvigujrat
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના કારણે ફિલ્મનો વિરોધ થયો હતો વાણી કપૂર- ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ આખરે ભારતમાં રિલીઝ થશે આ ફિલ્મમાં સંબંધોમાં બીજી તકની વાત કરવામાં આવી છે, તેમાં વાણી કપૂર ગુલાલનો રોલ કરે છે. છેલ્લા ઘણા વખતથી આ ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થશે અને ભારતમાં રિલીઝ નહીં થાય, તેની ચર્ચાઓ થતી હતી. પરંતુ હવે આખરે આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “દુનિયાભરમાં આ ફિલ્મ ૧૨ સપ્ટમ્બરે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે હવે ધ ઇન્ડિયન સ્ટોરીઝ લિમિટેડ-યૂકે દ્વારા બે અઠવાડિયામાં આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર…
કોમેડિયન એક્ટર કપિલ શર્મા ફરી એક વખત વિવાદમાં ફસાયો કપિલ શર્માએ મુંબઇને બોમ્બે કહેતા મનસે દ્વારા વિરોધ કરાયોથોડાં વખત પહેલાં કૅનેડામાં તેના કેફેમાં સિખ સમાજની લાગણીઓ દુભાવાના આરોપસર હુમલો કરવામાં આવ્યો હતો. કોમેડિયન એક્ટર કપિલ શર્મા ફરી એક વખત વિવાદમાં ફસાયો છે. થોડાં વખત પહેલાં કૅનેડામાં તેના કેફેમાં સિખ સમાજની લાગણીઓ દુભાવાના આરોપસર હુમલો કરવામાં આવ્યો હતો. હવે તેને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નિશાન બનાવ્યો છે. મનસેના ફિલ્મ વિંગના નેતા અમેયા ખોપકરે તેના માટે એક ચેતાવણી જાહેર કરી છે, જેમાં તેને પોતાના નેટફ્લિક્સ પરના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શોમાં મુંબઈના બદલે બોમ્બે કે પછી બમ્બઈના કહેવા માટે ચેતવ્યો છે.…
સોનાના વાયદાના ભાવમાં રૂ.347 અને ચાંદીના વાયદામાં રૂ.311ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.15308 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105008 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11882 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25573 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.120317.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15308.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105008.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25573 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1069.36 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11882.80 કરોડનાં કામકાજ થયાં…
બહારનું પાણી પીતાં પહેલાં સાવધાન! અમદાવાદમાં પાણીના જગ વેચતા ૫૮ એકમના સેમ્પલ પીવાલાયક જ નથી ૫૮ એકમના પાણીના સેમ્પલ નિષ્ફળ, ૩૫ એકમ સીલ અમદાવાદના રહેવાસીઓ જે બહારથી પાણીના જગ મંગાવીને પીવે છે, તેમના માટે એક ગંભીર ચેતવણી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં બહારના પાણીના જગની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ચેકિંગ દરમિયાન લેવાયેલા સેમ્પલમાંથી ઘણા સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આવું પાણી પીવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના જગ પૂરા પાડતા કુલ ૧૭૮ એકમમાંથી પાણીના…
જાનહાનિ માટે ૧૫૦ કરોડનો વીમો કરાવ્યો ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધો મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતાં હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ લીધા આગામી નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મોટા આયોજકોએ ગત વર્ષની સરખામણીમાં વધુ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધો છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતાં હોય એવા સમયે જાનહાનિ કે નુકસાનને ધ્યાનમાં રાખીને કેટલાંક આયોજકોએ અગાઉથી જ તકેદારીના ભાગરુપે વિવિધ ઇન્સ્યોરન્સ એજન્સીઓ સાથે ઇવેન્ટ ઇન્સ્યોરન્સ લીધા છે. ગુજરાતનું ગરબા હબ ગણાતાં વડોદરાના જ મુખ્ય આયોજકોએ કુલ અંદાજિત ૩૦ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. અમદાવાદમાં પચાસથી વધુ જગ્યાઓએ…
નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે. ઇથેનોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો પર કટાક્ષ કર્યો. ગડકરીએ કહ્યું કે મારું મગજ દર મહિને ૨૦૦ કરોડ કમાઈ શકે તેવું છે પણ નાણાકીય લાભ માટે હું ગમે તે સ્તરે નથી જવાનો. ગડકરીએ આ ટિપ્પણી ઇથેનોલ પર ચાલી રહેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ…
રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે અમિત શાહે નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કર્યું ઉદ્ઘાટન વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે : અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત ૨૦૩૬ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. આ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે જણાવ્યું કે, આ ગ્રીન બેલ્ટ વર્ષ ૧૯૬૦થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તેનો એક વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકાસ થયો છે. તેમણે આ પ્રોજેક્ટ માટે…
અમેરિકા ટેન્શનમાં રશિયાએ ઝિરકોન હાઇપરસોનિક મિસાઈલ ટેસ્ટ કરતાં દુનિયા ચોંકી આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં ૯ ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે રશિયાએ ફરી એકવાર દુનિયાને પોતાની લશ્કરી તાકાતનો અનુભવ કરાવ્યો છે. લશ્કરી કવાયત દરમિયાન રશિયાએ તેના સૌથી ઘાતક હથિયારો પૈકી એક હાઇપરસોનિક ઝિર્કોન મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં ૯ ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલ કોઈપણ દેશનો નકશો બદલવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ રવિવારે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, અમે બેરેન્ટ્સ સમુદ્રમાં એક લક્ષ્ય પર ઝિર્કોન (ત્સિર્કોન) હાઇપરસોનિક ક્રુઝ…
મોંઘવારી માપવાના માપદંડ સામે ઉઠાવ્યા સવાલ દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત રાજને ભારતના ઈકોનોમી ગ્રોથ પર બે મોટી ચિંતા વ્યક્ત કરી છે, એક ખાનગી રોકાણમાં મંદી, બીજુ રોજગાર સર્જનમાં ઘટાડો ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮ ટકાના દરે ગ્રોથ કરી રહી છે. જે છેલ્લા પાંચ ત્રિમાસિકની ટોચે છે. પરંતુ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ આંકડા પર પણ શંકા વ્યક્ત કરતાં ઊંડાણપૂર્વક વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે. રઘુરામ રાજને કહ્યું કે, મજબૂત ગ્રોથના આંકડા આવકારીએ છીએ, પણ તેની પાછળનું વાસ્તવિક કારણ પણ જાણવુ એટલું જ જરૂરી છે. જ્યારે પણ આંકડા વધે છે, ત્યારે આનંદ થવો સ્વાભાવિક છે. પણ…
બંગાળથી લઈ ભૂટાન સુધી અનુભવાયા આંચકા આસામમાં અફઘાનિસ્તાન જેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી. રવિવારે અચાનક ધરતી ધ્રુજવા લાગતાં આસામના લોકો ગભરાઈ ગયા હતા. રાજ્યના ઉદલગુરી નજીક ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જાેરદાર હતો કે આસામની સાથે ભૂટાનથી પશ્ચિમ બંગાળ સુધીના કેટલાક વિસ્તારો પણ હચમચી ગયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ખાસ વાત એ છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર ૬ માપવામાં આવી હતી, જે ૫.૮ કરતા માત્ર ૨ પોઇન્ટ વધુ છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



