- ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ પર CBFCની કાતર, રિલીઝ પહેલાં 20થી વધુ કટ્સ અને 4.27 મિનિટના દ્રશ્યો દૂર
- OTTથી આર્થિક સ્થિરતા મળી, હવે મનગમતા પ્રોજેક્ટ્સ જ પસંદ કરું છું: આદિલ હુસૈન
- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રવીણ રામે કહ્યું: આ GenZના આંદોલનની ઐતિહાસિક જીત
- ‘કિંગ’ના સેટ પર શાહરૂખ સામે રાઘવ જુયાલ ડાયલોગ ભૂલ્યો, ઇમોશનલ અનુભવ શેર કર્યો
- અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિર ખાનની એક્ઝિટ, રાહુલ મોદી નવા હીરોની શોધમાં
- NEET-UG પેપર લીક વિવાદ વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
Author: garvigujrat
હોલિવૂડ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’માં તે ધાલસિમનો રોલ કરશે.વિદ્યુત જામવાલ ભારતીય યોગને હોલિવૂડમાં લઇ જશે.આ ફિલ્મ જાપાનીઝ અમેરિકન ફિલ્મ મેકર કિતાઓ સાકુરાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને સ્ટ્રીટ ફાઇટર વીડિયો ગેમ સિરીઝ પર આધારીત છે.બોલિવૂડનો એક્શન હિરો વિદ્યુત જામવાલ હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરમાં ધાલસિમના રોલમાં જાેવા મળશે. હાલ આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં વિદ્યુત જામવાલે કહ્યું કે ગેમિંગ આઇકોન ધાલસિમનો રોલ કરવો એ તકને હું મારા નસીબ તરીકે જાેઉં છું.વિદ્યુત જામવાલે કહ્યું, “એવું લાગે છે, જાણે મેં આખી જિંદગી આ રોલ માટે જ મહેનત કરી છે. જાણે ઇશ્વરે…
જાહન્વીએ ફિલ્મના ટ્રેઇલર લોંચમાં લગ્નના પ્લાનિંગ વિશે વાત કરી.જાહન્વી કપૂર અને શિખર પહાડિયાના લગ્નના પ્લાનિંગની ચર્ચાઓ શરૂ.જાહન્વી અને તેના બોયફ્રેન્ડ તરીકે ઓળખાતો શિખર પહાડિયા અનેક વખત મંદિરોમાં અને જાહેરમાં સાથે દેખાય છે.જાહન્વી કપૂરની એક પછી એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, હજુ તો ‘પરમ સુંદરી’ થિએટરમાં ચાલી રહી છે, ત્યાં તેની બીજી ફિલ્મની રિલીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે તેની વરુણ ધવન સાથેની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ આવી રહી છે. તાજેતરમાં મુંબઇમાં આ ફિલ્મની ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં તેને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબે ઘણી ચર્ચાઓને વેગ આપ્યો છે.જાહન્વી અને તેના…
લાલ કિલ્લાનો ઈતિહાસ અને વર્તમાન સમસ્યા લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ૨ મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગ: રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા‘…
વિશ્વના ૬૦ મુસ્લિમ દેશોની ઈમરજન્સી બેઠક યોજાઇ ઇઝરાયેલના હમાસ પર હુમલા અંગે વાતચીત કરવામાં આવી હતી જેમાં UAEથી લઈને પાકિસ્તાનના PM સહિતના લોકોએ હાજરી આપી. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કતારની રાજધાની દોહામાં ૬૦ મુસ્લિમ દેશોની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (OIC) ના સભ્ય દેશો અને આરબ દેશોએ બેઠકમાં હાજરી આપી હતી. OIC ની આ ઈમરજન્સી બેઠક કતારમાં ઇઝરાયેલી હુમલા અંગે યોજાઈ હતી, જેમાં તમામ દેશોને ઇઝરાયેલ સામે કાનૂની અને અસરકારક પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી. પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ઇઝરાયેલે કતારમાં હમાસ નેતાઓને નિશાન બનાવ્યા હતા અને હુમલો કર્યો હતો.…
સૌથી ખતરનાક અખબાર કહ્યુ ન્યૂયોર્ક ટાઇમ્સ સામે ટ્રમ્પનો ૧૫ અબજ ડૉલરનો કેસ ટ્રમ્પના સંબંધો મુદ્દે રિપોર્ટ પ્રકાશિત કરતાં માનહાનિનો દાવો કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ટ્રમ્પે પોતે આ અંગે જાણકારી આપી હતી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબાર અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. અખબારે ધનિક ફાયનાન્સર જેફરી એપસ્ટીન સાથે ટ્રમ્પના સંબંધો મુદ્દે રિપોર્ટ પ્રકાશિત કરતાં માનહાનિનો દાવો કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પે પોતે આ અંગે જાણકારી આપી હતી. ટ્રમ્પે ગઈકાલે સોમવારે કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને તેના ચાર પત્રકારો વિરુદ્ધ ૧૫ અબજ ડૉલરનો માનહાનિનો દાવો કરતાં કેસ દાખલ કર્યો…
770 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરી, હવાલા કૌભાંડીની જામીન અરજી રદ ડીઆરઆઈએ પકડેલા ક્રિષ્નન જયશંકર ઐયરની અરજી એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફગાવી. કંડલા અને મુંદ્રા પોર્ટ પર બોગસ કંપનીઓ મારફ્તે ૭૭૦ કરોડની કસ્ટમ ડયુટીની ચોરી અને હવાલા કૌભાંડમાં ડીઆરઆઇએ પકડેલા ક્રિષ્નન જયશંકર ઐયરની જામીન અરજી એડીશનલ ચીફ્ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતીએ રદ કરી છે. આ મામલે કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીએ ૭૭૦ કરોડનો માલ ઈમ્પોર્ટ કરી હાલના ગુનામાં સક્રીય ભાગ ભજવ્યો હોવાનું જણાઈ આવે છે. આ પ્રકારે રકમ દેશ બહાર મોકલવાથી દેશની અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર પડે તેમ છે. જેથી આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. ગુડ્ઝની ફરિયાદપક્ષે…
ટેરિફ લાદવાની ટ્રમ્પની હાકલ સામે ચીનની વળતી ચીમકી ચીન સાથે વાટાઘાટોથી ટ્રમ્પ ખુશ, USમાં ફરી ટીકટોક શરૂ થવાના સંકેત આપ્યા ટ્રમ્પે ય્૭ અને નાટો રાષ્ટ્રોને રશિયા પાસેથી ક્રૂડ આયાત કરતા દેશો પર ટેરિફ ઝીંકવા હાકલ કરી છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક સમયે આંખના કણાની જેમ ખૂંચી રહેલા ચીન માટે સદભાવ વધી રહ્યો છે. મેડ્રિડ ખાતે ચીન સાથે ટ્રેડ વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાનું જણાવતા ટ્રમ્પે યુએસમાં ફરી વાર ટીકટોક શરૂ થવાના સંકેત આપ્યા છે. શુક્રવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત થવાની છે, જેમાં ટ્રેડ ડીલ અંગે મહત્ત્વની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે…
એક્ટ્રેસની લાંબી મેટરનિટી લીવ પર જવાની ચર્ચા દિવાળી આસપાસ વિક્કી-કેટના ઘરે કિલકારી ગુંજશે ૩ વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં કેટરિના કૈફનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો વાઇરલ થયો હતો. બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યાં હોવાની કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ કરી છે. બાળકના જન્મ બાદ માતૃત્વનો આનંદ માણવા કેટરિના લાંબી રજા પર જવાની હોવાનું ચચાર્ી રહ્યું છે.કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદથી જ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારો ચર્ચામાં રહે છે. અગાઉ અનેક વખત એક્ટ્રેસ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું હતું.…
‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ હવે ૩૧ ડિસેમ્બરે રિલીઝ થશે કાર્તિક -અનન્યાની લવસ્ટોરી આલિયાની આલ્ફા અને અવતારને ટક્કર આપી શકશે? છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ક્રિસમસ અને ક્રસમસ પહેલાંના દિવસો કોઈ પણ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ઘણા મહત્વના સાબિત થયા છે. કાર્તિક આર્યનનું વર્ષ ૨૦૨૪ જાેરદાર રહ્યું છે અને તેની ‘ભૂલભુલૈયા ૩’ સુપર હિટ રહી છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મ ૨૦૨૫ પર રિલીઝ થઈ શકશે નહીં. અનુરાગ બાસુની મ્યુઝિકલ લવસ્ટોરી દિવાળી ૨૦૨૫માં રિલીઝ થવાને બદલે ૨૦૨૬ની શરૂઆતમાં રિલીઝ થવાની ચર્ચા હતી. પરંતુ સોમવારે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા અચાનક જાહેરાત કરી દેવામાં આવી છે કે ‘તુ મેરી…
સમંથાએ કહ્યું કે પહેલાં તેને ડર લાગતો હતો ‘બે વર્ષમાં ભલે કોઈ ફિલ્મ ન આવી હોય, પણ હું સૌથી વધુ ખુશ છું’ મને ખબર છે કે મારા ઘણા ફોલોઅર્સ મારી ગ્લેમરસ લાઇફ જાેવા અને મારી ફિલ્મ જાેવા માટે મને ફોલો કરે છે. એવું લાગે છે કે સમંથા રુથ પ્રભુને રોગપ્રતિકારક શક્તિને લગતી બીમારી માયસોટાઇસે વધુ મજબૂત બનવામાં મદદ કરી છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની શારિરીક તકલીફો અને કૅરિઅર પ્રત્યે દૃષ્ટિકોણ વિશે વાત કરી હતી. મંગળવારે તે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના દિલ્હી ખાતે યોજાયેલા ૫૨મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં હાજર રહી હતી. સમંથાએ કહ્યું કે હવે તે આ રેસનો ભાગ બનવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



